Surat : બારડોલીમાં બાઈક પર બેસવા જતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો, ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2024-05-22 13:58:57

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે હાર્ટ એટેકને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે. સાજા લાગતા લોકો ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. નાની વયે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે...સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈક પર બેસતી વખતે તે અચાનક ઢળી પડ્યો.. યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો....


ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં.... 

એક સમય એવો હતો જ્યારે આપણે માનતા કે હાર્ટ એટેક મોટા લોકોને આવે.. પરંતુ ધીરે ધીરે આ વાત ખોટી સાબિત થઈ રહી છે તેવું લાગે છે.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સુરતથી છે.. મળતી માહિતી અનુસાર જે વીડિયો સામે આવ્યો છે તે મઢી ગામનો છે. ગેરેજ પર બાલદા ગામનો યુવક બાઈક રિપેર કરાવવા માટે ગેરેજ આવ્યો હતો.બાઈકની સર્વિસ થયા બાદ તે જવા માટે વાહન પર બેઠો અને અચાનક તે ઢળી પડ્યો.. સારવાર અર્થે તે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો..


હાર્ટ એટેકના વધી રહ્યા છે કિસ્સાઓ

મળતી માહિતી અનુસાર જે યુવકનું મોત થયું છે તેમનું નામ કમલેશ ચૌધરી  હતું. કમલેશ ચૌધરીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન છે.. મૃતક વ્યક્તિ જીઆરડી તરીકે ફરજ બજાવતા.. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ અનેક લોકોના જીવ હાર્ટ એટેકને કારણે ગયા છે. મહત્વનું છે કે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીને કારણે પણ અનેક લોકો બેભાન થઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોય છે.. પૂરતી ઉંઘ ના થવી, સ્ટ્રેસ હોવા જેવી બાબતો..   





ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.