સુરતના ડિંડોલી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોએ શુદ્ધીકરણ માટે ગંગાજળ છાંટ્યું, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-23 16:22:16

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ જબરદસ્ત હોબાળો મચી ગયો છે. શહેરના હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા છે. હિંદુ સંગઠનોના કાર્યકરો બીજા દિવસની રાત્રે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, અને જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.


108 લોકોની ટીમે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ

 

હિન્દુ સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનો આ બગીચો સાર્વજનિક છે અને લોકો અહીં સવાર-સાંજ ફરવા આવે છે. આ બગીચો છઠ સરોવર ગાર્ડન તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં છઠ્ઠના તહેવારની મોટી પૂજા થાય છે, અહીં લોકોની ધાર્મિક લાગણી ગાર્ડન સાથે જોડાયેલી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમુદાયના બે લોકો સાંજના સમયે નમાઝ પઢતા જોવા મળે છે અને કેટલાક બાળકો તેમની આસપાસ રમતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો મેદાને આવ્યા હતા. વીડિયો વાયરલ થયાના બીજા દિવસે હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા હતા. હિન્દુ સંગઠનના કાર્યકરોએ 108 લોકોની ટીમ બનાવીને અમે પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને મંત્રો સાથે અહીં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બજરંગ સેનાના લિંબાયત જિલ્લા મંત્રીએ જણાવ્યું કે,અહીં વાત માત્ર નમાઝની નથી, કેટલાક અરાજક તત્વો જેઓ અધાર્મિક છે જેઓ અહીં શાળાએ જતી અમારી બહેનો અને દીકરીઓ સાથે બેસે છે. હું માતાપિતાને વિનંતી કરવા માંગુ છું કે તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે તેના પર નજર રાખો. શાળાએ જવું અથવા બીજે ક્યાંક જાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.