Surat : ચોકલેટની લાલચ આપી પહેલા નરાધમે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને પછી માસુમને પીંખી નાખી,


  • Published By :
  • Published Date : 2024-02-22 12:58:29

એક સમય હતો જ્યારે ગુજરાતને દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાની નાની બાળકી લોકોના હવસનો શિકાર બની રહી છે. એવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં એટલી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તે જોતા લાગે છે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની નાની બાળકી પર નરાધમે નજર બગાડી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોકલેટની લાલચ આપીને નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પકડી પાડ્યો છે. 

નરાધમ ચોકલેટ આપવાની લાલચે લઈ ગયો


નાની ઉંમરની બાળકીઓ પર આચરવામાં આવી રહ્યું છે દુષ્કર્મ 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની માનસિક્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી રહ્યા છે! માસુમ દીકરીઓને નરાધમો પીંખી રહ્યા છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં જે બાળકીઓ હવસનો શિકાર બની રહી છે તેમની ઉંમર 5 વર્ષ કે તેમનાથી ઓછીની હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવામાં આવે છે કે પંડોળ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ. ફરિયાદ કરાતા બાળકીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. 


અલગ અલગ ટીમો બનાવી પોલીસે શોધખોળ હાથ ધરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર અપહરણ કર્યા બાદ માસુમ બાળકીને નરાધમ એવી જગ્યા પર લઈ ગયો જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકી રડવા લાગી અને તે બાદ તે યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો. બાળકીને ત્યાંની ત્યાં મૂકી આરોપીએ ચાલતી પકડી. બાળકીને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી. વિવિધ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ ચાલુ રાખી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસની ટીમ પહોંચી ગઈ જ્યાં બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી.બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી છે. ચોકલેટની લાલચ આપી બાળકીને નરાધમ લઈ ગયો હતો અને આ દુષ્કૃત્ય આચર્યું હતું, 


ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો નરાધમને! 

સારવાર અર્થે જ્યારે દીકરીને ખસેડવામાં આવી ત્યારે તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી સામે આવી. આ બાદ પોલીસે નરાધમને શોધવાની તજવીજ હાથ ધરી અને માત્ર થોડા કલાકોની અંદર નરાધમને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે