Surendranagar : પાણી મુદ્દે જગતનો તાત લડી લેવાના મૂડમાં! ખેડૂતોની સમસ્યા સાંભળી Raju Karpadaએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-25 14:32:10

સામેવાળા વ્યક્તિને માન આપીએ તો તે વ્યક્તિ ખુશ થઈ જતો હોય છે. અનેક એવા લોકો હશે જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે, માન આપીને બોલાવવામાં આવે તો ગદગદ થઈ જતા હોય છે. આપણે માનીએ છીએ કે માન આપવાથી આપણું શું જાય છે? પરંતુ માત્ર માન આપવાથી સામે વાળા વ્યક્તિને પડતી સમસ્યાનો ઉકેલ નથી આવતો. આવું જ કંઈ ખેડૂતો સાથે થાય છે. આપણે ખેડૂતને જગતના તાત કહીએ છીએ પરંતુ તે જ જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. માત્ર માન આપવાથી તેમની પરિસ્થિતિ નથી સુધરવાની. 

પાણી આપવા માટે ખેડૂતોએ કરી હતી ઉગ્ર રજૂઆત 

થોડા સમય પહેલા ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. નિકાસબંધીના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ  સુરેન્દ્રનગરનાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ રાખી હતી. 20 થી વધુ ગામના ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતોએ રવિપાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો. 


જો વાલ નહીં ખોલવામાં આવે તો... 

ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિપાક બળી જવાની તૈયારી પર છે. અને એ લોકોને કોઈ સહાય નથી. 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા. ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરી દેવામાં આવ્યા. વાલ બંધ થવાને કારણે ખેડૂતો હવે ખૂબ પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોએ આ કાર્યક્રમમાં નિર્ણય લીધો છે કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધીના પોસ્ટર લગાવી દેવામાં આવશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .