Surat: Mehul Boghra અને પોલીસ વચ્ચે ફરી એક વખત થઈ બબાલ! નંબર પ્લેટ વગરની ગાડીને રોકતા છેડાયો વિવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 11:35:08

એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે અનેક વખત ઘર્ષણ થતું હોય છે. મેહુલ બોઘરા અને પોલીસ કર્મી વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલની છે જ્યારે એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી અને જે ગાડીને અટકાવી હતી તેની આગળ નંબર પ્લેટ પણ ન હતી. આ સમગ્ર ઘટનાને લઈ મેહુલ બોઘરા અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

મેહુલ બોઘરા દ્વારા એવી વાત કરવામાં આવી કે પોલીસની હાજરીમાં તેમને મારવામાં આવ્યા. પોલીસની હાજરીમાં તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના બનતા લોકોનું ટોળું વળી ગયું હતું. મેહુલ બોઘરાએ સમગ્ર ઘટનાને લઈ વાત કરતા કહ્યું કે તે પોતાના અંગત કામથી જઈ રહ્યા હતા. ત્યારે એક ગાડી આવી જેના કાચ કાળા હતા બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી રહી. બ્લેક કાચ ઉપરાંત તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. આ બાદ તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ગાડીને ચેક કરવાની કોશિશ કરી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? તે દરમિયાન પોતાની સલામતી માટે તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. 


અનેક વખત મેહુલ બોઘરા આવે છે ચર્ચામાં!

મહત્વનું છે કે મેહુલ બોઘરા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ટ્રાફિક નિયમોને લઈ, પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્નો પૂછતા હોય છે. મેહુલ બોઘરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.