Surat : Mehul Boghra અને જે Police વચ્ચે બબાલ થઈ હતી તે પોલીસ કર્મી તો પહેલેથી તોડબાજ નીકળ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-28 10:38:42

મેહુલ બોઘરા વિશે તો અનેક લોકો જાણતા હશે પરંતુ જો નથી જાણતા  પાયાની માહિતી તમારા સુધી પહોંચાડવી છે, સુરત શહેરમાં નાગરીકોના હક અને ફરજને લઈને એક્ટીવીઝમ ચર્ચામાં હોય છે, મેહુલ બોઘરા નાગરીક અધિકાર માટે એક્ટીવ છે, વ્યવસાયે વકિલ છે અને જાણીતા છે પોલીસના તોડપાણીને ખુલ્લા પાડવા માટે, નિયમોના ભંગ કરતી પોલીસ દેખાય કે ટ્રાફીકમાં ચાર રસ્તે થોડા તોડપાણી કરીને રૂપિયા વસુલ કરતા ટ્રાફીકના જવાન, મેહુલ બોઘરા જે શહેરમાં જાય ત્યાં આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે.

પોલીસ સ્ટેશનની અંદર ધુલાઈ કરવાની ચિમકી આપી..!

મેહુલ બોઘરા ખાલી સોશિયલ મીડિયા નહીં ધરાતલ પર પણ ખુબ લોકપ્રિય છે એ ત્યારે દેખાયુ જ્યારે એમણે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીસ લેનમાં નંબર પ્લેટ વગર અને કાળા કાંચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ વાળા ભાઈનો વિડીયો બનાવ્યો, બદલામાં પેલા ભાઈએ એમના પર હુમલો કર્યો અને પછી એ ફરીયાદ નોંધવા ગયા ત્યારે પોલીસે ફરીયાદ નોંધવાનું તો બાજુ પર મુક્યુ પણ પેલો પોલીસવાળો ભાઈ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મેહુલ બોઘરાની ધુલાઈ કરવાની ચીમકી આપતો હતો.



પોલીસ સ્ટેશનમાં જે થયું તે અસ્વીકાર્ય છે કારણ કે...

તમે મેહુલ બોઘરા સાથે સહમત હોવ કે અસહમત, તમને એ ગમે કે ના ગમે, એમનું કામ તમને સાચુ લાગે કે ખોટું, તમે મેહુલ બોઘરાને શંકાની નજરે જુઓ છો કે સહાનુભુતિની પણ પુણા પોલીસ સ્ટેશનની ઘટનામાં જે થયું એ એટલા માટે અસ્વિકાર્ય છે કેમ કે મેહુલ બોઘરાના સમર્થનમાં ભીડ સોશિયલ મીડિયાથી ઉતરીને જમીન પર આવી હતી, પણ જો બીજો કોઈ સામાન્ય માણસ પોલીસને એની ભૂલ પર કે અપરાધ પર ધ્યાન દોરે તો પોલીસ એની સાથે શું વર્તન કરે! 

તોડ માટે જાણીતા નીકળ્યા પોલીસ કર્મચારી વાલજી હડિયા!

પોલીસનું વર્તન સમજવા માટે તમને એ પોલીસ કર્મચારીની વાત કરવી છે જે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને, પોતે ગુનામાં હોવા છતા મેહુલ બોઘરાને જોઈ લેવાની દમદાટી આપતો હતો, પોલીસ કર્મચારીનું નામ વાલજી હડિયા,ટ્રેકરેકોર્ડ તોડ માટે જાણીતો જ છે, આ પહેલા સુરતના ભાગળમાં સના ટાઈમ્સ નામની દુકાનના માલિક પાસેથી 61લાખની ઘડીયાળો અને 8.5લાખનો તોડ કરવાની વાત હોય કે પછી યુવાનોને બેરહેમીથી મારવાની વાત, આ બધી ખાલી સામે આવેલી વાતો હતી, અંદરોઅંદર કહેવાતુ કે વાલજી હડીયા તો પોતાની આજુબાજુ વાળા પોલીસના કર્મચારીઓને પણ સલાહ આપતો કે ભાઈ તોડ કરો બાકી પોલીસના પગારથી તો તમારુ ઘર નથી ચાલવાનું, 

જે લોકો ખાખીને વેચી શકે એ લોકો રાજ્યને પણ વેચી શકે છે!

ગુજરાત પોલીસની આ અતિશય બદસુરત તસવીર છે, આ તસવીરને વ્યક્ત કરતુ એક કાર્ટુન સુરતમાં જ સંજય નામના ક્રિએટરે બનાવ્યુ છે જેમાં કડક મુછ અને મોટા પેટ સાથેની પોલીસ દેખાઈ રહી છે, જે લોકોના ભરોસે આપણે રાજ્યની વ્યવસ્થાઓ અને સુરક્ષા સોંપીએ છીએ એ લોકો તો સામાન્ય માણસને મારવામાંથી, તોડ કરવામાંથી ઉંચા જ નથી આવતા, જે લોકો ખાખીને વેચી શકે એ લોકો આ રાજ્યને પણ વેચી કાઢે, આવા પોલીસના કર્મીઓ આ રાજ્યની શરમ છે પણ કમનસીબે આવા સડાને ખુલ્લો પાડીને દુર કરવાની જગ્યાએ રાજ્યની પોલીસ જ એમને બચાવવા માટે આવી જાય છે, મેહુલ બોઘરાના કિસ્સામાં પણ આ જ થયું, 



મેહુલ બોઘરા માટે પોલીસ આવું માને છે..

રાજ્યના મોટાભાગના પોલીસ કર્મચારીઓ મેહુલ બોઘરાને પસંદ નથી કરતા કેમ કે તે એવુ માને છે કે બોઘરા પોલીસની છબી ખરાબ કરે છે, સામાન્ય નાગરીકોના મનમાં રાજ્યની પોલીસ માટે દ્વેષ અથવા અણગમો ભરે છે, એક ક્ષણ માટે આ માન્યતાને માની પણ લઈએ તો ય રાજ્યની પોલીસને એ અધિકાર નથી કે પોતે બેફામ બનીને નિયમો તોડે અને કોઈ રોકવા જાય તો એના પર જ વરસી પડે,કમનસીબે હવે મોટાભાગના પોલીસના કર્મચારીઓ મેહુલ બોઘરા તરફથી એક ભૂલ થાય એની પ્રતિક્ષામાં છે કે વારો આવે અને એને ફીટ કરી દઈએ, હવે સોશિયલ મીડિયા અને ઘટના સમયે સ્થળ પર હાજર રહેતા લોકો મેહુલ બોઘરાને કેટલી હદ સુધી સજાગ રાખી શકે છે એના પર મદાર છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.