Surat : પરીક્ષામાં નાપાસ થઈ તો વિદ્યાર્થિનીએ જીંદગી પૂર્ણ કરી દીધી, જીવનને ટૂંકાવવા B.TECH ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અપનાવ્યો આ રસ્તો!


  • Published By :
  • Published Date : 2024-03-05 18:05:00

ભણવાનો તો બોજો વિદ્યાર્થીઓ પર વધી રહ્યો છે. ભણવા તો બોજો હોય જ છે પરંતુ પરિણામનો બોજો પણ સતત વધી રહ્યો છે. પરીક્ષામાં જો ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે. હતાશ બનેલા વિદ્યાર્થી આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તે મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું.


નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ ટૂંકાવી રહ્યા છે જીવન!

આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરિણામ ના ડરથી, નપાસ થવાના ડરથી યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. કોટાથી તો અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતથી આવા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ સુરતમાં આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




આવી રીતે કરી આત્મહત્યા!

મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાઈકરની દીકરી છે. અધિકારી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે. બે દીકરીઓમાંની એક વિમાનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. દીકરીએ પોતાના મોઢાને લોક વાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધી દીધી. એવી વ્યવસ્થા કરી કે ગૂંગળામણથી તેનું મોત થઈ જાય. આવી રીતે તેણે આપઘાત કર્યો હતો. 



અનેક કારણો હોય છે જવાબદાર આની પાછળ!

આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલ લઈ ગયા સારવાર અર્થે. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર ભણવાનો બોજ સતત વધી રહ્યો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તો ભણતર વધી જ ગયું છે પરંતુ નાના બાળકોમાં પણ એટલો બધો અભ્યાસક્રમ હોય છે જેને લઈ વિદ્યાર્થીઓને ભણવાથી કંટાળો આવવા લાગે. વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતા આ કદમો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી વધારે મોટું કારણ જવાબદાર હોય છે તે છે માતા પિતાની અપેક્ષાઓ...!  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.