સુરેન્દ્રનગર: દેવપરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતાં 6 મજૂરો ફસાયા, 3 પરપ્રાંતીય શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2024-02-15 20:31:27

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામ નજીક ગેરકાયદેસર  કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા ત્રણ મજુરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કોલસાની ખાણમાં કોલસાની ખાણમાં  6 મજૂરો ફસાયા હતા, જેમાં ત્રણના કરૂણ મોત થયા છે. જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયા હતા. શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર ૩ પરપ્રાંતીય શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે અહીં 6  જેટલા શ્રમિકો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં મુળી પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી અને સાયલા સહિતના  ગામોમાં અવારનવાર ખનન ચોરી દરમિયાન મજૂર વર્ગના અકસ્માતોની ઘટના બનતી રહે છે.


પોલીસે શરૂ કરી તપાસ


ત્રણેય મજૂરોની ડેડબોડીને પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બીજી બાજુ પોલીસ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર Dysp હિમાંશુભાઇ દોશીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે.  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.