Surat : Mehul Boghra અને જે Police વચ્ચે બબાલ થઈ હતી તે પોલીસ કર્મી તો પહેલેથી તોડબાજ નીકળ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-28 10:38:42

મેહુલ બોઘરા વિશે તો અનેક લોકો જાણતા હશે પરંતુ જો નથી જાણતા  પાયાની માહિતી તમારા સુધી પહોંચાડવી છે, સુરત શહેરમાં નાગરીકોના હક અને ફરજને લઈને એક્ટીવીઝમ ચર્ચામાં હોય છે, મેહુલ બોઘરા નાગરીક અધિકાર માટે એક્ટીવ છે, વ્યવસાયે વકિલ છે અને જાણીતા છે પોલીસના તોડપાણીને ખુલ્લા પાડવા માટે, નિયમોના ભંગ કરતી પોલીસ દેખાય કે ટ્રાફીકમાં ચાર રસ્તે થોડા તોડપાણી કરીને રૂપિયા વસુલ કરતા ટ્રાફીકના જવાન, મેહુલ બોઘરા જે શહેરમાં જાય ત્યાં આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે.

પોલીસ સ્ટેશનની અંદર ધુલાઈ કરવાની ચિમકી આપી..!

મેહુલ બોઘરા ખાલી સોશિયલ મીડિયા નહીં ધરાતલ પર પણ ખુબ લોકપ્રિય છે એ ત્યારે દેખાયુ જ્યારે એમણે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીસ લેનમાં નંબર પ્લેટ વગર અને કાળા કાંચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ વાળા ભાઈનો વિડીયો બનાવ્યો, બદલામાં પેલા ભાઈએ એમના પર હુમલો કર્યો અને પછી એ ફરીયાદ નોંધવા ગયા ત્યારે પોલીસે ફરીયાદ નોંધવાનું તો બાજુ પર મુક્યુ પણ પેલો પોલીસવાળો ભાઈ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મેહુલ બોઘરાની ધુલાઈ કરવાની ચીમકી આપતો હતો.



પોલીસ સ્ટેશનમાં જે થયું તે અસ્વીકાર્ય છે કારણ કે...

તમે મેહુલ બોઘરા સાથે સહમત હોવ કે અસહમત, તમને એ ગમે કે ના ગમે, એમનું કામ તમને સાચુ લાગે કે ખોટું, તમે મેહુલ બોઘરાને શંકાની નજરે જુઓ છો કે સહાનુભુતિની પણ પુણા પોલીસ સ્ટેશનની ઘટનામાં જે થયું એ એટલા માટે અસ્વિકાર્ય છે કેમ કે મેહુલ બોઘરાના સમર્થનમાં ભીડ સોશિયલ મીડિયાથી ઉતરીને જમીન પર આવી હતી, પણ જો બીજો કોઈ સામાન્ય માણસ પોલીસને એની ભૂલ પર કે અપરાધ પર ધ્યાન દોરે તો પોલીસ એની સાથે શું વર્તન કરે! 

તોડ માટે જાણીતા નીકળ્યા પોલીસ કર્મચારી વાલજી હડિયા!

પોલીસનું વર્તન સમજવા માટે તમને એ પોલીસ કર્મચારીની વાત કરવી છે જે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને, પોતે ગુનામાં હોવા છતા મેહુલ બોઘરાને જોઈ લેવાની દમદાટી આપતો હતો, પોલીસ કર્મચારીનું નામ વાલજી હડિયા,ટ્રેકરેકોર્ડ તોડ માટે જાણીતો જ છે, આ પહેલા સુરતના ભાગળમાં સના ટાઈમ્સ નામની દુકાનના માલિક પાસેથી 61લાખની ઘડીયાળો અને 8.5લાખનો તોડ કરવાની વાત હોય કે પછી યુવાનોને બેરહેમીથી મારવાની વાત, આ બધી ખાલી સામે આવેલી વાતો હતી, અંદરોઅંદર કહેવાતુ કે વાલજી હડીયા તો પોતાની આજુબાજુ વાળા પોલીસના કર્મચારીઓને પણ સલાહ આપતો કે ભાઈ તોડ કરો બાકી પોલીસના પગારથી તો તમારુ ઘર નથી ચાલવાનું, 

જે લોકો ખાખીને વેચી શકે એ લોકો રાજ્યને પણ વેચી શકે છે!

ગુજરાત પોલીસની આ અતિશય બદસુરત તસવીર છે, આ તસવીરને વ્યક્ત કરતુ એક કાર્ટુન સુરતમાં જ સંજય નામના ક્રિએટરે બનાવ્યુ છે જેમાં કડક મુછ અને મોટા પેટ સાથેની પોલીસ દેખાઈ રહી છે, જે લોકોના ભરોસે આપણે રાજ્યની વ્યવસ્થાઓ અને સુરક્ષા સોંપીએ છીએ એ લોકો તો સામાન્ય માણસને મારવામાંથી, તોડ કરવામાંથી ઉંચા જ નથી આવતા, જે લોકો ખાખીને વેચી શકે એ લોકો આ રાજ્યને પણ વેચી કાઢે, આવા પોલીસના કર્મીઓ આ રાજ્યની શરમ છે પણ કમનસીબે આવા સડાને ખુલ્લો પાડીને દુર કરવાની જગ્યાએ રાજ્યની પોલીસ જ એમને બચાવવા માટે આવી જાય છે, મેહુલ બોઘરાના કિસ્સામાં પણ આ જ થયું, 



મેહુલ બોઘરા માટે પોલીસ આવું માને છે..

રાજ્યના મોટાભાગના પોલીસ કર્મચારીઓ મેહુલ બોઘરાને પસંદ નથી કરતા કેમ કે તે એવુ માને છે કે બોઘરા પોલીસની છબી ખરાબ કરે છે, સામાન્ય નાગરીકોના મનમાં રાજ્યની પોલીસ માટે દ્વેષ અથવા અણગમો ભરે છે, એક ક્ષણ માટે આ માન્યતાને માની પણ લઈએ તો ય રાજ્યની પોલીસને એ અધિકાર નથી કે પોતે બેફામ બનીને નિયમો તોડે અને કોઈ રોકવા જાય તો એના પર જ વરસી પડે,કમનસીબે હવે મોટાભાગના પોલીસના કર્મચારીઓ મેહુલ બોઘરા તરફથી એક ભૂલ થાય એની પ્રતિક્ષામાં છે કે વારો આવે અને એને ફીટ કરી દઈએ, હવે સોશિયલ મીડિયા અને ઘટના સમયે સ્થળ પર હાજર રહેતા લોકો મેહુલ બોઘરાને કેટલી હદ સુધી સજાગ રાખી શકે છે એના પર મદાર છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.