Surat : ક્લાસમાં વિદ્યાર્થિનીએ લીધા અંતિમ શ્વાસ, ભણતી વખતે અચાનક થઈ બેભાન, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-09-28 14:39:21

નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોતના સમાચાર જ્યારે આવે છે ત્યારે વિશ્વાસ નથી થતો. હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સુરતથી સમાચાર સામે આવ્યા કે શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ઢળી પડી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

3 Students Died Electric Current Deaths Katkada Village Of Mahuva |  Bhavnagar: મહુવાના કાટકડા ગામે શાળાએથી પરત ફરતા 3 વિદ્યાર્થીઓને કરંટ લાગતા  મોત

યુવાનોના થઈ રહ્યા છે મોત 

જન્મ અને મરણ આપણા હાથમાં નથી. લોકોને કાળ ક્યારે ભરખી જાય છે તે જાણી શકાતું નથી. તંદુરસ્ત દેખાતા યુવાનો પણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તે જાણી શકાતું નથી. તાજેતરમાં આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવ્યો હોય છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જામનગરના 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે પણ એ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.   


ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની અચાનક થઈ બેભાન અને થયું મોત 

ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અચાનક ઢળી પડી. અચાનક બેભાન થઈ. તાત્કાલિક સારવાર મળે તે માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, દીકરીની અચાનક ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન  છે. શોકમાં પરિવાર ડૂબી ગયો છે. વિદ્યાર્થીની અચાનક બેભાન કેમ થઈ તે અંગે જાણવા માટે તપાસ થઈ રહી છે. 

surat news

હાર્ટ એટેકના આ છે લક્ષણ!

એવી આશંકા છે કે વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોઈ શકે છે. દિલ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી એક સંભાવના છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા આ શક્યતાને નકારી ન શકાય. જો તમને પણ આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો...  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી