Surat : Policeએ ઝડપી પાડ્યું નકલી ચલણી નોટ છાપતું કારખાનું! જાણો કેવી રીતે છપાતી હતી નકલી ચલણી નોટ?


  • Published By :
  • Published Date : 2024-05-23 16:20:32

નકલી કચેરી, નકલી અધિકારી, નકલી ખાદ્ય પદાર્થો મળવાના કિસ્સાઓ આપણને ખબર છે.. પરંતુ હવે તો નોટો પણ નકલી છપાવા લાગી.. સુરતથી કંઈ આવો જ કિસ્સો સામે આવ્યો છે.. સાપ્તાહિક અખબારની ઓફિસમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે.. નકલી નોટો બનાવાનો ધંધો ચાલતો..! પોલીસે  9.36 લાખ જેટલાની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે કોણ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે..

સુરત પોલીસે કર્યો પર્દાફાશ!

યુટ્યુબનો ઉપયોગ સામાન્ય રીતે આપણે સારૂં જ્ઞાન મેળવવા માટે કરતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો આનો દુરુપયોગ કરે છે.. લોકોને કેવી રીતે છેતરવા, કેવી રીતે કૌભાંડ આચરવું વગેરે વગેરે જાણવા માટે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે..! આવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે સુરતથી જે કિસ્સો સામે આવ્યો છે તેમાં કંઈક આવા જ પ્રકારનું બન્યું છે.. સુરત પોલીસે નકલી ચલણી નોટ બનાવાનો પદાર્ફાશ કર્યો છે.. પોલીસે નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.. 


યુટ્યુબ પરથી શીખ્યો નકલી નોટો બનાવાનું? 

સુરત પોલીસે વેશ બદલીને રેડ પાડી અને મળ્યું આખું નકલી નોટો છાપતું કારખાનું ઝડપી પાડ્યું. પોલીસને 9 લાખની 500, 200ની ડુપ્લિકેટ નોટો મળી આવી.. સવાલ થાય કે આ નકલી નોટો બનવાનું કારખાનું કઈ રીતે ચાલતું હશે તો આરોપી ફિરોઝ શાહે YouTube ઉપર વીડિયો જોઈ નકલી ભારતીય ચલણી નોટો કેવી રીતે બનાવો તે જાણી રહ્યો હતો. યુ ટ્યુબથી નકલી ચલણી નોટો બનાવતા શીખ્યો. કલર પ્રિન્ટર, અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો તેણે ખરીદ્યા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન ખરીદી અને શરૂ કરી દીધું નકલી કારખાનું... 


નકલી નોટો બનાવતા કારખાનામાં પોલીસે રેડ પાડી...

એક વેબસીરિઝ હતી ફરઝી જો તમે જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે એમ નકલી નોટો બનાવવાનો ધંધો ચાલતો હતો.. ફર્ઝી વેબસિરીઝની જેમ જ આરોપીઓએ પણ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ફિરોઝ તેના બે ભાગીદાર બાબુલાલ અને શફીક સાથે તેની લિંબાયત મદિના મસ્જિદ પાછળ આવેલી SH ન્યૂઝ 24X7 નામની ચેનલ અને સુરત હેરલ્ડ સાપ્તાહિકની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છપાતી હોવાની માહિતી સામે આવી . રેડ પાડી અને સમગ્ર મામલો સામે આવ્યો.. પોલીસે 9.36 લાખની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપરો, એક કલર પ્રિન્ટર, કટર મશીન નંગ, લીલા રંગની શાહી વાળી બોલપેન સહિતની સામગ્રી જપ્ત કરી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.