Surat : પરીક્ષામાં નાપાસ થઈ તો વિદ્યાર્થિનીએ જીંદગી પૂર્ણ કરી દીધી, જીવનને ટૂંકાવવા B.TECH ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અપનાવ્યો આ રસ્તો!


  • Published By :
  • Published Date : 2024-03-05 18:05:00

ભણવાનો તો બોજો વિદ્યાર્થીઓ પર વધી રહ્યો છે. ભણવા તો બોજો હોય જ છે પરંતુ પરિણામનો બોજો પણ સતત વધી રહ્યો છે. પરીક્ષામાં જો ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે. હતાશ બનેલા વિદ્યાર્થી આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તે મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું.


નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ ટૂંકાવી રહ્યા છે જીવન!

આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરિણામ ના ડરથી, નપાસ થવાના ડરથી યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. કોટાથી તો અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતથી આવા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ સુરતમાં આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




આવી રીતે કરી આત્મહત્યા!

મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાઈકરની દીકરી છે. અધિકારી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે. બે દીકરીઓમાંની એક વિમાનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. દીકરીએ પોતાના મોઢાને લોક વાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધી દીધી. એવી વ્યવસ્થા કરી કે ગૂંગળામણથી તેનું મોત થઈ જાય. આવી રીતે તેણે આપઘાત કર્યો હતો. 



અનેક કારણો હોય છે જવાબદાર આની પાછળ!

આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલ લઈ ગયા સારવાર અર્થે. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર ભણવાનો બોજ સતત વધી રહ્યો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તો ભણતર વધી જ ગયું છે પરંતુ નાના બાળકોમાં પણ એટલો બધો અભ્યાસક્રમ હોય છે જેને લઈ વિદ્યાર્થીઓને ભણવાથી કંટાળો આવવા લાગે. વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતા આ કદમો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી વધારે મોટું કારણ જવાબદાર હોય છે તે છે માતા પિતાની અપેક્ષાઓ...!  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.