સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર Chandubhai Sihora ભોંઠા પડ્યા!મંડપ વાળાએ મંડપ લગાવવાની ના પાડી દીધી! સાંભળો ઓડિયો ક્લીપ..


  • Published By :
  • Published Date : 2024-03-25 17:30:28

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. નામ જાહેર થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ પ્રચાર શરૂ પણ કરી દીધો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા કાર્યક્રમમાં ખુરશી માટે ફોન કરી રહ્યા છે અને મંડપ વાળા ના પાડી રહ્યા છે અને કહે છે જૂના હિસાબના પૈસા આપો અને પછી જ નવી ખુરશીઓ મળશે...

કાર્યક્રમ માટે ખુરશીનો ઓર્ડર આપવા કર્યો હતો ફોન

સોશિયલ મીડિયા પર અનેક એવા ઓડિયો ક્લીપ, વીડિયો વાયરલ થતા હોય છે જે એકદમ રસપ્રદ હોય..! ત્યારે ચૂંટણી ટાણે એક ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા મંડપ વાળા સાથે વાત કરી રહ્યા છે મંડપ લગાવવા માટે. જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાંસુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદૂભાઈ શિહોરાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારનો એક કાર્યક્રમ થવાનો હતો, ખુરશીઓ માટે કાર્યકર્તા ડેકોરેશન વાળાને ફોન કરે છે અને ખુરશીઓ મંગાવે છે. પરંતુ મંડપવાળા ખુરશી આપવાની ના પાડી દે છે અને આગળનો હિસાબ ચૂકવવા માટે કહે છે. 


ચૂંટણી નજીક આવતા આવા અનેક વીડિયો સામે આવશે.. !

ઉલ્લેખનિય છે કે ગામડામાં જ્યારે આવા કાર્યક્રમો થવાના હોય ત્યારે લોકોને ભેગા કરવા માટે આવા ડેકોરેશન વાળાને જાણ કરવામાં આવતી હોય છે. ડેકોરેટર વાળાને લોકો ભેગા કરવાની જવાબદારી આપી દેવામાં આવતી હોય છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ અનેક વખત બનતી હશે!      



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.