SURAT:વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા મોબાઇલ શોપના વેપારીએ અંતે FB લાઈવ કરી ઝેરી દવા પીધી


  • Published By :
  • Published Date : 2024-01-02 22:09:13

રાજ્યમાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાઈને અંતે મોતને વ્હાલુ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. સુરતના કોસંબામાં મોબાઈલનો વેપાર કરતાં વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફેસબુક લાઈવ કર્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, વેપારીએ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક લેણદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો વેપારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.


શું હતી સમગ્ર ઘટના?


અમીન ફરીદભાઈ મુલતાની કોસંબા ખાતે રહે છે અને અહીં જ મોબાઈલની દુકાન ધરાવે છે. ધંધા માટે અમીન મુલતાનીને 5 વર્ષમાં 60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતુ. અમીન મુલતાનીએ આજે મોબાઈલ એસેસરિઝની ખરીદી કરવા આવ્યો હતો. જ્યાં લેણદારોએ ફોન કરીને ઉઘરાણી માટે ધમકી આપી હતી. જેથી અમીને સ્યૂસાઈડ નોટ લખીને FB પર લાઈવ થઈ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ અજાણ્યા ઈસમો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અમીન મુલતાનીના લગ્નને 8 મહિના જ થયા છે, હાલ તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે. પત્ની ઉપરાંત અમીનના પરિવારમાં માતા-પિતા, બે બહેન અને એક માનસિક બીમાર ભાઈ પણ છે. જ્યારે પિતા ફરીદભાઈ રૂના ગાદલા અને ઓશિકા બનાવવાનું કામ કરે છે.


વારંવાર ધમકીઓ મળતી હતી


સુરત સિવિલમાં દાખલ અમીન મુલતાનીના સંબંધીઓ જણાવ્યું હતું કે તેણે 50 લાખરૂપિયા ચૂકવી દીધા બાદ પણ કેટલાક લેણદારો તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી આપતા હતા. આજે પણ લેણદારે ફોન કરીને ધમકી આપતાં અમીન મુલતાણીએ ઝેરી દવા પી લીધી હતી. અગાઉ પણ  મુલતાની પરિવાર દ્વારા કોસંબા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.