Surat : ક્લાસમાં વિદ્યાર્થિનીએ લીધા અંતિમ શ્વાસ, ભણતી વખતે અચાનક થઈ બેભાન, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-09-28 14:39:21

નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોતના સમાચાર જ્યારે આવે છે ત્યારે વિશ્વાસ નથી થતો. હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સુરતથી સમાચાર સામે આવ્યા કે શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ઢળી પડી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

3 Students Died Electric Current Deaths Katkada Village Of Mahuva |  Bhavnagar: મહુવાના કાટકડા ગામે શાળાએથી પરત ફરતા 3 વિદ્યાર્થીઓને કરંટ લાગતા  મોત

યુવાનોના થઈ રહ્યા છે મોત 

જન્મ અને મરણ આપણા હાથમાં નથી. લોકોને કાળ ક્યારે ભરખી જાય છે તે જાણી શકાતું નથી. તંદુરસ્ત દેખાતા યુવાનો પણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તે જાણી શકાતું નથી. તાજેતરમાં આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવ્યો હોય છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જામનગરના 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે પણ એ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.   


ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની અચાનક થઈ બેભાન અને થયું મોત 

ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અચાનક ઢળી પડી. અચાનક બેભાન થઈ. તાત્કાલિક સારવાર મળે તે માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, દીકરીની અચાનક ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન  છે. શોકમાં પરિવાર ડૂબી ગયો છે. વિદ્યાર્થીની અચાનક બેભાન કેમ થઈ તે અંગે જાણવા માટે તપાસ થઈ રહી છે. 

surat news

હાર્ટ એટેકના આ છે લક્ષણ!

એવી આશંકા છે કે વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોઈ શકે છે. દિલ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી એક સંભાવના છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા આ શક્યતાને નકારી ન શકાય. જો તમને પણ આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો...  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.