સુરત SOG પોલીસે 4.29 કરોડની કિમતનું 7.158 કિલો સોનું ઝડપ્યું, 4 શખ્સોની પણ કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-30 19:50:30

સુરત SOG પોલીસે ડુમ્મસ એરપોર્ટ પાસેથી એક નંબર વગરની કારમાંથી 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી લાવવામાં આવેલા 4,29,48,000 કિમતના 7.158 કિલો સોના સાથે 4 શખ્સોને પણ SOG પોલીસે ડુમસ રોડ પાસેથી ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં પોલીસે સોનુ મંગાવનાર અને મોકલનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવાયું સોનું


સુરત SOG પોલીસે 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી તેવા સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે. ઝડપાયેલા આરોપીઓએ કસ્ટમ એક્સાઈઝની ડ્યુટી ન ભરવી પડે તે માટે આંતરવસ્ત્રો અને બુટમાં છુપાવવાનો જુગાડ કર્યો હતો.


ગેંગ ઉપર હતી પોલીસની નજર


સુરત SOG પોલીસ પાસે એવી માહિતી હતી કે દુબઈથી સોનાની દાણ ચોરી ચાલી રહી છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી આ ગેંગ ઉપર અમારી વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે રાતે એસ.કે નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ મામલે શરદ સિંગલે વધુમાં જણાવ્યું હતુ કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ 6 મહિનાથી ઓપરેટ થતું હતું અને 1 મહિનામાં 5 થી 10 જેટલી ટ્રીપ મારતા હતા. પોર્ટ પરથી લાવે તો સાડા 12 ટકા અને એરપોર્ટ પર લઈને આવે તો 36 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે અને તે ન ભરવી પડે તે માટે આરોપીઓ આવી રીતે દાણચોરી કરતા હતા. આરોપીઓને એક ટ્રીપના 25 હજાર રૂપિયા મળતા હતા. આ ગુનામાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવી રિમાન્ડ મેળવીશું અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.