Surat : ક્લાસમાં વિદ્યાર્થિનીએ લીધા અંતિમ શ્વાસ, ભણતી વખતે અચાનક થઈ બેભાન, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-09-28 14:39:21

નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોતના સમાચાર જ્યારે આવે છે ત્યારે વિશ્વાસ નથી થતો. હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સુરતથી સમાચાર સામે આવ્યા કે શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ઢળી પડી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

3 Students Died Electric Current Deaths Katkada Village Of Mahuva |  Bhavnagar: મહુવાના કાટકડા ગામે શાળાએથી પરત ફરતા 3 વિદ્યાર્થીઓને કરંટ લાગતા  મોત

યુવાનોના થઈ રહ્યા છે મોત 

જન્મ અને મરણ આપણા હાથમાં નથી. લોકોને કાળ ક્યારે ભરખી જાય છે તે જાણી શકાતું નથી. તંદુરસ્ત દેખાતા યુવાનો પણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તે જાણી શકાતું નથી. તાજેતરમાં આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવ્યો હોય છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જામનગરના 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે પણ એ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.   


ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની અચાનક થઈ બેભાન અને થયું મોત 

ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અચાનક ઢળી પડી. અચાનક બેભાન થઈ. તાત્કાલિક સારવાર મળે તે માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, દીકરીની અચાનક ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન  છે. શોકમાં પરિવાર ડૂબી ગયો છે. વિદ્યાર્થીની અચાનક બેભાન કેમ થઈ તે અંગે જાણવા માટે તપાસ થઈ રહી છે. 

surat news

હાર્ટ એટેકના આ છે લક્ષણ!

એવી આશંકા છે કે વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોઈ શકે છે. દિલ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી એક સંભાવના છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા આ શક્યતાને નકારી ન શકાય. જો તમને પણ આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો...  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.