Surat : ભાજપમાં ફરી થશે ભરતી મેળો! AAPના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિત પાસના અનેક કાર્યકર્તાઓ કેસરિયો કરશે ધારણ?


  • Published By :
  • Published Date : 2024-04-23 18:13:35

જ્યારે કોઈ પણ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણી અંતરાત્મા કહેતી હોય છે કે આજે નહીં તો કાલે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.. માત્ર રાહ જોવાની જરૂર છે...! ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અચાનક નેતાઓની સૂઈ ગયેલી અંતરાત્મા જાગે છે અને તેમને કહે છે કે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે...! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવિયા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તેમના સાથે પાસના 200 જેટલા કાર્યકરો પણ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે..


આપમાંથી બંને નેતાઓએ થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

એક સમય હતો જ્યારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને કારણે આ બેઠક ચર્ચાઈ રહી હતી.. પરંતુ ગઈકાલથી સમગ્ર દેશમાં સુરત લોકસભા બેઠક ચર્ચામાં આવી.. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. વગર મતદાન કરે સુરતીઓને ચૂંટણી પહેલા તેના સાંસદ મળી ગયા... તમને લાગતું હશે કે સુરતની ચર્ચા મુકેશ દલાલને કારણે થઈ રહી છે પરંતુ ના, અહીંયા સુરતની ચર્ચા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાને કારણે થઈ રહી છે.. અને એ નેતા છે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા... 


અલ્પેશ કથીરિયા - ધાર્મિક માલવિયા જોડાઈ શકે છે ભાજપમાં!

આ બંને નેતાઓએ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો.. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો.. આ બંને નેતાઓએ જ્યારથી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી એક સવાલ થઈ લોકોના મનમાં હતો, એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર વહેતા થયા છે કે બહુ જલ્દી તેઓ કેસરિયો ધારણ કરી શકે છે.. 


200 કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં!

મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં પાસના કાર્યકરોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. ભાજપમાં ના માત્ર આ બે નેતાઓ જોડાશે પરંતુ તેમની સાથે 200 કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે... મહત્વનું છે કે ગુજરાતમાં પક્ષપલટો કરવો જાણે સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા સમયમાં અનેક રાજનેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક ધારાસભ્યોએ પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે.. ત્યારે જોવું રહ્યું કે આપના પૂર્વ નેતાઓ કેસરિયો ધારણ કરે છે કે નહીં?      



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે