Surat : વાહનચાલકોને રોંગ સાઈડ આવતા રોકતા Social Activist Piyush Dhanani પર થયો હુમલો, જાણો હુમલો કરનાર વિરૂદ્ધ શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2023-12-21 11:47:35

રોંગ સાઈડ પર આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં રોંડ સાઈડ આવતા વાહનને કારણે એસ્ડિન્ટ થાય છે અને લોકોના મોત થાય છે. ત્યારે સુરતમાં લોકો રોંગ સાઈડ પર ન આવે તે માટે એક વ્યક્તિ જેમનું નામ પિયુષ ધાનાણી રસ્તા પર ઉભા રહી રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પાછા વાળે છે.સુરતમાંએ સામાજીક કાર્યકર બની ચાર રસ્તા પર કે પછી જ્યાં લોકો નિયમોનું ઉલંઘન કરતાં હોય કે પછી રોંગ સાઈડ પર ગાડી ચલાવતા હોય ત્યાં ઉભા રહી જાય છે. પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા પર તો એક્ટિવ છે પરંતુ તેમની ચર્ચા એટલા માટે થવા લાગી કારણ કે તેમને ચાર લોકોએ માર માર્યો છે. 

રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે પિયુષ ધાનાણી 

થોડા સમય પહેલા પીએમ મોદી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે તેમણે હળવા અંદાજમાં સુરતીઓને શીખામણ આપી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. રોંગ સાઈડ પર વાહનો આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને લોકોના મોત થાય છે. ન માત્ર રોંગ સાઈડ પર આવવાને કારણે પરંતુ કાયદાનો ભંગ કરવાને કારણે પણ  અનેક દુર્ઘટના સર્જાય છે. ત્યારે સુરતમાં પિયુષ ધાનાણી નામના સામાજીક કાર્યકર્તા રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે અને તેમને કાયદાના પાઠ ભણાવે છે. ગઈકાલે તેઓ વરાછા પહોંચ્યા હતા. ત્યાં તેમણે લોકોને રોક્યા હતા. અચાનકથી અમુક લોકો આવ્યા અને તેમને મારવા લાગ્યા. 

સુરત: એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી સાથે જાહેર રસ્તા પર મારામારી, રોંગ સાઈડ પર  વાહન ચલાવવા મુદ્દે માથાકૂટ- વિડીયો વાયરલ | Surat: Activist Piyush Dhanani  sathe jaher ...


પિયુષ ધાનાણી પર ધોળા દિવસે થયો હુમલો 

તે માત્ર કાલે નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રીતે રોજ રસ્તા પર ઉભા રહે છે અને લોકોને સમજાવાની કોશિશ કરે છે કે કાયદાનું પાલન કરવું જોઈએ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેમણે ચાવી લઈ લીધી હતી.  તે બાદ મારામારી પણ થઈ હતી. તે બાદ તેમણે માગ કરી કે તેમને ન્યાય આપવામાં આવે. અનેક કલાકો સુધી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા રહ્યા. મળતી માહિતી અનુસાર જે લોકોએ તેમની પર હુમલો કર્યો તેમની ધરપકડ થઈ ગઈ છે.   



સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પિયુષ ધાનાણી મુકે છે!

પિયુષ ધાનાણીની વાત કરીએ તો પિયુષભાઈ આના સિવાય ઘણા વિડીયોઝ બનાવે છે. ફેસબુક પર મુકે પણ છે અને ઘણી બધી વાર એમની ટીકા પણ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એ માત્ર વ્યૂઝ માટે આ બધું કરતા હોય છે. જે રીતના વીડિયો બનાવી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ એ રીતના વીડિયો બનાવે છે.

એક વીડિયોને કારણે આવ્યા હતા વિવાદમાં!

એક એવો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો એ કેવો વીડિયો ચર્ચામાં આવ્યો હતો કે જેમાં પિયુષભાઈ પોતાના મિત્રને રોકતા હોય છે અને કહેતા હોય છે કે તમે અહીંયાથી પાછા વળી જાવ.રોંગ સાઈડ નહીં જવાય અને પછી એવું કહેતા દેખાય છે કે સારું તમારો વીડિયોની ઉતારું. તમે અહીંયાથી વળી જાવ ત્યારે સૌથી વધારે એમની ટીકા કરવામાં આવી હતી કે પોતાના દોસ્ત આવ્યા એટલે એમણે પ્રામાણિકતા મૂકી અને એમને રોંગ સાઈડ જવા દીધી એ વાત કેટલી સાચી અને કેટલી ખોટીએ તો પિયુષભાઈ જાણે.


પિયુષ ધાનાણી પર થયો હુમલો 

ગઈકાલે જે થયું એની ટીકા કેમ ન કરવામાં આવે. પિયુષભાઈ પોતાના વીડિયો બનાવવા માટે આ કરી રહ્યા છે કે સમાજ સુધારવા માટે આ કરી રહ્યા છે જેના માટે પણ કરતા હોય પરંતુ તે સમાજ સુધારવાનું કામ કરી રહ્યા છે. આપણે કેમ નથી સુધરવા માંગતા કોઈ આપણને સમજાવી રહ્યું છે કે રોંગ સાઈડ નથી જવાનું કોઈ માણસ ત્યાં ઉભા રહી અને રસ્તા વચ્ચે લડે છે. 


લોકો રસ્તાને પોતાના બાપનો બગીચો સમજીને બેઠા છે!

રોંગ સાઈડ પર જતા લોકોને રોકી શકવું મુશ્કેલ છે. આપણને એવું લાગે છે કે આપણા પપ્પાનો રસ્તો છે આપણે મરજી પડી એમ ગાડી ચલાવીએ છીએ. તથ્ય પટેલનો કિસ્સો હોય કે પછી અમદાવાદના શિવરંજનીમાં જે થયું હોય. આપણે બધાને ટ્રાફિકના નિયમોની કોઈ પડી જ નથી પડી. જ્યારે આપણને ટ્રાફિક રુલ્સ ખબર હોય મોટાભાગના લોકોને ટ્રાફિક રૂલ્સ ખબર જ નથી હોતી ટ્રાફિક સાઈન્સ પણ ખબર નથી હોતી. મહત્વનું છે કે એક આપણે સુધરવા નથી માગતા અને જો કોઈ આ કામ કરે છે તો તેમને વિરોધનો સામનો કરવો પડે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.