SC, ST, OBC, મુસ્લિમો અને વિચરતી જાતિઓ માટે શરૂ કરાઈ સ્વાભિમાન હેલ્પલાઈન, પિડીતો ફોન કરીને માગી શકશે મદદ


  • Published By :
  • Published Date : 2023-05-22 17:25:14

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર હુમલા વધી રહ્યા છે. આ લોકો પર એક યા બીજી રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી દ્વારા પાર્લામેન્ટમાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડામાં પણ આ હકીકતનો ખુલાસો થયો હતો. ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 4 વર્ષમાં અનુસુચિત જાતિના એટલે કે દલિત સમાજના 1.89 લાખ એટ્રોસીટીના અત્યાચારના કેસ નોંધાયા છે. દલિત સમાજ પર એક કે બીજા પ્રકારે અત્યાચારો અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સરકારે આપેલા સત્તાવાર આંકડા ઉપરાંત અત્યાચારની વણનોંધાયેલી બીજી હજારો ઘટનાઓ રાજ્ય અને દેશમાં બને છે, જે ક્યારેય સામે આવતી જ નથી. આ જ કારણે રાજ્યમાં સ્વાભિમાન હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્વાભિમાન હેલ્પલાઈન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલ્પલાઈનનો હેતુ દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે. જિજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં અત્યાચારની આવી ઘટનાઓ સતત બની રહી છે. જેમ કે ઉના કાંડ, થાનગઢ દલિત હત્યાકાંડ, ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, અમરાભાઈ બોરીચા હત્યાકેસ, તાજેતરમાં બનેવી વાલમની દીકરી સાથે થયેલી ઘટના કે પછી દલિતોને કુવામાંથી પાણી ન ભરવા દેવું, મંદિર પ્રવેશના મુદ્દે દલિત વ્યક્તિ સાથે મારપીટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


સ્વાભિમાન હેલ્પલાઈન શા માટે?


રાજ્યમાં  દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ વર્ગના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ નોંધાવવા જાય તો પણ તેમને બેફામ શબ્દો બોલી અડધુત કરીને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવે છે. આ જ પ્રકારે કલેક્ટર, પ્રાંત કે મામલતદાર કચેરીઓમાં પણ તેમની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી. આવા કિસ્સાઓમાં આ કચડાયેલા સમાજના લોકોને ન્યાય મળતો નથી. સ્વાભિમાન હેલ્પલાઈન શરૂ કરવાનો હેતું તેમને કાનુની મદદ અને સંરક્ષણ આપવાનો છે. સ્વાભિમાન હેલ્પલાઈનમાં ફોન કરનારી પિડીત વ્યક્તિને તમામ પ્રકારની મદદ આપવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ સહિતના વર્ગના લોકો માટે આ હેલ્પલાઈન નંબર 9724344061  આશિર્વાદરૂપ સાબિત થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.