સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નોને મુદ્દે ઉઠાવ્યા સવાલ, સંસદમાં કહ્યું, 'બે ન્યાયાધીશ લગ્નનો નિર્ણય ન કરી શકે'


  • Published By :
  • Published Date : 2022-12-19 21:48:12

ભાજપના રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સોમવારે જણાવ્યું કે દેશમાં સમલૈંગિક લગ્નોનો મુદ્દો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સમલૈંગિક લગ્નો અંગે માત્ર કોર્ટ જ નિર્ણય કરી નથી લઈ શકતી. જો કે તે અંગે સંસદ અને સમાજમાં ચર્ચાની  જરૂર છે.  


શું કહ્યું સુશીલ કુમાર મોદીએ?


બિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું બે ન્યાયાધીશ આ પ્રકારના સામાજીક મુદ્દાઓ અંગે નિર્ણય ન લઈ શકે. તેમણે કહ્યું કે આ આપણી સંસ્કૃતિ અને લોકાચારથી વિરૂધ્ધ છે, તેમણે કેન્દ્ર સરકાર સામે માગ કરી કે તેમણે આ મુદ્દો કોર્ટમાં મજબુતીથી ઉઠાવવો જોઈએ. તેમણે સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિક વિવાહ દેશના વ્યક્તિગત કાયદાના નાજુક સમતોલનના વિનાસનું કારણ બનશે. પરિવાર, બાળકો અને તેમના ઉછેર જેવા મુદ્દા વિવાહની સંસ્થા સાથે સંબંધીત છે. જેમ કે દત્તક લેવું, ઘરેલું હિંસા, તલાક અને વૈવાહિક ઘરમાં રહેવા રહેવા માટે પત્નીનો અધિકાર છે. તેમણે જાપાનનું દ્રષ્ટાંત આપ્યું કે જાપાન  G7 ગ્રુપનો એકમાત્ર એશિયન દેશ છે. તેમ છતાં પણ તે દેશે સમલૈંગિક વિવાહનો વિરોધ  કર્યો છે. એશિયામાં તાઈવાન એકમાત્ર દેશ છે જેણે સમલૈંગિક વિવાહોને માન્યતા આપી છે. આપણા દેશમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક જૈવિક પુરૂષ અને મહિલા વચ્ચે સંબંધ છે જે દેશના સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક મુલ્યો, રીતિ રિવાજો અને પરંપરાઓમાં તેના મહત્વને દર્શાવે છે. હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ પર્સનલ લો જેવા કોઈ પણ વ્યક્તિગત વિવાહમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી કે સ્વિકારવામાં આવ્યા નથી. તેમણે ન્યાયતંત્રને પણ કહ્યું કે તેણે કોઈ પણ એવો નિર્ણય ન લેવો જોઈએ જે દેશની સંસ્કૃતિ, લોકાચાર અને માન્યતાની વિરૂધ્ધ હોય.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.