SC, ST, OBC, મુસ્લિમો અને વિચરતી જાતિઓ માટે શરૂ કરાઈ સ્વાભિમાન હેલ્પલાઈન, પિડીતો ફોન કરીને માગી શકશે મદદ


  • Published By :
  • Published Date : 2023-05-22 17:25:14

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર હુમલા વધી રહ્યા છે. આ લોકો પર એક યા બીજી રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી દ્વારા પાર્લામેન્ટમાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડામાં પણ આ હકીકતનો ખુલાસો થયો હતો. ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 4 વર્ષમાં અનુસુચિત જાતિના એટલે કે દલિત સમાજના 1.89 લાખ એટ્રોસીટીના અત્યાચારના કેસ નોંધાયા છે. દલિત સમાજ પર એક કે બીજા પ્રકારે અત્યાચારો અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સરકારે આપેલા સત્તાવાર આંકડા ઉપરાંત અત્યાચારની વણનોંધાયેલી બીજી હજારો ઘટનાઓ રાજ્ય અને દેશમાં બને છે, જે ક્યારેય સામે આવતી જ નથી. આ જ કારણે રાજ્યમાં સ્વાભિમાન હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્વાભિમાન હેલ્પલાઈન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલ્પલાઈનનો હેતુ દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે. જિજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં અત્યાચારની આવી ઘટનાઓ સતત બની રહી છે. જેમ કે ઉના કાંડ, થાનગઢ દલિત હત્યાકાંડ, ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, અમરાભાઈ બોરીચા હત્યાકેસ, તાજેતરમાં બનેવી વાલમની દીકરી સાથે થયેલી ઘટના કે પછી દલિતોને કુવામાંથી પાણી ન ભરવા દેવું, મંદિર પ્રવેશના મુદ્દે દલિત વ્યક્તિ સાથે મારપીટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


સ્વાભિમાન હેલ્પલાઈન શા માટે?


રાજ્યમાં  દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ વર્ગના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ નોંધાવવા જાય તો પણ તેમને બેફામ શબ્દો બોલી અડધુત કરીને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવે છે. આ જ પ્રકારે કલેક્ટર, પ્રાંત કે મામલતદાર કચેરીઓમાં પણ તેમની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી. આવા કિસ્સાઓમાં આ કચડાયેલા સમાજના લોકોને ન્યાય મળતો નથી. સ્વાભિમાન હેલ્પલાઈન શરૂ કરવાનો હેતું તેમને કાનુની મદદ અને સંરક્ષણ આપવાનો છે. સ્વાભિમાન હેલ્પલાઈનમાં ફોન કરનારી પિડીત વ્યક્તિને તમામ પ્રકારની મદદ આપવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ સહિતના વર્ગના લોકો માટે આ હેલ્પલાઈન નંબર 9724344061  આશિર્વાદરૂપ સાબિત થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.