Junagadh તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI Taral Bhattની પોલીસે કરી ધરપકડ!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:25:59

ખાખીનો ઉપયોગ કરી કથિત રીતે તોડ કરતા ત્રણ સ્ટાર વાળા સસ્પેન્ડેડ પીઆઇની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુજરાત પોલીસને માથે કલંકનું ટીકુ લગાડનાર પીઆઇના તોડકાંડ બાબતે હવે તપાસ કરવામાં આવશે અને જો આ તોડકાંડમાં પીઆઇ દોશી હશે તો આ પીઆઇને દિવસમાં તારા દેખાશે.

તરલ ભટ્ટની કરવામાં આવી ધરપકડ 

અહીંયા વાત થઈ છે જૂનાગઢ તોડકાંડની કે જેના મુખ્ય આરોપી છે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની . આ તરલ ભટ્ટની ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું હતું અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી - મુંબઈ સમાચાર

જેલના હવાલે થશે તરલ ભટ્ટ!

સાયબર ક્રાઇમના એક્ષ્પર્ટ પીઆઇ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પણ થઇ હતી પણ હવે તરલ ભટ્ટ જેલની હવા ખાવાના છે કારણ કે તે જૂનાગઢ તોડકાંડમાં આરોપી છે.  ત્યારે જૂનાગઢ તોડકાંડ છે શું અને શું તોડ થયો હતો તેની વાત કરીયે તો આ પીઆઇ દ્વારા 335 જેટલા બેન્ક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિની ફરિયાદથી આ તોડકાંડ બહાર આવ્યું. 


શું હતો સમગ્ર મામલો? 

કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


એ.ટી.એસ કરી રહી હતી તરલ ભટ્ટની તપાસ!

જૂનાગઢના આ તોડકાંડની ગુંજ છેક ગાંધીનગર અને સરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી ATS કરી રહી છે. જે એજન્સીનું કામ આતંકવાદી પકડવાનું છે તે એજન્સી હવે આ તોડકાંડની તપાસ કરી રહી છે. હવે તરલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે હવે જોવું રહ્યું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.