Surat: જે ભગવાનની ધામધૂમથી પૂજા કરી તે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા, દ્રશ્યોએ પહોંચાડી ભક્તોની લાગણીને ઠેસ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-09-25 16:51:03

ગણેશોત્સવની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભગવાનને આપણે ઘરે લાવ્યા, અનેક દિવસો સુધી તેમની ભક્તિ સાથે આરાધના કરી. અનેક લોકોએ ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. તો અનેક જગ્યાઓ પર હજી પણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અનેક ભક્તોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ભક્તોની લાગણી દુભાયએ પ્રકારે ગણપતિ પ્રતમિાનું વિસર્જન કરવામાં આવ્યું છે.સુરતના પાલનપુર પાટિલ કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. 


કેનાલમાં કરવામાં આવ્યું મૂર્તિ વિસર્જન 

આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છે કે કામ પતે એટલે લોકો માણસને ભૂલી જાય છે. ગરજ હોય ત્યારે લોકો આપણને યાદ કરે છે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ આ વસ્તુ. ત્યારે કદાચ આ વિચાર ભગવાનને પણ આવ્યો હશે જ્યારે તેમની પ્રતિમાની આવી દુર્ઘશા થાય તો. ગણપતિના ભક્તો અનેક વખત ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે. ગણેશની પધરામણી ઘરે અથવા તો સોસાયટીમાં કરાવતા હોય છે. કોઈ એક દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે તો કોઈ ત્રણ કે પાંચ દિવસ માટે દાદાને ઘરે લઈને આવે છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને દુખી કરી શકે છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું હતું.



દરેક વખતે આવા દ્રશ્યો જોવા મળે છે....! 

ગણેશોત્સવને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. મૂર્તિનું વિસર્જન તળાવ, નહેર કે નદીમાં કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. કેનાલમાં, નહેરમાં પ્રતિબંધ હોવા છતાંય સુરતમાં અનેક ભક્તોએ મૂર્તિનું વિસર્જન કેનાલમાં કરી જાહેરનામાનો ભંગ કર્યો છે. પરંતુ તો પણ અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો છે. આવા દ્રશ્યો જોઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો દરેક વખત, દરેક ગણોશોત્સવમાં જોવા મળતા હોય છે. ગણેશોત્સવના અંતિમ દિવસે તો આના કરતા પણ વધારે મૂર્તિઓ આવી હાલતમાં જોવા મળવાની છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી