પોષ મહિનાની સાતમે સૂર્ય પૂજા કરવાનો છે અનેરો મહિમા, મળે છે તમામ કષ્ટોમાંથી મૂક્તિ


  • Published By :
  • Published Date : 2022-12-26 17:28:11

હિંદુ ધર્મમાં સૂર્યની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પોષ મહિનામાં સૂર્યની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્યની ઉપાસના કરવાથી અનેક રોગો દૂર થાય છે. પોષ મહિનાના સુદ પક્ષની સાતમે સૂર્યની પૂજા અને અર્ઘ્ય આપવાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં મળી આવે છે. 

Surya Ardhya: સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ  ધ્યાન | TV9 Gujarati


ઉગતા સૂર્યની કરવી જોઈએ પૂજા 

આપણે ત્યાં ઉગતા સૂર્યને પૂજવાની પરંપરા વર્ષો જૂની છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કંકૂ, ચંદન, ચોખા પધરાવા જોઈએ. અને ધૃણિ સૂર્યાય નમ મંત્ર બોલી જળ અર્પણ કરવું જોઈએ. ઉપરાંત જેટલા બને એટલા આદિત્ય હૃદયસ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઈએ. 


પૂજા કર્યા બાદ કરવું જોઈએ દાન 

એવું માનવામાં આવે છે કે તાંબાના લોટામાં પાણી પીવાથી બીમારીઓ દૂર થાય છે. આ દિવસે મીઠા વગરના ભોજનનું સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાન જો ભૂખ લાગે તો ફળાહાર કરવો જોઈએ. સૂર્ય દેવને અર્ઘ્ય આપ્યા બાદ ભોજન, કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. ઉપરાંત ગાયને ચારો ખવડાવવો જોઈએ. 


માનસિક શાંતિની થાય છે અનુભૂતિ 

સૂર્ય દેવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે ઉપરાંત સુખ સમુદ્ધિમાં પણ વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની સાતમે સૂર્યને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત બુદ્ધિ પણ તેજ બને છે. આ દિવસે દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.