સુરત મ્યુનિ.ના લાંચિયા અધિકારી અને પટાવાળાને ACBએ 2.50 લાખની લાંચ લેતા ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2023-12-12 21:06:46

રાજ્યમાં લાંચિયા સરકારી અધિકારી સામે એન્ટીકરપ્શન બ્યુરો ઝુંબેશ રંગ લાવી રહી છે. લાખો રૂપિયાના પગારદાર હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી સરકારી કામને નુકસાન પહોંચાડતા આવા ભ્રષ્ટ અધિકારીઓને ACB દ્વારા છટકું ગોઠવીને પકડવામાં આવે છે. સુરત (Surat) ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બન્નેને ACB એ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.


કઈ રીતે ઝડપાયા?


ACBએ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે. મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈ ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું ગોઠવી પટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા ચીફ એકાઉન્ટટએ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પટાવાળાને લાંચની રક્મ સ્વીકારવા જણાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


અગાઉ SMCનો એન્જિનિયર ઝડપાયો હતો


અગાઉ ACBએ સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં જુનિયર ઈલેક્ટ્રિકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડેનિસ બારડોલી અને એન્ટીકરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતો. સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોની મરામત કરવાનો ઇજારો ધરાવતા ઇજારદારનું બિલ ચૂકવવા માટે અઠવા ઝોનમાં ફરજ બજાવતા જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનીસ બારડોલીયાએ 1 ટકા જેટલી રકમની માંગણી કરી હતી એટલે કે ઈજાદારનું 47,11,000નું બિલ ચૂકવવા માટે 20,000 એટલે કુલ 40 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.