સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નોને મુદ્દે ઉઠાવ્યા સવાલ, સંસદમાં કહ્યું, 'બે ન્યાયાધીશ લગ્નનો નિર્ણય ન કરી શકે'


  • Published By :
  • Published Date : 2022-12-19 21:48:12

ભાજપના રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સોમવારે જણાવ્યું કે દેશમાં સમલૈંગિક લગ્નોનો મુદ્દો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સમલૈંગિક લગ્નો અંગે માત્ર કોર્ટ જ નિર્ણય કરી નથી લઈ શકતી. જો કે તે અંગે સંસદ અને સમાજમાં ચર્ચાની  જરૂર છે.  


શું કહ્યું સુશીલ કુમાર મોદીએ?


બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું બે ન્યાયાધીશ આ પ્રકારના સામાજીક મુદ્દાઓ અંગે નિર્ણય ન લઈ શકે. તેમણે કહ્યું કે આ આપણી સંસ્કૃતિ અને લોકાચારથી વિરૂધ્ધ છે, તેમણે કેન્દ્ર સરકાર સામે માગ કરી કે તેમણે આ મુદ્દો કોર્ટમાં મજબુતીથી ઉઠાવવો જોઈએ. તેમણે સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિક વિવાહ દેશના વ્યક્તિગત કાયદાના નાજુક સમતોલનના વિનાસનું કારણ બનશે. પરિવાર, બાળકો અને તેમના ઉછેર જેવા મુદ્દા વિવાહની સંસ્થા સાથે સંબંધીત છે. જેમ કે દત્તક લેવું, ઘરેલું હિંસા, તલાક અને વૈવાહિક ઘરમાં રહેવા રહેવા માટે પત્નીનો અધિકાર છે. તેમણે જાપાનનું દ્રષ્ટાંત આપ્યું કે જાપાન  G7 ગ્રુપનો એકમાત્ર એશિયન દેશ છે. તેમ છતાં પણ તે દેશે સમલૈંગિક વિવાહનો વિરોધ  કર્યો છે. એશિયામાં તાઈવાન એકમાત્ર દેશ છે જેણે સમલૈંગિક વિવાહોને માન્યતા આપી છે. આપણા દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક જૈવિક પુરૂષ અને મહિલા વચ્ચે સંબંધ છે જે દેશના સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક મુલ્યો, રીતિ રિવાજો અને પરંપરાઓમાં તેના મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ પર્સનલ લો જેવા કોઈ પણ વ્યક્તિગત વિવાહમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી કે સ્વિકારવામાં આવ્યા નથી. તેમણે ન્યાયતંત્રને પણ કહ્યું કે તેણે કોઈ પણ એવો નિર્ણય ન લેવો જોઈએ જે દેશની સંસ્કૃતિ, લોકાચાર અને માન્યતાની વિરૂધ્ધ હોય.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.