Surat : ચોકલેટની લાલચ આપી પહેલા નરાધમે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને પછી માસુમને પીંખી નાખી,


  • Published By :
  • Published Date : 2024-02-22 12:58:29

એક સમય હતો જ્યારે ગુજરાતને દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાની નાની બાળકી લોકોના હવસનો શિકાર બની રહી છે. એવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં એટલી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તે જોતા લાગે છે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની નાની બાળકી પર નરાધમે નજર બગાડી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોકલેટની લાલચ આપીને નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પકડી પાડ્યો છે. 

નરાધમ ચોકલેટ આપવાની લાલચે લઈ ગયો


નાની ઉંમરની બાળકીઓ પર આચરવામાં આવી રહ્યું છે દુષ્કર્મ 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની માનસિક્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી રહ્યા છે! માસુમ દીકરીઓને નરાધમો પીંખી રહ્યા છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં જે બાળકીઓ હવસનો શિકાર બની રહી છે તેમની ઉંમર 5 વર્ષ કે તેમનાથી ઓછીની હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવામાં આવે છે કે પંડોળ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ. ફરિયાદ કરાતા બાળકીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. 


અલગ અલગ ટીમો બનાવી પોલીસે શોધખોળ હાથ ધરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર અપહરણ કર્યા બાદ માસુમ બાળકીને નરાધમ એવી જગ્યા પર લઈ ગયો જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકી રડવા લાગી અને તે બાદ તે યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો. બાળકીને ત્યાંની ત્યાં મૂકી આરોપીએ ચાલતી પકડી. બાળકીને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી. વિવિધ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ ચાલુ રાખી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસની ટીમ પહોંચી ગઈ જ્યાં બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી.બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી છે. ચોકલેટની લાલચ આપી બાળકીને નરાધમ લઈ ગયો હતો અને આ દુષ્કૃત્ય આચર્યું હતું, 


ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો નરાધમને! 

સારવાર અર્થે જ્યારે દીકરીને ખસેડવામાં આવી ત્યારે તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી સામે આવી. આ બાદ પોલીસે નરાધમને શોધવાની તજવીજ હાથ ધરી અને માત્ર થોડા કલાકોની અંદર નરાધમને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.