Surat: જે ભગવાનની ધામધૂમથી પૂજા કરી તે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા, દ્રશ્યોએ પહોંચાડી ભક્તોની લાગણીને ઠેસ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-09-25 16:51:03

ગણેશોત્સવની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભગવાનને આપણે ઘરે લાવ્યા, અનેક દિવસો સુધી તેમની ભક્તિ સાથે આરાધના કરી. અનેક લોકોએ ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. તો અનેક જગ્યાઓ પર હજી પણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અનેક ભક્તોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ભક્તોની લાગણી દુભાયએ પ્રકારે ગણપતિ પ્રતમિાનું વિસર્જન કરવામાં આવ્યું છે.સુરતના પાલનપુર પાટિલ કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. 


કેનાલમાં કરવામાં આવ્યું મૂર્તિ વિસર્જન 

આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છે કે કામ પતે એટલે લોકો માણસને ભૂલી જાય છે. ગરજ હોય ત્યારે લોકો આપણને યાદ કરે છે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ આ વસ્તુ. ત્યારે કદાચ આ વિચાર ભગવાનને પણ આવ્યો હશે જ્યારે તેમની પ્રતિમાની આવી દુર્ઘશા થાય તો. ગણપતિના ભક્તો અનેક વખત ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે. ગણેશની પધરામણી ઘરે અથવા તો સોસાયટીમાં કરાવતા હોય છે. કોઈ એક દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે તો કોઈ ત્રણ કે પાંચ દિવસ માટે દાદાને ઘરે લઈને આવે છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને દુખી કરી શકે છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું હતું.



દરેક વખતે આવા દ્રશ્યો જોવા મળે છે....! 

ગણેશોત્સવને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. મૂર્તિનું વિસર્જન તળાવ, નહેર કે નદીમાં કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. કેનાલમાં, નહેરમાં પ્રતિબંધ હોવા છતાંય સુરતમાં અનેક ભક્તોએ મૂર્તિનું વિસર્જન કેનાલમાં કરી જાહેરનામાનો ભંગ કર્યો છે. પરંતુ તો પણ અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો છે. આવા દ્રશ્યો જોઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો દરેક વખત, દરેક ગણોશોત્સવમાં જોવા મળતા હોય છે. ગણેશોત્સવના અંતિમ દિવસે તો આના કરતા પણ વધારે મૂર્તિઓ આવી હાલતમાં જોવા મળવાની છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.