Surat : બારડોલીમાં બાઈક પર બેસવા જતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો, ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2024-05-22 13:58:57

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે હાર્ટ એટેકને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે. સાજા લાગતા લોકો ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. નાની વયે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે...સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈક પર બેસતી વખતે તે અચાનક ઢળી પડ્યો.. યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો....


ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં.... 

એક સમય એવો હતો જ્યારે આપણે માનતા કે હાર્ટ એટેક મોટા લોકોને આવે.. પરંતુ ધીરે ધીરે આ વાત ખોટી સાબિત થઈ રહી છે તેવું લાગે છે.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સુરતથી છે.. મળતી માહિતી અનુસાર જે વીડિયો સામે આવ્યો છે તે મઢી ગામનો છે. ગેરેજ પર બાલદા ગામનો યુવક બાઈક રિપેર કરાવવા માટે ગેરેજ આવ્યો હતો.બાઈકની સર્વિસ થયા બાદ તે જવા માટે વાહન પર બેઠો અને અચાનક તે ઢળી પડ્યો.. સારવાર અર્થે તે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો..


હાર્ટ એટેકના વધી રહ્યા છે કિસ્સાઓ

મળતી માહિતી અનુસાર જે યુવકનું મોત થયું છે તેમનું નામ કમલેશ ચૌધરી  હતું. કમલેશ ચૌધરીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન છે.. મૃતક વ્યક્તિ જીઆરડી તરીકે ફરજ બજાવતા.. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ અનેક લોકોના જીવ હાર્ટ એટેકને કારણે ગયા છે. મહત્વનું છે કે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીને કારણે પણ અનેક લોકો બેભાન થઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોય છે.. પૂરતી ઉંઘ ના થવી, સ્ટ્રેસ હોવા જેવી બાબતો..   





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે