Surat : નશાની હાલતમાં City Driverએ બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રને લીધા અડફેટ! Accidentમાં થયું પિતાની સામે થયું પુત્રનું મોત, પરિવાર આઘાતમાં


  • Published By :
  • Published Date : 2024-01-13 11:02:23

રાજ્યમાં વાહન ચાલકો, બસ ચાલકો, ટ્રક ચાલકો બેફામ બન્યા છે... સીટી બસ હોય હોય કે પછી એસટી બસના ડ્રાઈવરો હોય એ લોકો એવી રીતે ડ્રાઈવિંગ કરતા હોય છે જેમ રસ્તો તેમના બાપનો હોય. બેફામ રીતે બસને હંકારતા ડ્રાઈવરોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. સુરતથી બસની અડફેટે આવતા લોકોના મોત થતા હોય તેવા કિસ્સાઓ અનેક વખત બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત સિટી બસને કારણે સર્જાયો છે અને પોતાની નજરોની સામે પિતાએ પોતાના પુત્રને ગુમાવ્યો.    


11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો અકસ્માતે લીધો ભોગ 

અકસમાતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારના સભ્યોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક અકસ્માતો તો એવા હોય છે જેમાં પરિવારના સભ્યની સામે જ પરિવારનો સભ્ય અંતિમ શ્વાસ લેતો હોય છે. અનેક કિસ્સાઓમાં તો ઘટના સ્થળ પર વ્યક્તિ મોતને ભેટે છે. ઘરેથી નિકળેલો વ્યક્તિ ઘરે પરત ફરશે કે નહીં તે પણ જાણતા નથી. ત્યારે એક ભયંકર અકસ્માત સુરતમાં સીટી બસને કારણે સર્જાયો છે. સીટી બસની અડફેટે આવતા એક પિતાએ પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે.     


નશાની હાલતમાં બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત!

મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના બમરોલી વિસ્તારમાં આજે વહેલી સવારે બની છે. 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા જેમાં પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.  સવારે ધોરણ 11માં ભણતા પુત્રને પિતા શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પિતા પુત્રીનું વાહન આશાપુરા સોસાયટી પાસે સ્લીપ થઇ ગયું હતું. વાહન સ્લીપ થઈ જતા તે નીચે પડી ગયા. પાછળથી બ્લૂ બસ આવી રહી હતી. આ બસ ડ્રાઇવરે બ્રેક મારી નહીં અને આ લોકો પર ચડાવી દીધી. એવી પણ માહિતી સામે આવી છે કે ડ્રાઈવર નશામાં હતો. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી પાડ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક વખત અકસ્માત 

મહત્વનું છે કે અનેક બસ ડ્રાઈવરો બેફામ બનીને, નશામાં ગાડી ચલાવતા હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તાને બાપનો બગીચો સમજીને લોકો બેઠા હોય છે. ઓવરસ્પીડિંગમાં ન માત્ર બસ ડ્રાઈવરો બસ ચલાવતા હોય છે પરંતુ અનેક વાહનો વાળા ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. અનેક વખત તો એવું જોવા મળ્યું છે કે નાના વાહનો પણ ફૂલ સ્પીડમાં ચલાવવામાં આવે છે અને અકસ્માત સર્જાય છે. વાહન ચાલકના બેદરકારીને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવો પડે છે.   



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.