Surat : કે.જીમાં ભણતી માસુમ બાળકીને શિક્ષકે માર્યા લાફા અને ધબ્બા, ઘટના સીસીટીવીમાં કેદ, લેવાયા દંડાત્મક પગલા


  • Published By :
  • Published Date : 2023-10-12 11:01:52

આપણે ત્યાં ગુરૂ માટે અનેક વાક્યો અને સુવિચારો લખાયા છે. ગુરૂને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. પરંતુ આપણી સામે એવા અનેક સમાચારો આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો માર મારતા હોય છે. બાળક જો કોઈ ભૂલ કરે છે તો તેમને રોકવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ કે આવી ન કરાય પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે બાળકો પર હાથ ઉપાડે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થિનીને 35 જેટલી વખત ધબ્બા મારવામાં આવે ઉપરાંત લાફા પણ મારવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શિક્ષીકાનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યું છે. 

સુરતના કાપોદરાની શાળાનો વીડિયો થયો વાયરલ 

ઈન્ટરનેશલ ડે ઓફ ગર્લ્ડ ચાઈલ્ડ તરીકે દર વર્ષે 11 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. ત્યારે એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શિક્ષિકા વિદ્યાર્થિનીને મારી રહ્યા હતા. ગાલ પર થપ્પડ માર્યા અને તે બાદ પીઠ પર પણ ધબ્બા મારવામાં આવ્યા હતા. એ વીડિયો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાનો હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. કે.જીમાં ભણતી વિદ્યાર્થિનીને માર માર્યો છે તેવો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષકે માર્યો માર  

શાળાએથી ઘરે પહોંચેલી દીકરી જ્યારે યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે તેના શરીર પર ઘાવ દેખાયા હતા. શરીર પર ઘા દેખાતા વિદ્યાર્થિનીની માતાએ આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ તેને માર માર્યો હોવાની વાત કહી. ટીચરે માર માર્યા હોવાની વાત વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહી. કેવી રીતે બાળકીને માર મારવામાં આવે છે.. એવી માહિતી સામે આવી છે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છે. 


વીડિયો સામે આવ્યા બાદ પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ

ગાલ પર કેટલા થપ્પડ મારવામાં આવે છે પીઠ પર કેટલા ધબ્બા મારવામાં આવે છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હોય તેવી માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે શિક્ષિકાનું રાજીનામું લેવામાં આવ્યું છે ઉપરાંત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

શિક્ષકો દ્વારા કરાતો વ્યવહાર વિદ્યાર્થીના માનસ પર કરે છે અસર    

મહત્વનું છે કે શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને જીવનભર યાદ રહે છે. શાળા સાથે જોડાયેલી વાત માણસને આજીવન યાદ રહે છે. શિક્ષક દ્વારા થતા આવા વ્યવહારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. ઘર જેટલો સમય બાળકો સ્કૂલમાં વિતાવતા હોય છે. સ્કૂલમાં બાળકોને મળતી શિક્ષા પર બાળકોનું ભવિષ્ય ટકેલું હોય છે. શાળામાં દેશના ભાવિનું ઘડતર થતું હોય છે. શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર, શિક્ષકો દ્વારા કરવામાં આવતો વ્યવહારને બાળકો અનુસરે છે. બાળક જો ભૂલ કરે છે તો તેને ખખડાવો, સમજાવો પરંતુ વિદ્યાર્થી પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને નથી...             



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી