Surendranagar : પોતાની રજૂઆતને લઈ ખેડૂતોએ સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરીને સવાલો પૂછ્યા, ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 18:59:47

ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો કોઈ વખત વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે પણ જાય છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે ખેડૂતોએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરી લીધા હતા અને પાણીના પ્રશ્નને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતો અનેક વખત પોતાની પીડાની કરે છે રજૂઆત

આપણા દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે. પરંતુ અનેક વખત જગતના તાતને રડવાનો વારો આવે છે. આપણા ઘરમાં અનાજ પહોંચાડતા ખેડૂતોને કોઈ વખત ભૂખ્યા રહી જવાનો વારો આવે છે. ખેતી માટે પૂરતું પાણી પણ નથી મળતું જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આપણે અનેક વાર ખેડૂતોને રડતાં, પોતાની વેદના સંભળાવતા જોયા છે પણ બહું ઓછી વાર ખેડૂતોને રસ્તા પર આવતા અથવા તો નેતાઓને સવાલ પૂછતાં જોયા હશે. 


સિંચાઈના પાણીનો મુદ્દો લઈ ખેડૂતો પહોંચ્યા હતા..  

સુરેન્દ્રનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ઓછા જોવા મળે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચંદુભાઈ શિહોરાનો હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહ હતો જ્યાં ખેડૂતો સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ આવી પહોંચ્યા હતા. સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી, આક્રોશ વ્યક્ત કર્યો. 



ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરી લીધા!

ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા છેલ્લા 10 દિવસથી કરવામાં આવી રહી છે.  ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આખરે ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરીને સવાલો કર્યા. અભિવાદન સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ બીજા mla પણ હજાર હતા. 


જ્યારે જનતાનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે.. 

અમુક વાર જનતાએ આ કરવું જરૂરી થઈ જતું હોય છે કારણ કે નેતાઓ અને અધિકારીઓ સમજતા જ નથી અને સમજે તો ત્યારે ને જ્યારે સાંભળે...! એટલે નેતાઓને જ્યાં સુધી ઘેરીને રજુઆત ના કરવામાં આવે ત્યાં સુધી વાત સાંભળવામાં પણ નથી આવતી.. ખેર ત્યાંના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવે તે આશા.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .