Surendranagar : પોતાની રજૂઆતને લઈ ખેડૂતોએ સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરીને સવાલો પૂછ્યા, ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 18:59:47

ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો કોઈ વખત વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે પણ જાય છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે ખેડૂતોએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરી લીધા હતા અને પાણીના પ્રશ્નને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતો અનેક વખત પોતાની પીડાની કરે છે રજૂઆત

આપણા દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે. પરંતુ અનેક વખત જગતના તાતને રડવાનો વારો આવે છે. આપણા ઘરમાં અનાજ પહોંચાડતા ખેડૂતોને કોઈ વખત ભૂખ્યા રહી જવાનો વારો આવે છે. ખેતી માટે પૂરતું પાણી પણ નથી મળતું જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આપણે અનેક વાર ખેડૂતોને રડતાં, પોતાની વેદના સંભળાવતા જોયા છે પણ બહું ઓછી વાર ખેડૂતોને રસ્તા પર આવતા અથવા તો નેતાઓને સવાલ પૂછતાં જોયા હશે. 


સિંચાઈના પાણીનો મુદ્દો લઈ ખેડૂતો પહોંચ્યા હતા..  

સુરેન્દ્રનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ઓછા જોવા મળે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચંદુભાઈ શિહોરાનો હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહ હતો જ્યાં ખેડૂતો સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ આવી પહોંચ્યા હતા. સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી, આક્રોશ વ્યક્ત કર્યો. 



ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરી લીધા!

ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા છેલ્લા 10 દિવસથી કરવામાં આવી રહી છે.  ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આખરે ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરીને સવાલો કર્યા. અભિવાદન સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ બીજા mla પણ હજાર હતા. 


જ્યારે જનતાનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે.. 

અમુક વાર જનતાએ આ કરવું જરૂરી થઈ જતું હોય છે કારણ કે નેતાઓ અને અધિકારીઓ સમજતા જ નથી અને સમજે તો ત્યારે ને જ્યારે સાંભળે...! એટલે નેતાઓને જ્યાં સુધી ઘેરીને રજુઆત ના કરવામાં આવે ત્યાં સુધી વાત સાંભળવામાં પણ નથી આવતી.. ખેર ત્યાંના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવે તે આશા.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."