સુરત પોલીસે ડ્રગ્સ વેચનારા મા-દિકરાને મુંબઈથી ઝડપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:29:37

ડ્રગ્સના પ્રવેશદ્વાર ગુજરાતમાં ગુજરાત પોલીસે ફરીવાર વધુ એક ડ્રગ્સ કનેક્શન પર કામગીરી કરી છે. સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સનું વેચાણ કરનાર યુવકની ધરપકડ કરી છે. સુરત પોલીસે મુંબઈના નાલા સોપારાથી ડ્રગ્સ વેચનારા માતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે. 


ડ્રગ પેડલર મા-દિકરાની જોડીને પોલીસે ઝડપી 

29 સપ્ટેમ્બરે સુરતના પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેના છેડા પોલીસને મુંબઈમાં મળી આવ્યા હતા. સુરત પોલીસે મુંબઈના નાલાસોપારાના કૌશર ઈમરાન અને સફાતખાનની ધરપકડ કરી છે. આ બંને આરોપી મા-દિકરો છે. કૌશર ઈમરાન અગાઉ પણ ચરસ સાથે ઝડપાઈ હતી.   


ડ્રગ્સ લઈ રહ્યું છે ગુજરાત 

મુંબઈથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે તેનો સીધો મતલબ થાય છે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે. જો ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ન થતું હોય તો ડ્રગ્સ ગુજરાતથી અન્ય રાજ્યમાં જાય, પરંતુ અહીં ઉંધું છે અહીં અન્ય રાજ્યથી ડ્રગ્સ સીધુ ગુજરાતમાં આવી રહ્યું છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.