સુરત સામૂહિક આપઘાત કેસ: ચાર સભ્યોના મોત બાદ દીકરીએ કર્યો આપઘાત કરવાનો પ્રયાસ, સારવાર માટે હોસ્પિટલ ખસેડી પરંતુ હાલત નાજુક


  • Published By :
  • Published Date : 2023-06-10 17:51:55

થોડા સમય પહેલા સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. રત્નકલાકારે પરિવારના ચાર સભ્યો સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચારેય ચાર સભ્યોના મોત થઈ ગયા છે. ત્યારે પરિવારમાં એક દીકરો અને દીકરી જીવતા હતા પરંતુ આજે દીકરીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરંતુ મળતી માહિતી અનુસાર તેની હાલત હાલ ગંભીર છે. 



પરિવારના ચાર સભ્યોએ કરી હતી આત્મહત્યા!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જીવનથી કંટાળી લોકો મોતને વ્હાલું કરવાનો નિર્ણય લેતા હોય છે. આપઘાત કર્યા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમામ લોકોના મોત થઈ ગયા છે. ત્યારે બે સંતાનો બહારગામ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ આજે દીકરીએ પણ આત્મહત્યા જેવું પગલું ભરી લીધું છે. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.      


           

શું હતો સમગ્ર મામલો?      

જે પરિવારે થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી તે કામની શોધમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાથી સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે બે લોકોની સારવાર ચાલતી હતી. પરંતુ થોડા સમય બાદ બધા સભ્યોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે આજે દીકરીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.