સુરેન્દ્રનગરના ચુડામાં આભ ફાટ્યું, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, કપાસના પાકને વ્યાપક નુકશાન


  • Published By :
  • Published Date : 2023-09-24 11:16:35

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલાક તાલુકા એવા પણ જ્યાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. ચુડા તાલુકામાં  છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ  ઓવરફલો થયો હતો.  વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ભરતા સ્થાનિકોને  દુર ખસી જવા સુચના આપવામાં આવી છે. ચુડામાં આભ ફાટતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


કપાસના પાકને નુકશાન 


સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે 6,00,000 હેક્ટર જમીનમાં કપાસનો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસ વિણાટ શરૂઆત કરવામાં આવતી હોય તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર


સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરમાં 1 ઈંચ, દસાડા અને વઢવાણમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે મૂળી અને લીંબડી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.