Suratના ધારાસભ્ય Kumar kananiએ લખ્યો પત્ર, આણંદ પોલીસ પર લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-07 10:00:51

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનું નામ જ્યારે પડે ત્યારે મનમાં લેટર બોમ્બ શબ્દ યાદ આવી જતો હોય છે. પત્રો લખી ધારાસભ્યએ અનેક વખત તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિવિધ મુદ્દે તેમણે પત્ર પણ લખ્યો છે. ત્યારે વધુ એક પત્ર તેમણે પોલીસકર્મીઓને લઈ હર્ષ સંઘવીને લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોના વાહનોને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. તોડબાજીના હેતુથી વાહનનો રોકવામાં આવે છે. આણંદના 15થી 20 કર્મીઓ સુરત પાસિંગની ગાડીઓ રોકે છે તેવા આરોપ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના પત્રમાં લગાવ્યા છે. 

Image

સુરતથી સૌરાષ્ટ્ર જતી બસોને પોલીસનું ટોળું રોકે છે!

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવે છે. સામાન્ય લોકોને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા આપણે જોયા હશે પરંતુ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતો પત્ર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે. પત્ર લખી ભાજપના જ ધારાસભ્યએ અનેક વખત કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાંત લોકોને પડતી મુશ્કેલીઓની વાત પણ તેમના પત્રમાં જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક પત્ર તેમણે લખ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે વાસદ ટોલનાકા પાસે સુરત પાસિંગ ગાડીઓને રોકી વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે. સુરતથી સૌરાષ્ટ્ર જતી ગાડીઓને રોકવામાં આવે અને વાહનચાલકને હેરાન કરવામાં આવે છે. 15થી 20ના ટોળામાં પોલીસ કારચાલકને રોકે છે.


સુરતના ધારાસભ્યએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ 

રસ્તા પર વાહન લઈને નિકળીએ ત્યારે પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે તેવો અનુભવ આપણામાંથી અનેક લોકોએ કર્યો હશે. વાહનને રોકવામાં આવે છે, ડોક્યુમેન્ટ માગવામાં આવે છે અને તોડપાણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં લોકો મેમો ન ભરવો પડે તે માટે તોડપાણી કરી દેતા હોય છે. ગુજરાતમાં જ એક જિલ્લામાંથી બીજા જિલ્લા પાસિંગની કાર જાય છે તો તેને અનેક વખત રોકવામાં આવતી હોય છે પોલીસ દ્વારા. વાહનનું ચેકિંગ કરવામાં આવે છે ઉપરાંત ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરવામાં આવે છે. કદાચ તમને પણ આવો અનુભવ થયો હશે કોઈ વાર. ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


પત્રમાં કઈ કઈ વાતોનો કરાયો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે લખ્યું છે કે વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના લોકોની કાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભા રહી કારને ઉભી રાખે છે. ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માગણી કરવામાં આવે છે. તેવા આક્ષેપો પણ કર્યા છે કે તોડબાજીના હેતુસર વાહનમાલિકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. ઉપરાંત વાહનચાલક મોબાઈલ પર વાત કરવા માગે તો પોલીસ ફોનને પણ જપ્ત કરી લે છે. ત્યારે આ બાબતનું જલ્દી નિરાકરણ આવે તે માટે કુમાર કાનાણીએ પત્ર લખી રજૂઆત કરી છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.