Surendranagar : પાણી માટે ક્યાં સુધી લોકોને વલખા મારવા પડશે? રાજુ કરપડાએ પાણીની સમસ્યાને લઈ કરી ઉગ્ર રજૂઆત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-11 11:07:23

આસાનીથી કોઈ વસ્તુ આપણને મળી જાય તો તેની કદર નથી હોતી તેવું આપણે કહેતા હોઈએ છીએ. એ પછી ભોજન હોય કે પછી પાણી હોય... સામાન્ય લાગતી બાબતો માટે અનેક લોકોને વલખા મારવા પડતા હોય છે.. પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. ગુજરાતના અનેક ભાગો એવા છે જ્યાં પાણીની સમસ્યાઓ માટે લોકોને રજૂઆત કરવા માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા જવું પડે છે.. કલાકો સુધી ઓફિસની બહાર બેસવું પડે છે... પાણી ના આવે તો કેવી હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ..

જ્યારે અનેક દિવસો સુધી પાણી ના મળે ત્યારે...

સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.. પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો એવા છે જ્યાં અનેક દિવસો સુધી પાણી નથી આવતું જેને કારણે ટેન્કરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે.. પાણી આવે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે.. ઉનાળાના સમયમાં પાણી ના હોય તો શું પરિસ્થિતિ થાય તે આપણે જાણીએ છીએ. થોડા કલાકો માટે આપણે ત્યાં પાણી બંધ થઈ જાય તો પણ એમ થાય કે પાણી ક્યારે આવશે? ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે તેનો વિચાર  કરીએ તો આપણને પાણીની કદર થાય..



કોઈ વખત મહિલાઓ કરે છે થાળી વગાડીને વિરોધ.. 

પાણીની માગ સાથે અનેક વખત મહિલાઓ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતી હોય છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે છે જેમાં મહિલાઓ થાળી, ચમચી લઈ વિરોધ કરવા માટે પહોંચતી હોય છે. કોઈ વખત જો પાણી આવે તો થોડા ઓછા પાણીમાં ઘર ચલાવવું પડતું હોય છે.. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પાણી માટે લોકોને વલખા મારવા પડે છે તો અનેક સવાલો ઉભા થાય છે.. 

રાજુ કરપડા દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત.... 

ત્યારે પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સ્થાનિક લોકો સાથે સરકારી ઓફિસ પહોંચ્યા હતા.. મળતી માહિતી અનુસાર નગર પાલિકાની ઓફિસ તે પહોંચ્યા હતા.. પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે


 गुजरात के सुरेंद्रनगर शहर के बीच में आजादी के 75 साल के बाद भी पीने के लिए पानी नहीं मिल रहा और भारत को विश्व गुरु बनाने का सपना दिखाया जा रहा है। आज प्रोटेस्ट करके विज्ञापन दिया। जनता ने विपक्ष को निर्बल बनाया जिसकी वजह से सरकार निर्लज हो गई। પાણી માટેની ઉગ્ર રજૂઆત કરવામા આવી છે... ત્યારે જોવું રહ્યું કે પાણીની સમસ્યા હલ થાય છે કે નહીં. કારણ કે પાણી મળવું એ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે.. 

    



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.