Surat : કે.જીમાં ભણતી માસુમ બાળકીને શિક્ષકે માર્યા લાફા અને ધબ્બા, ઘટના સીસીટીવીમાં કેદ, લેવાયા દંડાત્મક પગલા


  • Published By :
  • Published Date : 2023-10-12 11:01:52

આપણે ત્યાં ગુરૂ માટે અનેક વાક્યો અને સુવિચારો લખાયા છે. ગુરૂને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. પરંતુ આપણી સામે એવા અનેક સમાચારો આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો માર મારતા હોય છે. બાળક જો કોઈ ભૂલ કરે છે તો તેમને રોકવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ કે આવી ન કરાય પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે બાળકો પર હાથ ઉપાડે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થિનીને 35 જેટલી વખત ધબ્બા મારવામાં આવે ઉપરાંત લાફા પણ મારવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા શિક્ષીકાનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યું છે. 

સુરતના કાપોદરાની શાળાનો વીડિયો થયો વાયરલ 

ઈન્ટરનેશલ ડે ઓફ ગર્લ્ડ ચાઈલ્ડ તરીકે દર વર્ષે 11 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. ત્યારે એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શિક્ષિકા વિદ્યાર્થિનીને મારી રહ્યા હતા. ગાલ પર થપ્પડ માર્યા અને તે બાદ પીઠ પર પણ ધબ્બા મારવામાં આવ્યા હતા. એ વીડિયો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળાનો હોવાનું અનુમાન છે. આ સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. કે.જીમાં ભણતી વિદ્યાર્થિનીને માર માર્યો છે તેવો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષકે માર્યો માર  

શાળાએથી ઘરે પહોંચેલી દીકરી જ્યારે યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે તેના શરીર પર ઘાવ દેખાયા હતા. શરીર પર ઘા દેખાતા વિદ્યાર્થિનીની માતાએ આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ તેને માર માર્યો હોવાની વાત કહી. ટીચરે માર માર્યા હોવાની વાત વિદ્યાર્થિનીએ પોતાની માતાને કહી. કેવી રીતે બાળકીને માર મારવામાં આવે છે.. એવી માહિતી સામે આવી છે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો છે. 


વીડિયો સામે આવ્યા બાદ પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ

ગાલ પર કેટલા થપ્પડ મારવામાં આવે છે પીઠ પર કેટલા ધબ્બા મારવામાં આવે છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હોય તેવી માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે શિક્ષિકાનું રાજીનામું લેવામાં આવ્યું છે ઉપરાંત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 

શિક્ષકો દ્વારા કરાતો વ્યવહાર વિદ્યાર્થીના માનસ પર કરે છે અસર    

મહત્વનું છે કે શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકને જીવનભર યાદ રહે છે. શાળા સાથે જોડાયેલી વાત માણસને આજીવન યાદ રહે છે. શિક્ષક દ્વારા થતા આવા વ્યવહારની સીધી અસર બાળકના માનસ પર પડતી હોય છે. ઘર જેટલો સમય બાળકો સ્કૂલમાં વિતાવતા હોય છે. સ્કૂલમાં બાળકોને મળતી શિક્ષા પર બાળકોનું ભવિષ્ય ટકેલું હોય છે. શાળામાં દેશના ભાવિનું ઘડતર થતું હોય છે. શિક્ષકો દ્વારા આપવામાં આવતા સંસ્કાર, શિક્ષકો દ્વારા કરવામાં આવતો વ્યવહારને બાળકો અનુસરે છે. બાળક જો ભૂલ કરે છે તો તેને ખખડાવો, સમજાવો પરંતુ વિદ્યાર્થી પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને નથી...             



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.