Surat : Mehul Boghra અને જે Police વચ્ચે બબાલ થઈ હતી તે પોલીસ કર્મી તો પહેલેથી તોડબાજ નીકળ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-28 10:38:42

મેહુલ બોઘરા વિશે તો અનેક લોકો જાણતા હશે પરંતુ જો નથી જાણતા  પાયાની માહિતી તમારા સુધી પહોંચાડવી છે, સુરત શહેરમાં નાગરીકોના હક અને ફરજને લઈને એક્ટીવીઝમ ચર્ચામાં હોય છે, મેહુલ બોઘરા નાગરીક અધિકાર માટે એક્ટીવ છે, વ્યવસાયે વકિલ છે અને જાણીતા છે પોલીસના તોડપાણીને ખુલ્લા પાડવા માટે, નિયમોના ભંગ કરતી પોલીસ દેખાય કે ટ્રાફીકમાં ચાર રસ્તે થોડા તોડપાણી કરીને રૂપિયા વસુલ કરતા ટ્રાફીકના જવાન, મેહુલ બોઘરા જે શહેરમાં જાય ત્યાં આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે.

પોલીસ સ્ટેશનની અંદર ધુલાઈ કરવાની ચિમકી આપી..!

મેહુલ બોઘરા ખાલી સોશિયલ મીડિયા નહીં ધરાતલ પર પણ ખુબ લોકપ્રિય છે એ ત્યારે દેખાયુ જ્યારે એમણે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીસ લેનમાં નંબર પ્લેટ વગર અને કાળા કાંચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ વાળા ભાઈનો વિડીયો બનાવ્યો, બદલામાં પેલા ભાઈએ એમના પર હુમલો કર્યો અને પછી એ ફરીયાદ નોંધવા ગયા ત્યારે પોલીસે ફરીયાદ નોંધવાનું તો બાજુ પર મુક્યુ પણ પેલો પોલીસવાળો ભાઈ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મેહુલ બોઘરાની ધુલાઈ કરવાની ચીમકી આપતો હતો.



પોલીસ સ્ટેશનમાં જે થયું તે અસ્વીકાર્ય છે કારણ કે...

તમે મેહુલ બોઘરા સાથે સહમત હોવ કે અસહમત, તમને એ ગમે કે ના ગમે, એમનું કામ તમને સાચુ લાગે કે ખોટું, તમે મેહુલ બોઘરાને શંકાની નજરે જુઓ છો કે સહાનુભુતિની પણ પુણા પોલીસ સ્ટેશનની ઘટનામાં જે થયું એ એટલા માટે અસ્વિકાર્ય છે કેમ કે મેહુલ બોઘરાના સમર્થનમાં ભીડ સોશિયલ મીડિયાથી ઉતરીને જમીન પર આવી હતી, પણ જો બીજો કોઈ સામાન્ય માણસ પોલીસને એની ભૂલ પર કે અપરાધ પર ધ્યાન દોરે તો પોલીસ એની સાથે શું વર્તન કરે! 

તોડ માટે જાણીતા નીકળ્યા પોલીસ કર્મચારી વાલજી હડિયા!

પોલીસનું વર્તન સમજવા માટે તમને એ પોલીસ કર્મચારીની વાત કરવી છે જે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને, પોતે ગુનામાં હોવા છતા મેહુલ બોઘરાને જોઈ લેવાની દમદાટી આપતો હતો, પોલીસ કર્મચારીનું નામ વાલજી હડિયા,ટ્રેકરેકોર્ડ તોડ માટે જાણીતો જ છે, આ પહેલા સુરતના ભાગળમાં સના ટાઈમ્સ નામની દુકાનના માલિક પાસેથી 61લાખની ઘડીયાળો અને 8.5લાખનો તોડ કરવાની વાત હોય કે પછી યુવાનોને બેરહેમીથી મારવાની વાત, આ બધી ખાલી સામે આવેલી વાતો હતી, અંદરોઅંદર કહેવાતુ કે વાલજી હડીયા તો પોતાની આજુબાજુ વાળા પોલીસના કર્મચારીઓને પણ સલાહ આપતો કે ભાઈ તોડ કરો બાકી પોલીસના પગારથી તો તમારુ ઘર નથી ચાલવાનું, 

જે લોકો ખાખીને વેચી શકે એ લોકો રાજ્યને પણ વેચી શકે છે!

ગુજરાત પોલીસની આ અતિશય બદસુરત તસવીર છે, આ તસવીરને વ્યક્ત કરતુ એક કાર્ટુન સુરતમાં જ સંજય નામના ક્રિએટરે બનાવ્યુ છે જેમાં કડક મુછ અને મોટા પેટ સાથેની પોલીસ દેખાઈ રહી છે, જે લોકોના ભરોસે આપણે રાજ્યની વ્યવસ્થાઓ અને સુરક્ષા સોંપીએ છીએ એ લોકો તો સામાન્ય માણસને મારવામાંથી, તોડ કરવામાંથી ઉંચા જ નથી આવતા, જે લોકો ખાખીને વેચી શકે એ લોકો આ રાજ્યને પણ વેચી કાઢે, આવા પોલીસના કર્મીઓ આ રાજ્યની શરમ છે પણ કમનસીબે આવા સડાને ખુલ્લો પાડીને દુર કરવાની જગ્યાએ રાજ્યની પોલીસ જ એમને બચાવવા માટે આવી જાય છે, મેહુલ બોઘરાના કિસ્સામાં પણ આ જ થયું, 



મેહુલ બોઘરા માટે પોલીસ આવું માને છે..

રાજ્યના મોટાભાગના પોલીસ કર્મચારીઓ મેહુલ બોઘરાને પસંદ નથી કરતા કેમ કે તે એવુ માને છે કે બોઘરા પોલીસની છબી ખરાબ કરે છે, સામાન્ય નાગરીકોના મનમાં રાજ્યની પોલીસ માટે દ્વેષ અથવા અણગમો ભરે છે, એક ક્ષણ માટે આ માન્યતાને માની પણ લઈએ તો ય રાજ્યની પોલીસને એ અધિકાર નથી કે પોતે બેફામ બનીને નિયમો તોડે અને કોઈ રોકવા જાય તો એના પર જ વરસી પડે,કમનસીબે હવે મોટાભાગના પોલીસના કર્મચારીઓ મેહુલ બોઘરા તરફથી એક ભૂલ થાય એની પ્રતિક્ષામાં છે કે વારો આવે અને એને ફીટ કરી દઈએ, હવે સોશિયલ મીડિયા અને ઘટના સમયે સ્થળ પર હાજર રહેતા લોકો મેહુલ બોઘરાને કેટલી હદ સુધી સજાગ રાખી શકે છે એના પર મદાર છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.