Surat : પરીક્ષામાં નાપાસ થઈ તો વિદ્યાર્થિનીએ જીંદગી પૂર્ણ કરી દીધી, જીવનને ટૂંકાવવા B.TECH ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અપનાવ્યો આ રસ્તો!


  • Published By :
  • Published Date : 2024-03-05 18:05:00

ભણવાનો તો બોજો વિદ્યાર્થીઓ પર વધી રહ્યો છે. ભણવા તો બોજો હોય જ છે પરંતુ પરિણામનો બોજો પણ સતત વધી રહ્યો છે. પરીક્ષામાં જો ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે. હતાશ બનેલા વિદ્યાર્થી આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તે મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું.


નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ ટૂંકાવી રહ્યા છે જીવન!

આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરિણામ ના ડરથી, નપાસ થવાના ડરથી યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. કોટાથી તો અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતથી આવા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ સુરતમાં આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી દીકરીએ જીવનને ટૂંકાવી દીધું. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં પરીક્ષામાં નાપાસ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




આવી રીતે કરી આત્મહત્યા!

મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે તે સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાઈકરની દીકરી છે. અધિકારી પોતાની બે દીકરી અને પત્ની સાથે રહે છે. બે દીકરીઓમાંની એક વિમાનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. દીકરીએ પોતાના મોઢાને લોક વાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પર લોકવાળો પ્લાસ્ટિકનો બેન્ડ બાંધી દીધી. એવી વ્યવસ્થા કરી કે ગૂંગળામણથી તેનું મોત થઈ જાય. આવી રીતે તેણે આપઘાત કર્યો હતો. 



અનેક કારણો હોય છે જવાબદાર આની પાછળ!

આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલ લઈ ગયા સારવાર અર્થે. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર ભણવાનો બોજ સતત વધી રહ્યો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તો ભણતર વધી જ ગયું છે પરંતુ નાના બાળકોમાં પણ એટલો બધો અભ્યાસક્રમ હોય છે જેને લઈ વિદ્યાર્થીઓને ભણવાથી કંટાળો આવવા લાગે. વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતા આ કદમો પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સૌથી વધારે મોટું કારણ જવાબદાર હોય છે તે છે માતા પિતાની અપેક્ષાઓ...!  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.