સુરત સામૂહિક આપઘાત કેસ: ચાર સભ્યોના મોત બાદ દીકરીએ કર્યો આપઘાત કરવાનો પ્રયાસ, સારવાર માટે હોસ્પિટલ ખસેડી પરંતુ હાલત નાજુક


  • Published By :
  • Published Date : 2023-06-10 17:51:55

થોડા સમય પહેલા સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. રત્નકલાકારે પરિવારના ચાર સભ્યો સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચારેય ચાર સભ્યોના મોત થઈ ગયા છે. ત્યારે પરિવારમાં એક દીકરો અને દીકરી જીવતા હતા પરંતુ આજે દીકરીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરંતુ મળતી માહિતી અનુસાર તેની હાલત હાલ ગંભીર છે. 



પરિવારના ચાર સભ્યોએ કરી હતી આત્મહત્યા!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જીવનથી કંટાળી લોકો મોતને વ્હાલું કરવાનો નિર્ણય લેતા હોય છે. આપઘાત કર્યા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમામ લોકોના મોત થઈ ગયા છે. ત્યારે બે સંતાનો બહારગામ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ આજે દીકરીએ પણ આત્મહત્યા જેવું પગલું ભરી લીધું છે. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.      


           

શું હતો સમગ્ર મામલો?      

જે પરિવારે થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી તે કામની શોધમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાથી સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે બે લોકોની સારવાર ચાલતી હતી. પરંતુ થોડા સમય બાદ બધા સભ્યોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે આજે દીકરીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.