Surat : ચોકલેટની લાલચ આપી પહેલા નરાધમે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને પછી માસુમને પીંખી નાખી,


  • Published By :
  • Published Date : 2024-02-22 12:58:29

એક સમય હતો જ્યારે ગુજરાતને દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાની નાની બાળકી લોકોના હવસનો શિકાર બની રહી છે. એવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં એટલી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તે જોતા લાગે છે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની નાની બાળકી પર નરાધમે નજર બગાડી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોકલેટની લાલચ આપીને નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પકડી પાડ્યો છે. 

નરાધમ ચોકલેટ આપવાની લાલચે લઈ ગયો


નાની ઉંમરની બાળકીઓ પર આચરવામાં આવી રહ્યું છે દુષ્કર્મ 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની માનસિક્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી રહ્યા છે! માસુમ દીકરીઓને નરાધમો પીંખી રહ્યા છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં જે બાળકીઓ હવસનો શિકાર બની રહી છે તેમની ઉંમર 5 વર્ષ કે તેમનાથી ઓછીની હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવામાં આવે છે કે પંડોળ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ. ફરિયાદ કરાતા બાળકીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. 


અલગ અલગ ટીમો બનાવી પોલીસે શોધખોળ હાથ ધરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર અપહરણ કર્યા બાદ માસુમ બાળકીને નરાધમ એવી જગ્યા પર લઈ ગયો જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકી રડવા લાગી અને તે બાદ તે યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો. બાળકીને ત્યાંની ત્યાં મૂકી આરોપીએ ચાલતી પકડી. બાળકીને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી. વિવિધ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ ચાલુ રાખી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસની ટીમ પહોંચી ગઈ જ્યાં બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી.બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી છે. ચોકલેટની લાલચ આપી બાળકીને નરાધમ લઈ ગયો હતો અને આ દુષ્કૃત્ય આચર્યું હતું, 


ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો નરાધમને! 

સારવાર અર્થે જ્યારે દીકરીને ખસેડવામાં આવી ત્યારે તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી સામે આવી. આ બાદ પોલીસે નરાધમને શોધવાની તજવીજ હાથ ધરી અને માત્ર થોડા કલાકોની અંદર નરાધમને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.