અનેક દિવસોથી ગુમ થયેલા Surat Loksabha Seatના ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા! વીડિયો બનાવી કોંગ્રેસ માટે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-26 18:38:50

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 7મેના રોજ મતદાતાઓ મતદાન કરવાના છે.. મતદાન થાય તે પહેલા જ સુરતને પોતાના સાંસદ મળી ગયા છે... સુરતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમના ઉમેદવારી ફોર્મને રદ્દ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર બીજા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે પાછું ખેંચ્યું અને ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા.... આખો ઘટનાક્રમ થયો ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા પરંતુ આજે અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.   

કોંગ્રેસે નિલેશ કુંભાણીને કર્યા સસ્પેન્ડ 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જે ખેલ પડી ગયો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... સુરતના ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈ વિવાદ છેડાયો અને અંતે તેમનું ફોર્મ રદ્દ થયું.. જ્યારથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા. તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો લગાવ્યા ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ પોસ્ટર લગાવાયા. નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 


વીડિયો બનાવી નિલેશ કુંભાણીએ આપી પ્રતિક્રિયા

નિલેશ  કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા ત્યારે આજે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. એક વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે... વીડિયોમાં તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. 



 પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

'ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રચાર ઓછો કરો, કાર્યાલય બંધ કરી દો ડોર ટુ ડોર જવાનું બંધ કરી દો, સભાઓ ઓછી લો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઓફર સ્વીકારી લીધી હતી. 2700-2700 મત મળતા હોય ત્યારે ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રચાર કરવાનું પણ ધીમું કરી દીધુ હતું અને એમના કાર્યકર્તાઓ સગાસંબંધીઓને કહેતા હતા કે ભાજપને મત દેજો.'


શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

મહત્વનું છે કે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે નિલેશ કુંભાણી પણ કેસરિયો ધારણ કરી શકે છે... આવતી કાલે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે.. તમને શું લાગે છે કે આવનાર દિવસોમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.