Surat: માનવભક્ષી શ્વાને માસુમ બાળકી પર કર્યો હુમલો, બાળકીને ગળાથી દબોચી મારી નાખી, પિતાએ એકની એક દીકરી ગુમાવી!


  • Published By :
  • Published Date : 2024-02-06 17:05:41

રખડતા શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ માનવભક્ષી શ્વાન કોઈના પર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. સુરતથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં 4 વર્ષની નાનકડી દીકરી અમસ્તા રમતી હતી અને કોઈએ કલ્પના પણ ના કરી હોય એમ અચાનક 8 થી 10 માનવભક્ષી શ્વાન આવ્યા અને એ દીકરીને ફાડી કાઢી. કેટલી કરૂણ અને સાથે જ ગંભીર આ ઘટના કહેવાય. 


4 વર્ષની બાળકી પર 10 જેટલા શ્વાને કર્યો હુમલો 

સુરતના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં જ્યારે  4 વર્ષની માસૂમ બાળકી ગાયોને નાખેલા ચારામાંથી શેરડી લેવા માટે ગઈ અને 8થી 10 માનવભક્ષી શ્વાનો બાળકી પર તૂટી પડ્યા. બાળકીને ગળાથી દબોચી મારી નાખી. માતા-પિતાએ કામ પરથી ઘરે આવીને શોધ કરી તો 4 વર્ષની બાળકી ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં મળી આવી તરત એને હોસ્પિટલ લઈ ગયા પણ એનો જીવ બચાવી શક્યા નહીં અને માતા-પિતાએ પોતાની એકની એક દીકરી ગુમાવી દીધી. બાળકીનું નામ સુરમિલા હતું.


જ્યારે પિતા કામ પર જાય છે ત્યારે...

જે બાળકીનું મોત થયું છે તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે, કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા અને એક 4 વર્ષની દીકરી સાથે રહેતા હતા. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતાં હતા. કરૂણ વાત તો એ છે કે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેમનાં બે સંતાનને સાથે લઈ અને નાના બે છોકરાઓને ઘરે મૂકીને જાય. એટલે એમને હેરાન ન થવું પડે. પણ સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યાં હતાં. ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચારો નાખવામાં આવે છે. તે ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ અને એ લેવા એ જેમજ ગઈ થી 10 કૂતરાઓએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી.



સુરતમાં પ્રતિદિન 30થી 40 ડોગ બાઈટિંગના નોંધાઈ રહ્યા છે કેસ  

આજથી એક વર્ષ પહેલા જ હાઇકોર્ટે રખડતાં શ્વાનને લઈને તંત્રને જબરદસ્ત ખખડાવ્યા હતા પણ ખેર આ તંત્ર હજુ ઊંઘતું ઝડપાયું છે. હાલ આજના દિવસે પણ સુરતમાં રોજના 35થી 40 કેસ ડોગ બાઈટના નોંધાય છે અને તેમ છતાંય કોઈને કંઈ ફરક નથી પડતો. કેમનો પડે કારણકે એમના વાલસોયા થોડી ગયા છે. સાથે જ હાઇકોર્ટએ જે લોકોને પ્રાણી પ્રેમી છે એમને પણ ટકોર કરી કીધું હતું કે બહુ લાગણી હોય તો ઘરે લઈ જઈ ખવડાવો.

 

બેભાન અવસ્થામાં સુરમિલા કૂતરાઓ પાસે પડી હતી!

આ કરૂણ ઘટના બાદ પિતાએ જ્યારે ઘટનાનું વિવરણ કર્યું એ વધારે કરૂણ હતું .પિતા કાળુભાઈએ કહ્યું કે હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ નહીં એટલે હું એને શોધવા ગયો. સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી હતી. સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યાં અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. એક બાપ જ્યારે એની ફૂલ જેવી બાળકીને આમ પડેલી જોવે ત્યારે એની હાલત શું હોય એ કલ્પના પણ ન કરી શકાય... 


આંકડાઓ બદલાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં!

એક વર્ષ પહેલા જ્યારે હાઇકોર્ટ સુધી રકડતા શ્વાનનો કેસ પહોંચ્યો ત્યારે પણ આજ પ્રશ્નો હતા. માત્ર આંકડાઓ અલગ હતા. આંકડાઓ બદલાતા રહ્યા પણ સ્થિતિ હજુ એજ છે રસ્તા પર પહેલા રખડતાં ઢોરનો ત્રાસ હવે જ્યાં જાવ ત્યાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. આ બધા રખડતાં મોત છે એનાથી બચીને રહેજો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.