સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર Chandubhai Sihora ભોંઠા પડ્યા!મંડપ વાળાએ મંડપ લગાવવાની ના પાડી દીધી! સાંભળો ઓડિયો ક્લીપ..


  • Published By :
  • Published Date : 2024-03-25 17:30:28

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. નામ જાહેર થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ પ્રચાર શરૂ પણ કરી દીધો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા કાર્યક્રમમાં ખુરશી માટે ફોન કરી રહ્યા છે અને મંડપ વાળા ના પાડી રહ્યા છે અને કહે છે જૂના હિસાબના પૈસા આપો અને પછી જ નવી ખુરશીઓ મળશે...

કાર્યક્રમ માટે ખુરશીનો ઓર્ડર આપવા કર્યો હતો ફોન

સોશિયલ મીડિયા પર અનેક એવા ઓડિયો ક્લીપ, વીડિયો વાયરલ થતા હોય છે જે એકદમ રસપ્રદ હોય..! ત્યારે ચૂંટણી ટાણે એક ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા મંડપ વાળા સાથે વાત કરી રહ્યા છે મંડપ લગાવવા માટે. જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાંસુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદૂભાઈ શિહોરાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારનો એક કાર્યક્રમ થવાનો હતો, ખુરશીઓ માટે કાર્યકર્તા ડેકોરેશન વાળાને ફોન કરે છે અને ખુરશીઓ મંગાવે છે. પરંતુ મંડપવાળા ખુરશી આપવાની ના પાડી દે છે અને આગળનો હિસાબ ચૂકવવા માટે કહે છે. 


ચૂંટણી નજીક આવતા આવા અનેક વીડિયો સામે આવશે.. !

ઉલ્લેખનિય છે કે ગામડામાં જ્યારે આવા કાર્યક્રમો થવાના હોય ત્યારે લોકોને ભેગા કરવા માટે આવા ડેકોરેશન વાળાને જાણ કરવામાં આવતી હોય છે. ડેકોરેટર વાળાને લોકો ભેગા કરવાની જવાબદારી આપી દેવામાં આવતી હોય છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ અનેક વખત બનતી હશે!      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે