સુરત SOG પોલીસે 4.29 કરોડની કિમતનું 7.158 કિલો સોનું ઝડપ્યું, 4 શખ્સોની પણ કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-30 19:50:30

સુરત SOG પોલીસે ડુમ્મસ એરપોર્ટ પાસેથી એક નંબર વગરની કારમાંથી 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી લાવવામાં આવેલા 4,29,48,000 કિમતના 7.158 કિલો સોના સાથે 4 શખ્સોને પણ SOG પોલીસે ડુમસ રોડ પાસેથી ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં પોલીસે સોનુ મંગાવનાર અને મોકલનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવાયું સોનું


સુરત SOG પોલીસે 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી તેવા સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે. ઝડપાયેલા આરોપીઓએ કસ્ટમ એક્સાઈઝની ડ્યુટી ન ભરવી પડે તે માટે આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવવાનો જુગાડ કર્યો હતો.


ગેંગ ઉપર હતી પોલીસની નજર


સુરત SOG પોલીસ પાસે એવી માહિતી હતી કે દુબઈથી સોનાની દાણ ચોરી ચાલી રહી છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી આ ગેંગ ઉપર અમારી વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે રાતે એસ.કે નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ મામલે શરદ સિંગલે વધુમાં જણાવ્યું હતુ કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ 6 મહિનાથી ઓપરેટ થતું હતું અને 1 મહિનામાં 5 થી 10 જેટલી ટ્રીપ મારતા હતા. પોર્ટ પરથી લાવે તો સાડા 12 ટકા અને એરપોર્ટ પર લઈને આવે તો 36 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે અને તે ન ભરવી પડે તે માટે આરોપીઓ આવી રીતે દાણચોરી કરતા હતા. આરોપીઓને એક ટ્રીપના 25 હજાર રૂપિયા મળતા હતા. આ ગુનામાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવી રિમાન્ડ મેળવીશું અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.