Surendranagar : પોતાની રજૂઆતને લઈ ખેડૂતોએ સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરીને સવાલો પૂછ્યા, ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 18:59:47

ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો કોઈ વખત વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા માટે પણ જાય છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે ખેડૂતોએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ શિહોરાને ઘેરી લીધા હતા અને પાણીના પ્રશ્નને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતો અનેક વખત પોતાની પીડાની કરે છે રજૂઆત

આપણા દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે. પરંતુ અનેક વખત જગતના તાતને રડવાનો વારો આવે છે. આપણા ઘરમાં અનાજ પહોંચાડતા ખેડૂતોને કોઈ વખત ભૂખ્યા રહી જવાનો વારો આવે છે. ખેતી માટે પૂરતું પાણી પણ નથી મળતું જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આપણે અનેક વાર ખેડૂતોને રડતાં, પોતાની વેદના સંભળાવતા જોયા છે પણ બહું ઓછી વાર ખેડૂતોને રસ્તા પર આવતા અથવા તો નેતાઓને સવાલ પૂછતાં જોયા હશે. 


સિંચાઈના પાણીનો મુદ્દો લઈ ખેડૂતો પહોંચ્યા હતા..  

સુરેન્દ્રનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ઓછા જોવા મળે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચંદુભાઈ શિહોરાનો હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહ હતો જ્યાં ખેડૂતો સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ આવી પહોંચ્યા હતા. સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી, આક્રોશ વ્યક્ત કર્યો. 



ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરી લીધા!

ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા છેલ્લા 10 દિવસથી કરવામાં આવી રહી છે.  ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આખરે ખેડૂતો વિફર્યા અને નવા સાંસદને ઘેરીને સવાલો કર્યા. અભિવાદન સમારોહમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ બીજા mla પણ હજાર હતા. 


જ્યારે જનતાનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે.. 

અમુક વાર જનતાએ આ કરવું જરૂરી થઈ જતું હોય છે કારણ કે નેતાઓ અને અધિકારીઓ સમજતા જ નથી અને સમજે તો ત્યારે ને જ્યારે સાંભળે...! એટલે નેતાઓને જ્યાં સુધી ઘેરીને રજુઆત ના કરવામાં આવે ત્યાં સુધી વાત સાંભળવામાં પણ નથી આવતી.. ખેર ત્યાંના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવે તે આશા.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.