Surat: Mehul Boghra અને પોલીસ વચ્ચે ફરી એક વખત થઈ બબાલ! નંબર પ્લેટ વગરની ગાડીને રોકતા છેડાયો વિવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 11:35:08

એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે અનેક વખત ઘર્ષણ થતું હોય છે. મેહુલ બોઘરા અને પોલીસ કર્મી વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલની છે જ્યારે એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી અને જે ગાડીને અટકાવી હતી તેની આગળ નંબર પ્લેટ પણ ન હતી. આ સમગ્ર ઘટનાને લઈ મેહુલ બોઘરા અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

મેહુલ બોઘરા દ્વારા એવી વાત કરવામાં આવી કે પોલીસની હાજરીમાં તેમને મારવામાં આવ્યા. પોલીસની હાજરીમાં તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના બનતા લોકોનું ટોળું વળી ગયું હતું. મેહુલ બોઘરાએ સમગ્ર ઘટનાને લઈ વાત કરતા કહ્યું કે તે પોતાના અંગત કામથી જઈ રહ્યા હતા. ત્યારે એક ગાડી આવી જેના કાચ કાળા હતા બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી રહી. બ્લેક કાચ ઉપરાંત તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. આ બાદ તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ગાડીને ચેક કરવાની કોશિશ કરી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? તે દરમિયાન પોતાની સલામતી માટે તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. 


અનેક વખત મેહુલ બોઘરા આવે છે ચર્ચામાં!

મહત્વનું છે કે મેહુલ બોઘરા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ટ્રાફિક નિયમોને લઈ, પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્નો પૂછતા હોય છે. મેહુલ બોઘરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.