સુરેન્દ્રનગરના ચુડામાં આભ ફાટ્યું, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, કપાસના પાકને વ્યાપક નુકશાન


  • Published By :
  • Published Date : 2023-09-24 11:16:35

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલાક તાલુકા એવા પણ જ્યાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. ચુડા તાલુકામાં  છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ  ઓવરફલો થયો હતો.  વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ભરતા સ્થાનિકોને  દુર ખસી જવા સુચના આપવામાં આવી છે. ચુડામાં આભ ફાટતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


કપાસના પાકને નુકશાન 


સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે 6,00,000 હેક્ટર જમીનમાં કપાસનો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસ વિણાટ શરૂઆત કરવામાં આવતી હોય તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરમાં 1 ઈંચ, દસાડા અને વઢવાણમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે મૂળી અને લીંબડી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.