અનેક દિવસોથી ગુમ થયેલા Surat Loksabha Seatના ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા! વીડિયો બનાવી કોંગ્રેસ માટે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-26 18:38:50

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 7મેના રોજ મતદાતાઓ મતદાન કરવાના છે.. મતદાન થાય તે પહેલા જ સુરતને પોતાના સાંસદ મળી ગયા છે... સુરતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમના ઉમેદવારી ફોર્મને રદ્દ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર બીજા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે પાછું ખેંચ્યું અને ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા.... આખો ઘટનાક્રમ થયો ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા પરંતુ આજે અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.   

કોંગ્રેસે નિલેશ કુંભાણીને કર્યા સસ્પેન્ડ 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જે ખેલ પડી ગયો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... સુરતના ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈ વિવાદ છેડાયો અને અંતે તેમનું ફોર્મ રદ્દ થયું.. જ્યારથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા. તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો લગાવ્યા ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ પોસ્ટર લગાવાયા. નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 


વીડિયો બનાવી નિલેશ કુંભાણીએ આપી પ્રતિક્રિયા

નિલેશ  કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા ત્યારે આજે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. એક વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે... વીડિયોમાં તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. 



 પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

'ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રચાર ઓછો કરો, કાર્યાલય બંધ કરી દો ડોર ટુ ડોર જવાનું બંધ કરી દો, સભાઓ ઓછી લો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઓફર સ્વીકારી લીધી હતી. 2700-2700 મત મળતા હોય ત્યારે ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રચાર કરવાનું પણ ધીમું કરી દીધુ હતું અને એમના કાર્યકર્તાઓ સગાસંબંધીઓને કહેતા હતા કે ભાજપને મત દેજો.'


શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

મહત્વનું છે કે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે નિલેશ કુંભાણી પણ કેસરિયો ધારણ કરી શકે છે... આવતી કાલે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે.. તમને શું લાગે છે કે આવનાર દિવસોમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"