લ્યો બોલો! સુરત પોલીસનો ASI જ 624 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો, પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી


  • Published By :
  • Published Date : 2023-08-01 20:03:08

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની દરરોજ ફજેતી થાય છે, પર દારૂ ઢીંચીને ફરતા લોકો રાજ્યના તમામ મોટા શહેરોમાં જોવા મળે છે. જો કે હવે તો ત્યારે થાય છે જ્યારે ગુજરાત પોલીસના ASI જ દારૂ ભરેલી પેટી સાથે ઝડપાય છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતો રોનક નજુમુદ્દીન હિરાણી વાપીના ડુંગરા પોલીસના હાથે વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સુરતના ASI રોનક નજુમુદ્દીન હિરાણીને ડુંગરા પોલીસે 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ડુંગરા પોલીસે આ બુટલેગર ASIની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી

 

વલસાડ જિલ્લાના વાપીના નાની તંબાડી ચાર રસ્તા પાસેથી ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી સુરત તરફ જતી બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાંથી 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસ જવાન અને એક ખેડૂત પુત્ર 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વપીની ડુંગરા પોલોસે ઝડપી પાડયા હતા. ડુંગરા પોલીસની ટીમે દારૂનો જથ્થો અને કાર તેમજ 4 મોબાઈલ મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડુંગરા પોલોસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવાસના રિમાન્ડ મેળવ્યા હતા. ASI રોનક નજુમુદ્દીન હિરાણી પોલીસના ચેકીંગથી બચવા માટે કારની આગળ પોલીસની પ્લેટ લગાવી રાખતો હતો. કોઈપણ જગ્યાએ પોલીસ જવાનો કાર અટકાવે તો તે પોલીસ સ્ટાફનો કહીંને પોલીસ ચેકીંગથી બચી જતો હતો.


કઈ રીતે ઝડપાયો  ASI રોનક નજુમુદ્દીન હિરાણી


વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર નં. GJ-13-AM-9193માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસેથી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતો. જે દરમ્યાન બાતમવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારની ડ્રાયવર સીટ આગળ પોલીસ લખલું પાટિયું મારેલું હતું. તે કારમાં ડુંગરા પોલીસે ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.