Surat : કે.જીમાં ભણતી માસુમ બાળકીને શિક્ષકે માર્યા લાફા અને ધબ્બા, ઘટના સીસીટીવીમાં કેદ, લેવાયા દંડાત્મક પગલા


  • Published By :
  • Published Date : 2023-10-12 11:01:52

આપણે ત્યાં ગુરૂ માટે અનેક વાક્યો અને સુવિચારો લખાયા છે. ગુરૂને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. પરંતુ આપણી સામે એવા અનેક સમાચારો આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો માર મારતા હોય છે. બાળક જો કોઈ ભૂલ કરે છે તો તેમને રોકવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ કે આવી ન કરાય પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે બાળકો પર હાથ ઉપાડે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થિનીને 35 જેટલી વખત ધબ્બા મારવામાં આવે ઉપરાંત લાફા પણ મારવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શિક્ષીકાનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યું છે. 

સુરતના કાપોદરાની શાળાનો વીડિયો થયો વાયરલ 

ઈન્ટરનેશલ ડે ઓફ ગર્લ્ડ ચાઈલ્ડ તરીકે દર વર્ષે 11 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. ત્યારે એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શિક્ષિકા વિદ્યાર્થિનીને મારી રહ્યા હતા. ગાલ પર થપ્પડ માર્યા અને તે બાદ પીઠ પર પણ ધબ્બા મારવામાં આવ્યા હતા. એ વીડિયો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાનો હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. કે.જીમાં ભણતી વિદ્યાર્થિનીને માર માર્યો છે તેવો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષકે માર્યો માર  

શાળાએથી ઘરે પહોંચેલી દીકરી જ્યારે યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે તેના શરીર પર ઘાવ દેખાયા હતા. શરીર પર ઘા દેખાતા વિદ્યાર્થિનીની માતાએ આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ તેને માર માર્યો હોવાની વાત કહી. ટીચરે માર માર્યા હોવાની વાત વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહી. કેવી રીતે બાળકીને માર મારવામાં આવે છે.. એવી માહિતી સામે આવી છે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છે. 


વીડિયો સામે આવ્યા બાદ પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ

ગાલ પર કેટલા થપ્પડ મારવામાં આવે છે પીઠ પર કેટલા ધબ્બા મારવામાં આવે છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હોય તેવી માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે શિક્ષિકાનું રાજીનામું લેવામાં આવ્યું છે ઉપરાંત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

શિક્ષકો દ્વારા કરાતો વ્યવહાર વિદ્યાર્થીના માનસ પર કરે છે અસર    

મહત્વનું છે કે શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને જીવનભર યાદ રહે છે. શાળા સાથે જોડાયેલી વાત માણસને આજીવન યાદ રહે છે. શિક્ષક દ્વારા થતા આવા વ્યવહારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. ઘર જેટલો સમય બાળકો સ્કૂલમાં વિતાવતા હોય છે. સ્કૂલમાં બાળકોને મળતી શિક્ષા પર બાળકોનું ભવિષ્ય ટકેલું હોય છે. શાળામાં દેશના ભાવિનું ઘડતર થતું હોય છે. શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર, શિક્ષકો દ્વારા કરવામાં આવતો વ્યવહારને બાળકો અનુસરે છે. બાળક જો ભૂલ કરે છે તો તેને ખખડાવો, સમજાવો પરંતુ વિદ્યાર્થી પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને નથી...             



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.