Surat Loksabha Seat પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, Isudan Gadhviએ પ્રતિક્રિયા આપતા કહ્યું ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 16:48:50

હજી સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે પરંતુ હવે 25 બેઠકો પર મતદાન થશે કારણ કે મતદાન થયા વગર સુરતને તો સાંસદ મળી ગયા! છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકની વાતો થતી હતી પરંતુ સુરત લોકસભા બેઠક ચર્ચામાં ત્યારે આવી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ સવાલો ઉઠ્યા.. આ બાદ તેમનું ફોર્મ રદ્દ થયું, બાકીના જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું અને ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થઈ ગયા.. આની પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

સુરતીઓને મતદાન કર્યા વગર મળી ગયા સાંસદ 

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું હતું. ઉમેદવારોના નામની ઘોષણા પણ કરી દીધી હતી. ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા અને અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત પણ ખેંચી લીધા અને અમુક ઉમેદવારોના ફોર્મ રદ્દ પણ થઈ ગયા. ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ્દ થઈ અને બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું હતું. બિનહરીફ ઉમેદવાર જાહેર થતાં ભાજપના ઉમેદવાર મતદાન થાય તે પહેલા જ સાંસદ બની ગયા છે.  


સુરતમાં બનેલી ઘટના પર ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુરત બેઠક પર જે ઘટના ક્રમ થયો છે અને ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સુરતના નાગરિકો પાસેથી તેમનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે અને એનાથી દુખદ કઈ હોઈ ન શકે. હવે ગુજરાતની અન્ય 25 બેઠકોના મતદારો પર લોકતંત્રની રક્ષા કરવાની જવાબદારી છે.. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.