સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર Chandubhai Sihora ભોંઠા પડ્યા!મંડપ વાળાએ મંડપ લગાવવાની ના પાડી દીધી! સાંભળો ઓડિયો ક્લીપ..


  • Published By :
  • Published Date : 2024-03-25 17:30:28

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. નામ જાહેર થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ પ્રચાર શરૂ પણ કરી દીધો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા કાર્યક્રમમાં ખુરશી માટે ફોન કરી રહ્યા છે અને મંડપ વાળા ના પાડી રહ્યા છે અને કહે છે જૂના હિસાબના પૈસા આપો અને પછી જ નવી ખુરશીઓ મળશે...

કાર્યક્રમ માટે ખુરશીનો ઓર્ડર આપવા કર્યો હતો ફોન

સોશિયલ મીડિયા પર અનેક એવા ઓડિયો ક્લીપ, વીડિયો વાયરલ થતા હોય છે જે એકદમ રસપ્રદ હોય..! ત્યારે ચૂંટણી ટાણે એક ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા મંડપ વાળા સાથે વાત કરી રહ્યા છે મંડપ લગાવવા માટે. જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાંસુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદૂભાઈ શિહોરાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારનો એક કાર્યક્રમ થવાનો હતો, ખુરશીઓ માટે કાર્યકર્તા ડેકોરેશન વાળાને ફોન કરે છે અને ખુરશીઓ મંગાવે છે. પરંતુ મંડપવાળા ખુરશી આપવાની ના પાડી દે છે અને આગળનો હિસાબ ચૂકવવા માટે કહે છે. 


ચૂંટણી નજીક આવતા આવા અનેક વીડિયો સામે આવશે.. !

ઉલ્લેખનિય છે કે ગામડામાં જ્યારે આવા કાર્યક્રમો થવાના હોય ત્યારે લોકોને ભેગા કરવા માટે આવા ડેકોરેશન વાળાને જાણ કરવામાં આવતી હોય છે. ડેકોરેટર વાળાને લોકો ભેગા કરવાની જવાબદારી આપી દેવામાં આવતી હોય છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ અનેક વખત બનતી હશે!      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.