Surendranagar : પાણી માટે ક્યાં સુધી લોકોને વલખા મારવા પડશે? રાજુ કરપડાએ પાણીની સમસ્યાને લઈ કરી ઉગ્ર રજૂઆત, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-11 11:07:23

આસાનીથી કોઈ વસ્તુ આપણને મળી જાય તો તેની કદર નથી હોતી તેવું આપણે કહેતા હોઈએ છીએ. એ પછી ભોજન હોય કે પછી પાણી હોય... સામાન્ય લાગતી બાબતો માટે અનેક લોકોને વલખા મારવા પડતા હોય છે.. પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં પાણીની સમસ્યાઓ માટે લોકોને રજૂઆત કરવા માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા જવું પડે છે.. કલાકો સુધી ઓફિસની બહાર બેસવું પડે છે... પાણી ના આવે તો કેવી હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ..

જ્યારે અનેક દિવસો સુધી પાણી ના મળે ત્યારે...

સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો એવા છે જ્યાં અનેક દિવસો સુધી પાણી નથી આવતું જેને કારણે ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.. પાણી આવે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે.. ઉનાળાના સમયમાં પાણી ના હોય તો શું પરિસ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ. થોડા કલાકો માટે આપણે ત્યાં પાણી બંધ થઈ જાય તો પણ એમ થાય કે પાણી ક્યારે આવશે? ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તેનો વિચાર  કરીએ તો આપણને પાણીની કદર થાય..



કોઈ વખત મહિલાઓ કરે છે થાળી વગાડીને વિરોધ.. 

પાણીની માગ સાથે અનેક વખત મહિલાઓ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતી હોય છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે છે જેમાં મહિલાઓ થાળી, ચમચી લઈ વિરોધ કરવા માટે પહોંચતી હોય છે. કોઈ વખત જો પાણી આવે તો થોડા ઓછા પાણીમાં ઘર ચલાવવું પડતું હોય છે.. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પાણી માટે લોકોને વલખા મારવા પડે છે તો અનેક સવાલો ઉભા થાય છે.. 

રાજુ કરપડા દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત.... 

ત્યારે પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સ્થાનિક લોકો સાથે સરકારી ઓફિસ પહોંચ્યા હતા.. મળતી માહિતી અનુસાર નગર પાલિકાની ઓફિસ તે પહોંચ્યા હતા.. પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે


 गुजरात के सुरेंद्रनगर शहर के बीच में आजादी के 75 साल के बाद भी पीने के लिए पानी नहीं मिल रहा और भारत को विश्व गुरु बनाने का सपना दिखाया जा रहा है। आज प्रोटेस्ट करके विज्ञापन दिया। जनता ने विपक्ष को निर्बल बनाया जिसकी वजह से सरकार निर्लज हो गई। પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામા આવી છે... ત્યારે જોવું રહ્યું કે પાણીની સમસ્યા હલ થાય છે કે નહીં. કારણ કે પાણી મળવું એ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે.. 

    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.