સુરેન્દ્રનગરના ચુડામાં આભ ફાટ્યું, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, કપાસના પાકને વ્યાપક નુકશાન


  • Published By :
  • Published Date : 2023-09-24 11:16:35

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલાક તાલુકા એવા પણ જ્યાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. ચુડા તાલુકામાં  છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ  ઓવરફલો થયો હતો.  વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ભરતા સ્થાનિકોને  દુર ખસી જવા સુચના આપવામાં આવી છે. ચુડામાં આભ ફાટતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


કપાસના પાકને નુકશાન 


સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે 6,00,000 હેક્ટર જમીનમાં કપાસનો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસ વિણાટ શરૂઆત કરવામાં આવતી હોય તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરમાં 1 ઈંચ, દસાડા અને વઢવાણમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે મૂળી અને લીંબડી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.