Surat : SMCના અધિકારીઓએ કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ જમાવી? જાગૃત નાગરિકે પાડી રેડ અને પછી અધિકારીઓ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 10:53:25

અનેક વખત એવું કહેવાય છે કે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે.. જો નાગરિક જાગૃત હશે તો સિસ્ટમમાં ફેરબદલ આવી શકે છે.. પોતાના હક માટે, ખોટુ થતું હોય ત્યાં અવાજ ઉપાડશે તો સિસ્ટમમાં થોડો ઘણો ચેન્જ આવી શકે છે.. નાગરિક જાગૃત થાય ત્યારે શું થઈ શકે છે તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકે રેડ પાડી અને..!

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ સિંગણપુરમાં દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલની મજા માણતા અધિકારીઓનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો. નાગરિક વીડિયો બનાવી રહ્યો હતો.  ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા અધિકારીઓ ઉભી પૂંછે ભાગી ગયા. મળતી માહિતી અનુસાર સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 



પોલીસ ઘટના સ્થળ પર આવી અને શરૂ કરી કાર્યવાહી!

જે અધિકારીઓ આ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તેમની વાત કરીએ તો તેમાં એક ઈન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટરની સાથે સાથે એક ચોકીદાર પણ સામેલ હતા. દારૂની મહેફિલ માણનારાઓમાં મ્યુનિસિપલ અધિકારીઓ છે ઉપરાંત વર્ગ 3 અધિકારીઓ છે તેવી માહિતી સામે આવી છે. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી.. તમામ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે 4 અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 5 અધિકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 


અનેક વખત ઉડ્યા છે દારૂબંધી કાયદાના લીરેલીરા

મહત્વનું છે ગુજરાત માટે કહેવાય છે આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ છે.. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય તે આપણે જાણીએ છીએ.. દારૂબંધી કાયદાના રોજ ધજાગરા ઉડે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડતા હોય.. પોલીસને પણ મુખ્યત્વે ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે, કોણ દારૂ વેચે છે વગેરે વગેરે,... 




નાગરિકે જાગૃત થવાની જરૂર છે કારણ કે... 

પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. સિસ્ટમ પર વિશ્વાસ રાખીને બેસી ના રહેવાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... માટે આપણે, નાગરિકે પોતે જાગૃત થવું પડશે.. જ્યાં ખોટું થતું હશે ત્યાં અવાજ ઉઠાવવો પડશે.. અનેક નાગરિકો એવા હશે જે અવાજ ઉઠાવતા હશે પરંતુ અનેક એવા માણસો પણ હશે જે ખોટું સહન કરતા હશે કદાચ એમ માનીને કે આપણે કેટલા ટકા! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 

 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.