Surat: Mehul Boghra અને પોલીસ વચ્ચે ફરી એક વખત થઈ બબાલ! નંબર પ્લેટ વગરની ગાડીને રોકતા છેડાયો વિવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 11:35:08

એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે અનેક વખત ઘર્ષણ થતું હોય છે. મેહુલ બોઘરા અને પોલીસ કર્મી વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલની છે જ્યારે એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી અને જે ગાડીને અટકાવી હતી તેની આગળ નંબર પ્લેટ પણ ન હતી. આ સમગ્ર ઘટનાને લઈ મેહુલ બોઘરા અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

મેહુલ બોઘરા દ્વારા એવી વાત કરવામાં આવી કે પોલીસની હાજરીમાં તેમને મારવામાં આવ્યા. પોલીસની હાજરીમાં તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના બનતા લોકોનું ટોળું વળી ગયું હતું. મેહુલ બોઘરાએ સમગ્ર ઘટનાને લઈ વાત કરતા કહ્યું કે તે પોતાના અંગત કામથી જઈ રહ્યા હતા. ત્યારે એક ગાડી આવી જેના કાચ કાળા હતા બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી રહી. બ્લેક કાચ ઉપરાંત તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. આ બાદ તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ગાડીને ચેક કરવાની કોશિશ કરી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? તે દરમિયાન પોતાની સલામતી માટે તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. 


અનેક વખત મેહુલ બોઘરા આવે છે ચર્ચામાં!

મહત્વનું છે કે મેહુલ બોઘરા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ટ્રાફિક નિયમોને લઈ, પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્નો પૂછતા હોય છે. મેહુલ બોઘરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.