Surat : SMCના અધિકારીઓએ કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ જમાવી? જાગૃત નાગરિકે પાડી રેડ અને પછી અધિકારીઓ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 10:53:25

અનેક વખત એવું કહેવાય છે કે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે.. જો નાગરિક જાગૃત હશે તો સિસ્ટમમાં ફેરબદલ આવી શકે છે.. પોતાના હક માટે, ખોટુ થતું હોય ત્યાં અવાજ ઉપાડશે તો સિસ્ટમમાં થોડો ઘણો ચેન્જ આવી શકે છે.. નાગરિક જાગૃત થાય ત્યારે શું થઈ શકે છે તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકે રેડ પાડી અને..!

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ સિંગણપુરમાં દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલની મજા માણતા અધિકારીઓનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો. નાગરિક વીડિયો બનાવી રહ્યો હતો.  ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા અધિકારીઓ ઉભી પૂંછે ભાગી ગયા. મળતી માહિતી અનુસાર સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 



પોલીસ ઘટના સ્થળ પર આવી અને શરૂ કરી કાર્યવાહી!

જે અધિકારીઓ આ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તેમની વાત કરીએ તો તેમાં એક ઈન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટરની સાથે સાથે એક ચોકીદાર પણ સામેલ હતા. દારૂની મહેફિલ માણનારાઓમાં મ્યુનિસિપલ અધિકારીઓ છે ઉપરાંત વર્ગ 3 અધિકારીઓ છે તેવી માહિતી સામે આવી છે. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી.. તમામ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે 4 અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 5 અધિકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 


અનેક વખત ઉડ્યા છે દારૂબંધી કાયદાના લીરેલીરા

મહત્વનું છે ગુજરાત માટે કહેવાય છે આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ છે.. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય તે આપણે જાણીએ છીએ.. દારૂબંધી કાયદાના રોજ ધજાગરા ઉડે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડતા હોય.. પોલીસને પણ મુખ્યત્વે ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે, કોણ દારૂ વેચે છે વગેરે વગેરે,... 




નાગરિકે જાગૃત થવાની જરૂર છે કારણ કે... 

પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. સિસ્ટમ પર વિશ્વાસ રાખીને બેસી ના રહેવાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... માટે આપણે, નાગરિકે પોતે જાગૃત થવું પડશે.. જ્યાં ખોટું થતું હશે ત્યાં અવાજ ઉઠાવવો પડશે.. અનેક નાગરિકો એવા હશે જે અવાજ ઉઠાવતા હશે પરંતુ અનેક એવા માણસો પણ હશે જે ખોટું સહન કરતા હશે કદાચ એમ માનીને કે આપણે કેટલા ટકા! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.