Surat Loksabha Seat પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, Isudan Gadhviએ પ્રતિક્રિયા આપતા કહ્યું ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને...


  • Published By :
  • Published Date : 2024-04-22 16:48:50

હજી સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે પરંતુ હવે 25 બેઠકો પર મતદાન થશે કારણ કે મતદાન થયા વગર સુરતને તો સાંસદ મળી ગયા! છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકની વાતો થતી હતી પરંતુ સુરત લોકસભા બેઠક ચર્ચામાં ત્યારે આવી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠ્યા.. આ બાદ તેમનું ફોર્મ રદ્દ થયું, બાકીના જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું અને ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થઈ ગયા.. આની પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

સુરતીઓને મતદાન કર્યા વગર મળી ગયા સાંસદ 

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું હતું. ઉમેદવારોના નામની ઘોષણા પણ કરી દીધી હતી. ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા અને અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત પણ ખેંચી લીધા અને અમુક ઉમેદવારોના ફોર્મ રદ્દ પણ થઈ ગયા. ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ્દ થઈ અને બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું હતું. બિનહરીફ ઉમેદવાર જાહેર થતાં ભાજપના ઉમેદવાર મતદાન થાય તે પહેલા જ સાંસદ બની ગયા છે.  


સુરતમાં બનેલી ઘટના પર ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરત બેઠક પર જે ઘટના ક્રમ થયો છે અને ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સુરતના નાગરિકો પાસેથી તેમનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે અને એનાથી દુખદ કઈ હોઈ ન શકે. હવે ગુજરાતની અન્ય 25 બેઠકોના મતદારો પર લોકતંત્રની રક્ષા કરવાની જવાબદારી છે.. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .