Ram Mandir આંદોલન વખતે કાર સેવકો પર ગોળી ચલાવવાના નિર્ણયને Swami Prasad Mauryaએ યોગ્ય ગણાવ્યો, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-10 13:52:14

દરેક જગ્યા પર અયોધ્યના રામ મંદિરની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા છે. આ તારીખે ભગવાન રામની મૂર્તિ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. દુલ્હનની જેમ આખી રામનગરીને સજાવવામાં આવી છે. રામ મંદિરને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. મંદિરને લઈ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે રામ પ્રસાદ મોર્યનું એક નિવેદન સામે આવ્યું છે  જેમાં તે કહી રહ્યા છે કે કાર સેવકો પર કરવામાં આવેલી ગોળીબારી યોગ્ય હતી! 

કાર સેવકો પર કરવામાં આવી હતી ગોળીબારી  

રામ મંદિરને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. રામ મંદિરને લઈ અનેક આંદોલનો ચાલ્યા, અનેક કાર સેવકોએ ગોળી ખાધી. દેશના અનેક રાજ્યોમાં આ આંદોલનની ચળવળ જોવા મળી હતી. આ આંદોલન 500 વર્ષ ચાલ્યું. આખા આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં હાજર હતા. કાર સેવકો પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 5 કાર સેવકોના મોત થઈ ગયા હતા. જ્યારે આખી ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતા. આ ગોળીબારના બે દિવસ પછી એટલે કે 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો. 


તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા મુલાયમ સિંહ 

વિવાદને ધ્યાનમાં રાખી પોલીસના કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે બારકેડિંગ પણ લગાવી દીધી હતી. મોટા પ્રમાણમાં કાર સેવકો ત્યાં હાજર હતા. ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે કાર સેવકો પર ગોળી ચલાવી દીધી. પોલીસની ગોળીબારીથી પાંચ કાર સેવકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. સીએમએ દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો આ કર્યા સિવાય. 

अतीत के आईने सेः उत्तर प्रदेश की राजनीति में वंशवृक्ष 'मुलायम सिंह' का  सियासी कुनबा - Mulayam Singh political dynasty in Uttar Pradesh Jagran  Special

સ્વામી પ્રસાદ મોર્યનું સામે આવ્યું નિવેદન!

ત્યારે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે સરકારે સંવિધાન અને કાયદાની રક્ષા કરવા માટે ગોળીબારી કરી હતી. કોઈ પણ પ્રશાસનિક કે ન્યાયપાલિકાની પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે સંવિધાન અને કાનૂનની રક્ષા માટે, સુખ શાંતિ બચાવવા માટે ગોળી ચલાવડાવી હતી. તે સરકારનું પોતાનું કર્તવ્ય હતું અને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે