અનેક દિવસોથી ગુમ થયેલા Surat Loksabha Seatના ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા! વીડિયો બનાવી કોંગ્રેસ માટે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-26 18:38:50

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 7મેના રોજ મતદાતાઓ મતદાન કરવાના છે.. મતદાન થાય તે પહેલા જ સુરતને પોતાના સાંસદ મળી ગયા છે... સુરતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમના ઉમેદવારી ફોર્મને રદ્દ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર બીજા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે પાછું ખેંચ્યું અને ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા.... આખો ઘટનાક્રમ થયો ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા પરંતુ આજે અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.   

કોંગ્રેસે નિલેશ કુંભાણીને કર્યા સસ્પેન્ડ 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જે ખેલ પડી ગયો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... સુરતના ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈ વિવાદ છેડાયો અને અંતે તેમનું ફોર્મ રદ્દ થયું.. જ્યારથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા. તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો લગાવ્યા ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ પોસ્ટર લગાવાયા. નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 


વીડિયો બનાવી નિલેશ કુંભાણીએ આપી પ્રતિક્રિયા

નિલેશ  કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા ત્યારે આજે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. એક વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે... વીડિયોમાં તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. 



 પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

'ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રચાર ઓછો કરો, કાર્યાલય બંધ કરી દો ડોર ટુ ડોર જવાનું બંધ કરી દો, સભાઓ ઓછી લો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઓફર સ્વીકારી લીધી હતી. 2700-2700 મત મળતા હોય ત્યારે ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રચાર કરવાનું પણ ધીમું કરી દીધુ હતું અને એમના કાર્યકર્તાઓ સગાસંબંધીઓને કહેતા હતા કે ભાજપને મત દેજો.'


શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

મહત્વનું છે કે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે નિલેશ કુંભાણી પણ કેસરિયો ધારણ કરી શકે છે... આવતી કાલે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે.. તમને શું લાગે છે કે આવનાર દિવસોમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે