Surat : કે.જીમાં ભણતી માસુમ બાળકીને શિક્ષકે માર્યા લાફા અને ધબ્બા, ઘટના સીસીટીવીમાં કેદ, લેવાયા દંડાત્મક પગલા


  • Published By :
  • Published Date : 2023-10-12 11:01:52

આપણે ત્યાં ગુરૂ માટે અનેક વાક્યો અને સુવિચારો લખાયા છે. ગુરૂને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. પરંતુ આપણી સામે એવા અનેક સમાચારો આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો માર મારતા હોય છે. બાળક જો કોઈ ભૂલ કરે છે તો તેમને રોકવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ કે આવી ન કરાય પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે બાળકો પર હાથ ઉપાડે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થિનીને 35 જેટલી વખત ધબ્બા મારવામાં આવે ઉપરાંત લાફા પણ મારવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શિક્ષીકાનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યું છે. 

સુરતના કાપોદરાની શાળાનો વીડિયો થયો વાયરલ 

ઈન્ટરનેશલ ડે ઓફ ગર્લ્ડ ચાઈલ્ડ તરીકે દર વર્ષે 11 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. ત્યારે એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શિક્ષિકા વિદ્યાર્થિનીને મારી રહ્યા હતા. ગાલ પર થપ્પડ માર્યા અને તે બાદ પીઠ પર પણ ધબ્બા મારવામાં આવ્યા હતા. એ વીડિયો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાનો હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. કે.જીમાં ભણતી વિદ્યાર્થિનીને માર માર્યો છે તેવો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષકે માર્યો માર  

શાળાએથી ઘરે પહોંચેલી દીકરી જ્યારે યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે તેના શરીર પર ઘાવ દેખાયા હતા. શરીર પર ઘા દેખાતા વિદ્યાર્થિનીની માતાએ આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ તેને માર માર્યો હોવાની વાત કહી. ટીચરે માર માર્યા હોવાની વાત વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહી. કેવી રીતે બાળકીને માર મારવામાં આવે છે.. એવી માહિતી સામે આવી છે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છે. 


વીડિયો સામે આવ્યા બાદ પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ

ગાલ પર કેટલા થપ્પડ મારવામાં આવે છે પીઠ પર કેટલા ધબ્બા મારવામાં આવે છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હોય તેવી માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે શિક્ષિકાનું રાજીનામું લેવામાં આવ્યું છે ઉપરાંત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

શિક્ષકો દ્વારા કરાતો વ્યવહાર વિદ્યાર્થીના માનસ પર કરે છે અસર    

મહત્વનું છે કે શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને જીવનભર યાદ રહે છે. શાળા સાથે જોડાયેલી વાત માણસને આજીવન યાદ રહે છે. શિક્ષક દ્વારા થતા આવા વ્યવહારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. ઘર જેટલો સમય બાળકો સ્કૂલમાં વિતાવતા હોય છે. સ્કૂલમાં બાળકોને મળતી શિક્ષા પર બાળકોનું ભવિષ્ય ટકેલું હોય છે. શાળામાં દેશના ભાવિનું ઘડતર થતું હોય છે. શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર, શિક્ષકો દ્વારા કરવામાં આવતો વ્યવહારને બાળકો અનુસરે છે. બાળક જો ભૂલ કરે છે તો તેને ખખડાવો, સમજાવો પરંતુ વિદ્યાર્થી પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને નથી...             



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.