Surendranagar : પાણી મુદ્દે જગતનો તાત લડી લેવાના મૂડમાં! ખેડૂતોની સમસ્યા સાંભળી Raju Karpadaએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-25 14:32:10

સામેવાળા વ્યક્તિને માન આપીએ તો તે વ્યક્તિ ખુશ થઈ જતો હોય છે. અનેક એવા લોકો હશે જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે, માન આપીને બોલાવવામાં આવે તો ગદગદ થઈ જતા હોય છે. આપણે માનીએ છીએ કે માન આપવાથી આપણું શું જાય છે? પરંતુ માત્ર માન આપવાથી સામે વાળા વ્યક્તિને પડતી સમસ્યાનો ઉકેલ નથી આવતો. આવું જ કંઈ ખેડૂતો સાથે થાય છે. આપણે ખેડૂતને જગતના તાત કહીએ છીએ પરંતુ તે જ જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. માત્ર માન આપવાથી તેમની પરિસ્થિતિ નથી સુધરવાની. 

પાણી આપવા માટે ખેડૂતોએ કરી હતી ઉગ્ર રજૂઆત 

થોડા સમય પહેલા ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. નિકાસબંધીના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ  સુરેન્દ્રનગરનાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ રાખી હતી. 20 થી વધુ ગામના ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતોએ રવિપાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો. 


જો વાલ નહીં ખોલવામાં આવે તો... 

ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિપાક બળી જવાની તૈયારી પર છે. અને એ લોકોને કોઈ સહાય નથી. 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા. ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરી દેવામાં આવ્યા. વાલ બંધ થવાને કારણે ખેડૂતો હવે ખૂબ પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોએ આ કાર્યક્રમમાં નિર્ણય લીધો છે કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધીના પોસ્ટર લગાવી દેવામાં આવશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.