સુરત મ્યુનિ.ના લાંચિયા અધિકારી અને પટાવાળાને ACBએ 2.50 લાખની લાંચ લેતા ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2023-12-12 21:06:46

રાજ્યમાં લાંચિયા સરકારી અધિકારી સામે એન્ટીકરપ્શન બ્યુરો ઝુંબેશ રંગ લાવી રહી છે. લાખો રૂપિયાના પગારદાર હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી સરકારી કામને નુકસાન પહોંચાડતા આવા ભ્રષ્ટ અધિકારીઓને ACB દ્વારા છટકું ગોઠવીને પકડવામાં આવે છે. સુરત (Surat) ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બન્નેને ACB એ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.


કઈ રીતે ઝડપાયા?


ACBએ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે. મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈ ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું ગોઠવી પટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા ચીફ એકાઉન્ટટએ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પટાવાળાને લાંચની રક્મ સ્વીકારવા જણાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


અગાઉ SMCનો એન્જિનિયર ઝડપાયો હતો


અગાઉ ACBએ સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં જુનિયર ઈલેક્ટ્રિકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડેનિસ બારડોલી અને એન્ટીકરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતો. સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોની મરામત કરવાનો ઇજારો ધરાવતા ઇજારદારનું બિલ ચૂકવવા માટે અઠવા ઝોનમાં ફરજ બજાવતા જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનીસ બારડોલીયાએ 1 ટકા જેટલી રકમની માંગણી કરી હતી એટલે કે ઈજાદારનું 47,11,000નું બિલ ચૂકવવા માટે 20,000 એટલે કુલ 40 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.