SC, ST, OBC, મુસ્લિમો અને વિચરતી જાતિઓ માટે શરૂ કરાઈ સ્વાભિમાન હેલ્પલાઈન, પિડીતો ફોન કરીને માગી શકશે મદદ


  • Published By :
  • Published Date : 2023-05-22 17:25:14

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર હુમલા વધી રહ્યા છે. આ લોકો પર એક યા બીજી રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી દ્વારા પાર્લામેન્ટમાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડામાં પણ આ હકીકતનો ખુલાસો થયો હતો. ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 4 વર્ષમાં અનુસુચિત જાતિના એટલે કે દલિત સમાજના 1.89 લાખ એટ્રોસીટીના અત્યાચારના કેસ નોંધાયા છે. દલિત સમાજ પર એક કે બીજા પ્રકારે અત્યાચારો અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સરકારે આપેલા સત્તાવાર આંકડા ઉપરાંત અત્યાચારની વણનોંધાયેલી બીજી હજારો ઘટનાઓ રાજ્ય અને દેશમાં બને છે, જે ક્યારેય સામે આવતી જ નથી. આ જ કારણે રાજ્યમાં સ્વાભિમાન હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્વાભિમાન હેલ્પલાઈન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલ્પલાઈનનો હેતુ દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે. જિજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં અત્યાચારની આવી ઘટનાઓ સતત બની રહી છે. જેમ કે ઉના કાંડ, થાનગઢ દલિત હત્યાકાંડ, ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, અમરાભાઈ બોરીચા હત્યાકેસ, તાજેતરમાં બનેવી વાલમની દીકરી સાથે થયેલી ઘટના કે પછી દલિતોને કુવામાંથી પાણી ન ભરવા દેવું, મંદિર પ્રવેશના મુદ્દે દલિત વ્યક્તિ સાથે મારપીટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


સ્વાભિમાન હેલ્પલાઈન શા માટે?


રાજ્યમાં  દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ વર્ગના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ નોંધાવવા જાય તો પણ તેમને બેફામ શબ્દો બોલી અડધુત કરીને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવે છે. આ જ પ્રકારે કલેક્ટર, પ્રાંત કે મામલતદાર કચેરીઓમાં પણ તેમની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી. આવા કિસ્સાઓમાં આ કચડાયેલા સમાજના લોકોને ન્યાય મળતો નથી. સ્વાભિમાન હેલ્પલાઈન શરૂ કરવાનો હેતું તેમને કાનુની મદદ અને સંરક્ષણ આપવાનો છે. સ્વાભિમાન હેલ્પલાઈનમાં ફોન કરનારી પિડીત વ્યક્તિને તમામ પ્રકારની મદદ આપવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ સહિતના વર્ગના લોકો માટે આ હેલ્પલાઈન નંબર 9724344061  આશિર્વાદરૂપ સાબિત થશે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?