લ્યો બોલો! સુરત પોલીસનો ASI જ 624 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો, પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી


  • Published By :
  • Published Date : 2023-08-01 20:03:08

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની દરરોજ ફજેતી થાય છે, પર દારૂ ઢીંચીને ફરતા લોકો રાજ્યના તમામ મોટા શહેરોમાં જોવા મળે છે. જો કે હવે તો ત્યારે થાય છે જ્યારે ગુજરાત પોલીસના ASI જ દારૂ ભરેલી પેટી સાથે ઝડપાય છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતો રોનક નજુમુદ્દીન હિરાણી વાપીના ડુંગરા પોલીસના હાથે વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સુરતના ASI રોનક નજુમુદ્દીન હિરાણીને ડુંગરા પોલીસે 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ડુંગરા પોલીસે આ બુટલેગર ASIની ધરપકડ કરી વાપી કોર્ટમાં રજૂ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસની પ્લેટ રાખી દારૂની તસ્કરી

 

વલસાડ જિલ્લાના વાપીના નાની તંબાડી ચાર રસ્તા પાસેથી ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી સુરત તરફ જતી બાતમીવાળી કારને અટકાવી ચેક કરતા કારમાંથી 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસ જવાન અને એક ખેડૂત પુત્ર 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વપીની ડુંગરા પોલોસે ઝડપી પાડયા હતા. ડુંગરા પોલીસની ટીમે દારૂનો જથ્થો અને કાર તેમજ 4 મોબાઈલ મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડુંગરા પોલોસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવાસના રિમાન્ડ મેળવ્યા હતા. ASI રોનક નજુમુદ્દીન હિરાણી પોલીસના ચેકીંગથી બચવા માટે કારની આગળ પોલીસની પ્લેટ લગાવી રાખતો હતો. કોઈપણ જગ્યાએ પોલીસ જવાનો કાર અટકાવે તો તે પોલીસ સ્ટાફનો કહીંને પોલીસ ચેકીંગથી બચી જતો હતો.


કઈ રીતે ઝડપાયો  ASI રોનક નજુમુદ્દીન હિરાણી


વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર નં. GJ-13-AM-9193માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસેથી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતો. જે દરમ્યાન બાતમવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારની ડ્રાયવર સીટ આગળ પોલીસ લખલું પાટિયું મારેલું હતું. તે કારમાં ડુંગરા પોલીસે ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.