Ram Mandir આંદોલન વખતે કાર સેવકો પર ગોળી ચલાવવાના નિર્ણયને Swami Prasad Mauryaએ યોગ્ય ગણાવ્યો, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-10 13:52:14

દરેક જગ્યા પર અયોધ્યના રામ મંદિરની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા છે. આ તારીખે ભગવાન રામની મૂર્તિ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. દુલ્હનની જેમ આખી રામનગરીને સજાવવામાં આવી છે. રામ મંદિરને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. મંદિરને લઈ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે રામ પ્રસાદ મોર્યનું એક નિવેદન સામે આવ્યું છે  જેમાં તે કહી રહ્યા છે કે કાર સેવકો પર કરવામાં આવેલી ગોળીબારી યોગ્ય હતી! 

કાર સેવકો પર કરવામાં આવી હતી ગોળીબારી  

રામ મંદિરને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. રામ મંદિરને લઈ અનેક આંદોલનો ચાલ્યા, અનેક કાર સેવકોએ ગોળી ખાધી. દેશના અનેક રાજ્યોમાં આ આંદોલનની ચળવળ જોવા મળી હતી. આ આંદોલન 500 વર્ષ ચાલ્યું. આખા આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં હાજર હતા. કાર સેવકો પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 5 કાર સેવકોના મોત થઈ ગયા હતા. જ્યારે આખી ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતા. આ ગોળીબારના બે દિવસ પછી એટલે કે 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો. 


તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા મુલાયમ સિંહ 

વિવાદને ધ્યાનમાં રાખી પોલીસના કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે બારકેડિંગ પણ લગાવી દીધી હતી. મોટા પ્રમાણમાં કાર સેવકો ત્યાં હાજર હતા. ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે કાર સેવકો પર ગોળી ચલાવી દીધી. પોલીસની ગોળીબારીથી પાંચ કાર સેવકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. સીએમએ દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો આ કર્યા સિવાય. 

अतीत के आईने सेः उत्तर प्रदेश की राजनीति में वंशवृक्ष 'मुलायम सिंह' का  सियासी कुनबा - Mulayam Singh political dynasty in Uttar Pradesh Jagran  Special

સ્વામી પ્રસાદ મોર્યનું સામે આવ્યું નિવેદન!

ત્યારે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે સરકારે સંવિધાન અને કાયદાની રક્ષા કરવા માટે ગોળીબારી કરી હતી. કોઈ પણ પ્રશાસનિક કે ન્યાયપાલિકાની પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે સંવિધાન અને કાનૂનની રક્ષા માટે, સુખ શાંતિ બચાવવા માટે ગોળી ચલાવડાવી હતી. તે સરકારનું પોતાનું કર્તવ્ય હતું અને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.