સુરત પોલીસે ડ્રગ્સ વેચનારા મા-દિકરાને મુંબઈથી ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:29:37

ડ્રગ્સના પ્રવેશદ્વાર ગુજરાતમાં ગુજરાત પોલીસે ફરીવાર વધુ એક ડ્રગ્સ કનેક્શન પર કામગીરી કરી છે. સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સનું વેચાણ કરનાર યુવકની ધરપકડ કરી છે. સુરત પોલીસે મુંબઈના નાલા સોપારાથી ડ્રગ્સ વેચનારા માતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે. 


ડ્રગ પેડલર મા-દિકરાની જોડીને પોલીસે ઝડપી 

29 સપ્ટેમ્બરે સુરતના પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેના છેડા પોલીસને મુંબઈમાં મળી આવ્યા હતા. સુરત પોલીસે મુંબઈના નાલાસોપારાના કૌશર ઈમરાન અને સફાતખાનની ધરપકડ કરી છે. આ બંને આરોપી મા-દિકરો છે. કૌશર ઈમરાન અગાઉ પણ ચરસ સાથે ઝડપાઈ હતી.   


ડ્રગ્સ લઈ રહ્યું છે ગુજરાત 

મુંબઈથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે તેનો સીધો મતલબ થાય છે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે. જો ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ન થતું હોય તો ડ્રગ્સ ગુજરાતથી અન્ય રાજ્યમાં જાય, પરંતુ અહીં ઉંધું છે અહીં અન્ય રાજ્યથી ડ્રગ્સ સીધુ ગુજરાતમાં આવી રહ્યું છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી