સુરત પોલીસે ડ્રગ્સ વેચનારા મા-દિકરાને મુંબઈથી ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:29:37

ડ્રગ્સના પ્રવેશદ્વાર ગુજરાતમાં ગુજરાત પોલીસે ફરીવાર વધુ એક ડ્રગ્સ કનેક્શન પર કામગીરી કરી છે. સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સનું વેચાણ કરનાર યુવકની ધરપકડ કરી છે. સુરત પોલીસે મુંબઈના નાલા સોપારાથી ડ્રગ્સ વેચનારા માતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે. 


ડ્રગ પેડલર મા-દિકરાની જોડીને પોલીસે ઝડપી 

29 સપ્ટેમ્બરે સુરતના પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેના છેડા પોલીસને મુંબઈમાં મળી આવ્યા હતા. સુરત પોલીસે મુંબઈના નાલાસોપારાના કૌશર ઈમરાન અને સફાતખાનની ધરપકડ કરી છે. આ બંને આરોપી મા-દિકરો છે. કૌશર ઈમરાન અગાઉ પણ ચરસ સાથે ઝડપાઈ હતી.   


ડ્રગ્સ લઈ રહ્યું છે ગુજરાત 

મુંબઈથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે તેનો સીધો મતલબ થાય છે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે. જો ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ન થતું હોય તો ડ્રગ્સ ગુજરાતથી અન્ય રાજ્યમાં જાય, પરંતુ અહીં ઉંધું છે અહીં અન્ય રાજ્યથી ડ્રગ્સ સીધુ ગુજરાતમાં આવી રહ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે