Surat : પરીક્ષામાં નાપાસ થઈ તો વિદ્યાર્થિનીએ જીંદગી પૂર્ણ કરી દીધી, જીવનને ટૂંકાવવા B.TECH ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અપનાવ્યો આ રસ્તો!


  • Published By :
  • Published Date : 2024-03-05 18:05:00

ભણવાનો તો બોજો વિદ્યાર્થીઓ પર વધી રહ્યો છે. ભણવા તો બોજો હોય જ છે પરંતુ પરિણામનો બોજો પણ સતત વધી રહ્યો છે. પરીક્ષામાં જો ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે. હતાશ બનેલા વિદ્યાર્થી આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તે મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું.


નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ ટૂંકાવી રહ્યા છે જીવન!

આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરિણામ ના ડરથી, નપાસ થવાના ડરથી યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. કોટાથી તો અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતથી આવા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ સુરતમાં આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




આવી રીતે કરી આત્મહત્યા!

મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાઈકરની દીકરી છે. અધિકારી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે. બે દીકરીઓમાંની એક વિમાનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. દીકરીએ પોતાના મોઢાને લોક વાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધી દીધી. એવી વ્યવસ્થા કરી કે ગૂંગળામણથી તેનું મોત થઈ જાય. આવી રીતે તેણે આપઘાત કર્યો હતો. 



અનેક કારણો હોય છે જવાબદાર આની પાછળ!

આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલ લઈ ગયા સારવાર અર્થે. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર ભણવાનો બોજ સતત વધી રહ્યો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તો ભણતર વધી જ ગયું છે પરંતુ નાના બાળકોમાં પણ એટલો બધો અભ્યાસક્રમ હોય છે જેને લઈ વિદ્યાર્થીઓને ભણવાથી કંટાળો આવવા લાગે. વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતા આ કદમો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી વધારે મોટું કારણ જવાબદાર હોય છે તે છે માતા પિતાની અપેક્ષાઓ...!  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.