Surendranagar : પાણી મુદ્દે જગતનો તાત લડી લેવાના મૂડમાં! ખેડૂતોની સમસ્યા સાંભળી Raju Karpadaએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-25 14:32:10

સામેવાળા વ્યક્તિને માન આપીએ તો તે વ્યક્તિ ખુશ થઈ જતો હોય છે. અનેક એવા લોકો હશે જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે, માન આપીને બોલાવવામાં આવે તો ગદગદ થઈ જતા હોય છે. આપણે માનીએ છીએ કે માન આપવાથી આપણું શું જાય છે? પરંતુ માત્ર માન આપવાથી સામે વાળા વ્યક્તિને પડતી સમસ્યાનો ઉકેલ નથી આવતો. આવું જ કંઈ ખેડૂતો સાથે થાય છે. આપણે ખેડૂતને જગતના તાત કહીએ છીએ પરંતુ તે જ જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. માત્ર માન આપવાથી તેમની પરિસ્થિતિ નથી સુધરવાની. 

પાણી આપવા માટે ખેડૂતોએ કરી હતી ઉગ્ર રજૂઆત 

થોડા સમય પહેલા ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. નિકાસબંધીના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ  સુરેન્દ્રનગરનાં વડધ્રા ગામે ખેડૂત મીટીંગ રાખી હતી. 20 થી વધુ ગામના ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું ત્યાર બાદ ખેડૂતોએ રવિપાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો. 


જો વાલ નહીં ખોલવામાં આવે તો... 

ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિપાક બળી જવાની તૈયારી પર છે. અને એ લોકોને કોઈ સહાય નથી. 18 તારીખે ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી જેના કારણે વાલ ચાલુ થયા. ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરી દેવામાં આવ્યા. વાલ બંધ થવાને કારણે ખેડૂતો હવે ખૂબ પરેશાન છે. ત્યારે હવે ખેડૂતોએ આ કાર્યક્રમમાં નિર્ણય લીધો છે કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધીના પોસ્ટર લગાવી દેવામાં આવશે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.