Surendranagar : પાણી માટે ક્યાં સુધી લોકોને વલખા મારવા પડશે? રાજુ કરપડાએ પાણીની સમસ્યાને લઈ કરી ઉગ્ર રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-11 11:07:23

આસાનીથી કોઈ વસ્તુ આપણને મળી જાય તો તેની કદર નથી હોતી તેવું આપણે કહેતા હોઈએ છીએ. એ પછી ભોજન હોય કે પછી પાણી હોય... સામાન્ય લાગતી બાબતો માટે અનેક લોકોને વલખા મારવા પડતા હોય છે.. પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં પાણીની સમસ્યાઓ માટે લોકોને રજૂઆત કરવા માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા જવું પડે છે.. કલાકો સુધી ઓફિસની બહાર બેસવું પડે છે... પાણી ના આવે તો કેવી હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ..

જ્યારે અનેક દિવસો સુધી પાણી ના મળે ત્યારે...

સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો એવા છે જ્યાં અનેક દિવસો સુધી પાણી નથી આવતું જેને કારણે ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.. પાણી આવે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે.. ઉનાળાના સમયમાં પાણી ના હોય તો શું પરિસ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ. થોડા કલાકો માટે આપણે ત્યાં પાણી બંધ થઈ જાય તો પણ એમ થાય કે પાણી ક્યારે આવશે? ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તેનો વિચાર  કરીએ તો આપણને પાણીની કદર થાય..



કોઈ વખત મહિલાઓ કરે છે થાળી વગાડીને વિરોધ.. 

પાણીની માગ સાથે અનેક વખત મહિલાઓ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતી હોય છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે છે જેમાં મહિલાઓ થાળી, ચમચી લઈ વિરોધ કરવા માટે પહોંચતી હોય છે. કોઈ વખત જો પાણી આવે તો થોડા ઓછા પાણીમાં ઘર ચલાવવું પડતું હોય છે.. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પાણી માટે લોકોને વલખા મારવા પડે છે તો અનેક સવાલો ઉભા થાય છે.. 

રાજુ કરપડા દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત.... 

ત્યારે પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સ્થાનિક લોકો સાથે સરકારી ઓફિસ પહોંચ્યા હતા.. મળતી માહિતી અનુસાર નગર પાલિકાની ઓફિસ તે પહોંચ્યા હતા.. પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે


 गुजरात के सुरेंद्रनगर शहर के बीच में आजादी के 75 साल के बाद भी पीने के लिए पानी नहीं मिल रहा और भारत को विश्व गुरु बनाने का सपना दिखाया जा रहा है। आज प्रोटेस्ट करके विज्ञापन दिया। जनता ने विपक्ष को निर्बल बनाया जिसकी वजह से सरकार निर्लज हो गई। પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામા આવી છે... ત્યારે જોવું રહ્યું કે પાણીની સમસ્યા હલ થાય છે કે નહીં. કારણ કે પાણી મળવું એ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે.. 

    



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.