Surendranagar : પાણી માટે ક્યાં સુધી લોકોને વલખા મારવા પડશે? રાજુ કરપડાએ પાણીની સમસ્યાને લઈ કરી ઉગ્ર રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-11 11:07:23

આસાનીથી કોઈ વસ્તુ આપણને મળી જાય તો તેની કદર નથી હોતી તેવું આપણે કહેતા હોઈએ છીએ. એ પછી ભોજન હોય કે પછી પાણી હોય... સામાન્ય લાગતી બાબતો માટે અનેક લોકોને વલખા મારવા પડતા હોય છે.. પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં પાણીની સમસ્યાઓ માટે લોકોને રજૂઆત કરવા માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા જવું પડે છે.. કલાકો સુધી ઓફિસની બહાર બેસવું પડે છે... પાણી ના આવે તો કેવી હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ..

જ્યારે અનેક દિવસો સુધી પાણી ના મળે ત્યારે...

સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો એવા છે જ્યાં અનેક દિવસો સુધી પાણી નથી આવતું જેને કારણે ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.. પાણી આવે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે.. ઉનાળાના સમયમાં પાણી ના હોય તો શું પરિસ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ. થોડા કલાકો માટે આપણે ત્યાં પાણી બંધ થઈ જાય તો પણ એમ થાય કે પાણી ક્યારે આવશે? ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તેનો વિચાર  કરીએ તો આપણને પાણીની કદર થાય..



કોઈ વખત મહિલાઓ કરે છે થાળી વગાડીને વિરોધ.. 

પાણીની માગ સાથે અનેક વખત મહિલાઓ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતી હોય છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે છે જેમાં મહિલાઓ થાળી, ચમચી લઈ વિરોધ કરવા માટે પહોંચતી હોય છે. કોઈ વખત જો પાણી આવે તો થોડા ઓછા પાણીમાં ઘર ચલાવવું પડતું હોય છે.. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પાણી માટે લોકોને વલખા મારવા પડે છે તો અનેક સવાલો ઉભા થાય છે.. 

રાજુ કરપડા દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત.... 

ત્યારે પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સ્થાનિક લોકો સાથે સરકારી ઓફિસ પહોંચ્યા હતા.. મળતી માહિતી અનુસાર નગર પાલિકાની ઓફિસ તે પહોંચ્યા હતા.. પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે


 गुजरात के सुरेंद्रनगर शहर के बीच में आजादी के 75 साल के बाद भी पीने के लिए पानी नहीं मिल रहा और भारत को विश्व गुरु बनाने का सपना दिखाया जा रहा है। आज प्रोटेस्ट करके विज्ञापन दिया। जनता ने विपक्ष को निर्बल बनाया जिसकी वजह से सरकार निर्लज हो गई। પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામા આવી છે... ત્યારે જોવું રહ્યું કે પાણીની સમસ્યા હલ થાય છે કે નહીં. કારણ કે પાણી મળવું એ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે.. 

    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.