Junagadh તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI Taral Bhattની પોલીસે કરી ધરપકડ!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:25:59

ખાખીનો ઉપયોગ કરી કથિત રીતે તોડ કરતા ત્રણ સ્ટાર વાળા સસ્પેન્ડેડ પીઆઇની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુજરાત પોલીસને માથે કલંકનું ટીકુ લગાડનાર પીઆઇના તોડકાંડ બાબતે હવે તપાસ કરવામાં આવશે અને જો આ તોડકાંડમાં પીઆઇ દોશી હશે તો આ પીઆઇને દિવસમાં તારા દેખાશે.

તરલ ભટ્ટની કરવામાં આવી ધરપકડ 

અહીંયા વાત થઈ છે જૂનાગઢ તોડકાંડની કે જેના મુખ્ય આરોપી છે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની . આ તરલ ભટ્ટની ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું હતું અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી - મુંબઈ સમાચાર

જેલના હવાલે થશે તરલ ભટ્ટ!

સાયબર ક્રાઇમના એક્ષ્પર્ટ પીઆઇ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પણ થઇ હતી પણ હવે તરલ ભટ્ટ જેલની હવા ખાવાના છે કારણ કે તે જૂનાગઢ તોડકાંડમાં આરોપી છે.  ત્યારે જૂનાગઢ તોડકાંડ છે શું અને શું તોડ થયો હતો તેની વાત કરીયે તો આ પીઆઇ દ્વારા 335 જેટલા બેન્ક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિની ફરિયાદથી આ તોડકાંડ બહાર આવ્યું. 


શું હતો સમગ્ર મામલો? 

કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


એ.ટી.એસ કરી રહી હતી તરલ ભટ્ટની તપાસ!

જૂનાગઢના આ તોડકાંડની ગુંજ છેક ગાંધીનગર અને સરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી ATS કરી રહી છે. જે એજન્સીનું કામ આતંકવાદી પકડવાનું છે તે એજન્સી હવે આ તોડકાંડની તપાસ કરી રહી છે. હવે તરલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે હવે જોવું રહ્યું.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.