Surat Loksabha Seat પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, Isudan Gadhviએ પ્રતિક્રિયા આપતા કહ્યું ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને...


  • Published By :
  • Published Date : 2024-04-22 16:48:50

હજી સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે પરંતુ હવે 25 બેઠકો પર મતદાન થશે કારણ કે મતદાન થયા વગર સુરતને તો સાંસદ મળી ગયા! છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકની વાતો થતી હતી પરંતુ સુરત લોકસભા બેઠક ચર્ચામાં ત્યારે આવી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠ્યા.. આ બાદ તેમનું ફોર્મ રદ્દ થયું, બાકીના જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું અને ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થઈ ગયા.. આની પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

સુરતીઓને મતદાન કર્યા વગર મળી ગયા સાંસદ 

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું હતું. ઉમેદવારોના નામની ઘોષણા પણ કરી દીધી હતી. ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા અને અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત પણ ખેંચી લીધા અને અમુક ઉમેદવારોના ફોર્મ રદ્દ પણ થઈ ગયા. ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ્દ થઈ અને બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું હતું. બિનહરીફ ઉમેદવાર જાહેર થતાં ભાજપના ઉમેદવાર મતદાન થાય તે પહેલા જ સાંસદ બની ગયા છે.  


સુરતમાં બનેલી ઘટના પર ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરત બેઠક પર જે ઘટના ક્રમ થયો છે અને ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સુરતના નાગરિકો પાસેથી તેમનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે અને એનાથી દુખદ કઈ હોઈ ન શકે. હવે ગુજરાતની અન્ય 25 બેઠકોના મતદારો પર લોકતંત્રની રક્ષા કરવાની જવાબદારી છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.