SURAT:વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા મોબાઇલ શોપના વેપારીએ અંતે FB લાઈવ કરી ઝેરી દવા પીધી


  • Published By :
  • Published Date : 2024-01-02 22:09:13

રાજ્યમાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાઈને અંતે મોતને વ્હાલુ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. સુરતના કોસંબામાં મોબાઈલનો વેપાર કરતાં વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફેસબુક લાઈવ કર્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, વેપારીએ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક લેણદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો વેપારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.


શું હતી સમગ્ર ઘટના?


અમીન ફરીદભાઈ મુલતાની કોસંબા ખાતે રહે છે અને અહીં જ મોબાઈલની દુકાન ધરાવે છે. ધંધા માટે અમીન મુલતાનીને 5 વર્ષમાં 60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતુ. અમીન મુલતાનીએ આજે મોબાઈલ એસેસરિઝની ખરીદી કરવા આવ્યો હતો. જ્યાં લેણદારોએ ફોન કરીને ઉઘરાણી માટે ધમકી આપી હતી. જેથી અમીને સ્યૂસાઈડ નોટ લખીને FB પર લાઈવ થઈ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ અજાણ્યા ઈસમો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અમીન મુલતાનીના લગ્નને 8 મહિના જ થયા છે, હાલ તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે. પત્ની ઉપરાંત અમીનના પરિવારમાં માતા-પિતા, બે બહેન અને એક માનસિક બીમાર ભાઈ પણ છે. જ્યારે પિતા ફરીદભાઈ રૂના ગાદલા અને ઓશિકા બનાવવાનું કામ કરે છે.


વારંવાર ધમકીઓ મળતી હતી


સુરત સિવિલમાં દાખલ અમીન મુલતાનીના સંબંધીઓ જણાવ્યું હતું કે તેણે 50 લાખરૂપિયા ચૂકવી દીધા બાદ પણ કેટલાક લેણદારો તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી આપતા હતા. આજે પણ લેણદારે ફોન કરીને ધમકી આપતાં અમીન મુલતાણીએ ઝેરી દવા પી લીધી હતી. અગાઉ પણ  મુલતાની પરિવાર દ્વારા કોસંબા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે