Surat : SMCના અધિકારીઓએ કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ જમાવી? જાગૃત નાગરિકે પાડી રેડ અને પછી અધિકારીઓ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 10:53:25

અનેક વખત એવું કહેવાય છે કે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે.. જો નાગરિક જાગૃત હશે તો સિસ્ટમમાં ફેરબદલ આવી શકે છે.. પોતાના હક માટે, ખોટુ થતું હોય ત્યાં અવાજ ઉપાડશે તો સિસ્ટમમાં થોડો ઘણો ચેન્જ આવી શકે છે.. નાગરિક જાગૃત થાય ત્યારે શું થઈ શકે છે તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકે રેડ પાડી અને..!

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ સિંગણપુરમાં દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલની મજા માણતા અધિકારીઓનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો. નાગરિક વીડિયો બનાવી રહ્યો હતો.  ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા અધિકારીઓ ઉભી પૂંછે ભાગી ગયા. મળતી માહિતી અનુસાર સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 



પોલીસ ઘટના સ્થળ પર આવી અને શરૂ કરી કાર્યવાહી!

જે અધિકારીઓ આ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તેમની વાત કરીએ તો તેમાં એક ઈન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટરની સાથે સાથે એક ચોકીદાર પણ સામેલ હતા. દારૂની મહેફિલ માણનારાઓમાં મ્યુનિસિપલ અધિકારીઓ છે ઉપરાંત વર્ગ 3 અધિકારીઓ છે તેવી માહિતી સામે આવી છે. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી.. તમામ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે 4 અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 5 અધિકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 


અનેક વખત ઉડ્યા છે દારૂબંધી કાયદાના લીરેલીરા

મહત્વનું છે ગુજરાત માટે કહેવાય છે આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ છે.. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય તે આપણે જાણીએ છીએ.. દારૂબંધી કાયદાના રોજ ધજાગરા ઉડે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડતા હોય.. પોલીસને પણ મુખ્યત્વે ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે, કોણ દારૂ વેચે છે વગેરે વગેરે,... 




નાગરિકે જાગૃત થવાની જરૂર છે કારણ કે... 

પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. સિસ્ટમ પર વિશ્વાસ રાખીને બેસી ના રહેવાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... માટે આપણે, નાગરિકે પોતે જાગૃત થવું પડશે.. જ્યાં ખોટું થતું હશે ત્યાં અવાજ ઉઠાવવો પડશે.. અનેક નાગરિકો એવા હશે જે અવાજ ઉઠાવતા હશે પરંતુ અનેક એવા માણસો પણ હશે જે ખોટું સહન કરતા હશે કદાચ એમ માનીને કે આપણે કેટલા ટકા! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 

 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .