SURAT:વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા મોબાઇલ શોપના વેપારીએ અંતે FB લાઈવ કરી ઝેરી દવા પીધી


  • Published By :
  • Published Date : 2024-01-02 22:09:13

રાજ્યમાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાઈને અંતે મોતને વ્હાલુ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. સુરતના કોસંબામાં મોબાઈલનો વેપાર કરતાં વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફેસબુક લાઈવ કર્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, વેપારીએ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક લેણદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો વેપારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.


શું હતી સમગ્ર ઘટના?


અમીન ફરીદભાઈ મુલતાની કોસંબા ખાતે રહે છે અને અહીં જ મોબાઈલની દુકાન ધરાવે છે. ધંધા માટે અમીન મુલતાનીને 5 વર્ષમાં 60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતુ. અમીન મુલતાનીએ આજે મોબાઈલ એસેસરિઝની ખરીદી કરવા આવ્યો હતો. જ્યાં લેણદારોએ ફોન કરીને ઉઘરાણી માટે ધમકી આપી હતી. જેથી અમીને સ્યૂસાઈડ નોટ લખીને FB પર લાઈવ થઈ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ અજાણ્યા ઈસમો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અમીન મુલતાનીના લગ્નને 8 મહિના જ થયા છે, હાલ તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે. પત્ની ઉપરાંત અમીનના પરિવારમાં માતા-પિતા, બે બહેન અને એક માનસિક બીમાર ભાઈ પણ છે. જ્યારે પિતા ફરીદભાઈ રૂના ગાદલા અને ઓશિકા બનાવવાનું કામ કરે છે.


વારંવાર ધમકીઓ મળતી હતી


સુરત સિવિલમાં દાખલ અમીન મુલતાનીના સંબંધીઓ જણાવ્યું હતું કે તેણે 50 લાખરૂપિયા ચૂકવી દીધા બાદ પણ કેટલાક લેણદારો તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી આપતા હતા. આજે પણ લેણદારે ફોન કરીને ધમકી આપતાં અમીન મુલતાણીએ ઝેરી દવા પી લીધી હતી. અગાઉ પણ  મુલતાની પરિવાર દ્વારા કોસંબા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.