Surat Loksabha Seatના INDIA ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી જોડાશે ભાજપમાં? Mukesh Dalal બિનહરીફ લોકસભા ચૂંટણી જીત્યા


  • Published By :
  • Published Date : 2024-04-23 11:26:24

ગુજરાતમાં લોકસભા બેઠકો 26 છે પરંતુ મતદાન સંપન્ન થાય તે પહેલા સુરત લોકસભા બેઠકને પોતાના સાંસદ મળી ગયા છે... બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તે બાદ રાજનીતિ ગરમાઈ..  અલગ અલગ રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી.. સોશિયલ મીડિયા પર સુરત ટ્રેન્ડ થવા લાગ્યું.. આ આખી ઘટના જાણે સ્ક્રીપ્ટેડ હોય તેવું લાગી રહ્યું છે..! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે...


ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ 

રાજ્યમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામ્યો હોય તેવું લાગ્યું છે. કેટલી બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની 26 બેઠકો માટે 266 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.. ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ ભલે હતો પરંતુ સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. છેલ્લા એક બે દિવસથી સુરતથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. તેમના ઉમેદવારી ફોર્મને લઈ પ્રશ્નો ઉઠ્યા હતા.. સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણાથી છુપો નથી..



નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો કરી શકે છે ધારણ

પહેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, તે બાદ ધીરે ધીરે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા.. બસપાના ઉમેદવારે પણ અંતે ફોર્મ પરત ખેંચી લીધું અને અંતે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા અને તેમને જીતનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું... આ બધુ તો આપણે જાણીએ છીએ પરંતુ આમાં નવાઈની વાત એવી છે કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે... તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે તેમના સ્વાગતની તૈયારીઓ પણ થઈ ગઈ છે... મહત્વનું છે કે આની પહેલા અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદવાર રોહન ગુપ્તા પણ થોડા સમય પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. 


સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉભા થાય.... 

મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે... કાં તો નિલેશ કુંભાણીએ ખોટી સહી કરી અને ખોટી નોટરી થઈ, કાં તો ટેકેદારોએ ખોટી એફિડેવીટ કરી... એક સાથે બંને સાચા ના હોઈ શકે.. મહત્વનું છે કે સુરતમાં રાજનેતાઓએ જે ખેલ ખેલ્યો તેવો ખેલ કોઈ બીજાએ ખેલ્યો હોત તો કાયદાકિય રીતે કાર્યવાહી કરવામા આવતી.. પરંતુ શું આ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? આ કેસમાં કોણ ખોટું છે તેની તપાસ કરવામાં આવશે? સવાલ ઘણા છે પરંતુ અપેક્ષા એટલી છે કે લોકતંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી ના જાય..!   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.