Surat પોલીસે વકીલનો વેશપલટો કરી 31 વર્ષથી ફરાર આરોપીને પકડી લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 11:46:45

ગુજરાત પોલીસે વકીલનો વેશપલટો કર્યો અને 31 વર્ષથી ફરાર રહેલા રીઢા ગુનેગારને ઝડપી પડ્યો, જવાનીમાં ગુનાઓ કર્યા અને હવે વૃદ્ધાવસ્થામાં જેલ ભેગો થશે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ એક્ટના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પડ્યો છે. આ આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં પણ હથિયારો સપ્લાયના ગુનામાં પાંચ વર્ષથી વોન્ટેડ હતો. ત્યારે આ રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેની કોર્ટ બહારથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા વકીલનો વેશપલટો કરી વોચ રાખી હતી. કોર્ટમાં હાજરી આપવા આવતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી 40 વર્ષથી હથિયારો બનાવી દેશભરમાં વેચતો હતો.

પોલીસને આરોપીની જાણકારી મળતા જ પહોંચી ગઈ મહારાષ્ટ્ર 

સુરત ક્રાઈમ બ્રાન્ચના કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા છે. જેની ઉંમર 70 વર્ષની છે સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.


1993થી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો! 

70 વર્ષીય મોહન સિંહ ડાબર સામે 1993માં નોંધાયો હતો કેસ અને પછી આટલા વર્ષોથી આ આરોપી ફરાર હતો. છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે. આ સ્ટોરી પરથી શીખવા મળે છે કે જવાનીના જોશમાં થયેલી ભૂલો આખી ઝીંદગી બરબાદ કરી નાખતી હોય છે



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે