Surat : ભાજપમાં ફરી થશે ભરતી મેળો! AAPના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિત પાસના અનેક કાર્યકર્તાઓ કેસરિયો કરશે ધારણ?


  • Published By :
  • Published Date : 2024-04-23 18:13:35

જ્યારે કોઈ પણ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણી અંતરાત્મા કહેતી હોય છે કે આજે નહીં તો કાલે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.. માત્ર રાહ જોવાની જરૂર છે...! ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અચાનક નેતાઓની સૂઈ ગયેલી અંતરાત્મા જાગે છે અને તેમને કહે છે કે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દે...! આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવિયા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તેમના સાથે પાસના 200 જેટલા કાર્યકરો પણ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે..


આપમાંથી બંને નેતાઓએ થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

એક સમય હતો જ્યારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને કારણે આ બેઠક ચર્ચાઈ રહી હતી.. પરંતુ ગઈકાલથી સમગ્ર દેશમાં સુરત લોકસભા બેઠક ચર્ચામાં આવી.. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. વગર મતદાન કરે સુરતીઓને ચૂંટણી પહેલા તેના સાંસદ મળી ગયા... તમને લાગતું હશે કે સુરતની ચર્ચા મુકેશ દલાલને કારણે થઈ રહી છે પરંતુ ના, અહીંયા સુરતની ચર્ચા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાને કારણે થઈ રહી છે.. અને એ નેતા છે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા... 


અલ્પેશ કથીરિયા - ધાર્મિક માલવિયા જોડાઈ શકે છે ભાજપમાં!

આ બંને નેતાઓએ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો.. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો.. આ બંને નેતાઓએ જ્યારથી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી એક સવાલ થઈ લોકોના મનમાં હતો, એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર વહેતા થયા છે કે બહુ જલ્દી તેઓ કેસરિયો ધારણ કરી શકે છે.. 


200 કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં!

મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં પાસના કાર્યકરોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. ભાજપમાં ના માત્ર આ બે નેતાઓ જોડાશે પરંતુ તેમની સાથે 200 કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે... મહત્વનું છે કે ગુજરાતમાં પક્ષપલટો કરવો જાણે સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા સમયમાં અનેક રાજનેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક ધારાસભ્યોએ પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે.. ત્યારે જોવું રહ્યું કે આપના પૂર્વ નેતાઓ કેસરિયો ધારણ કરે છે કે નહીં?      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે