Surat: જે ભગવાનની ધામધૂમથી પૂજા કરી તે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા, દ્રશ્યોએ પહોંચાડી ભક્તોની લાગણીને ઠેસ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-09-25 16:51:03

ગણેશોત્સવની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભગવાનને આપણે ઘરે લાવ્યા, અનેક દિવસો સુધી તેમની ભક્તિ સાથે આરાધના કરી. અનેક લોકોએ ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. તો અનેક જગ્યાઓ પર હજી પણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અનેક ભક્તોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ભક્તોની લાગણી દુભાયએ પ્રકારે ગણપતિ પ્રતમિાનું વિસર્જન કરવામાં આવ્યું છે.સુરતના પાલનપુર પાટિલ કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. 


કેનાલમાં કરવામાં આવ્યું મૂર્તિ વિસર્જન 

આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છે કે કામ પતે એટલે લોકો માણસને ભૂલી જાય છે. ગરજ હોય ત્યારે લોકો આપણને યાદ કરે છે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ આ વસ્તુ. ત્યારે કદાચ આ વિચાર ભગવાનને પણ આવ્યો હશે જ્યારે તેમની પ્રતિમાની આવી દુર્ઘશા થાય તો. ગણપતિના ભક્તો અનેક વખત ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે. ગણેશની પધરામણી ઘરે અથવા તો સોસાયટીમાં કરાવતા હોય છે. કોઈ એક દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે તો કોઈ ત્રણ કે પાંચ દિવસ માટે દાદાને ઘરે લઈને આવે છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને દુખી કરી શકે છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું હતું.



દરેક વખતે આવા દ્રશ્યો જોવા મળે છે....! 

ગણેશોત્સવને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. મૂર્તિનું વિસર્જન તળાવ, નહેર કે નદીમાં કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. કેનાલમાં, નહેરમાં પ્રતિબંધ હોવા છતાંય સુરતમાં અનેક ભક્તોએ મૂર્તિનું વિસર્જન કેનાલમાં કરી જાહેરનામાનો ભંગ કર્યો છે. પરંતુ તો પણ અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો છે. આવા દ્રશ્યો જોઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો દરેક વખત, દરેક ગણોશોત્સવમાં જોવા મળતા હોય છે. ગણેશોત્સવના અંતિમ દિવસે તો આના કરતા પણ વધારે મૂર્તિઓ આવી હાલતમાં જોવા મળવાની છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.