Surat: Mehul Boghra અને પોલીસ વચ્ચે ફરી એક વખત થઈ બબાલ! નંબર પ્લેટ વગરની ગાડીને રોકતા છેડાયો વિવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 11:35:08

એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે અનેક વખત ઘર્ષણ થતું હોય છે. મેહુલ બોઘરા અને પોલીસ કર્મી વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલની છે જ્યારે એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી અને જે ગાડીને અટકાવી હતી તેની આગળ નંબર પ્લેટ પણ ન હતી. આ સમગ્ર ઘટનાને લઈ મેહુલ બોઘરા અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

મેહુલ બોઘરા દ્વારા એવી વાત કરવામાં આવી કે પોલીસની હાજરીમાં તેમને મારવામાં આવ્યા. પોલીસની હાજરીમાં તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના બનતા લોકોનું ટોળું વળી ગયું હતું. મેહુલ બોઘરાએ સમગ્ર ઘટનાને લઈ વાત કરતા કહ્યું કે તે પોતાના અંગત કામથી જઈ રહ્યા હતા. ત્યારે એક ગાડી આવી જેના કાચ કાળા હતા બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી રહી. બ્લેક કાચ ઉપરાંત તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. આ બાદ તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ગાડીને ચેક કરવાની કોશિશ કરી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? તે દરમિયાન પોતાની સલામતી માટે તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું. 


અનેક વખત મેહુલ બોઘરા આવે છે ચર્ચામાં!

મહત્વનું છે કે મેહુલ બોઘરા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ટ્રાફિક નિયમોને લઈ, પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્નો પૂછતા હોય છે. મેહુલ બોઘરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.