સુરતના ડિંડોલી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોએ શુદ્ધીકરણ માટે ગંગાજળ છાંટ્યું, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-23 16:22:16

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ જબરદસ્ત હોબાળો મચી ગયો છે. શહેરના હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા છે. હિંદુ સંગઠનોના કાર્યકરો બીજા દિવસની રાત્રે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, અને જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.


108 લોકોની ટીમે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ

 

હિન્દુ સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનો આ બગીચો સાર્વજનિક છે અને લોકો અહીં સવાર-સાંજ ફરવા આવે છે. આ બગીચો છઠ સરોવર ગાર્ડન તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં છઠ્ઠના તહેવારની મોટી પૂજા થાય છે, અહીં લોકોની ધાર્મિક લાગણી ગાર્ડન સાથે જોડાયેલી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમુદાયના બે લોકો સાંજના સમયે નમાઝ પઢતા જોવા મળે છે અને કેટલાક બાળકો તેમની આસપાસ રમતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો મેદાને આવ્યા હતા. વીડિયો વાયરલ થયાના બીજા દિવસે હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા હતા. હિન્દુ સંગઠનના કાર્યકરોએ 108 લોકોની ટીમ બનાવીને અમે પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને મંત્રો સાથે અહીં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બજરંગ સેનાના લિંબાયત જિલ્લા મંત્રીએ જણાવ્યું કે,અહીં વાત માત્ર નમાઝની નથી, કેટલાક અરાજક તત્વો જેઓ અધાર્મિક છે જેઓ અહીં શાળાએ જતી અમારી બહેનો અને દીકરીઓ સાથે બેસે છે. હું માતાપિતાને વિનંતી કરવા માંગુ છું કે તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે તેના પર નજર રાખો. શાળાએ જવું અથવા બીજે ક્યાંક જાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.