Ram Mandir આંદોલન વખતે કાર સેવકો પર ગોળી ચલાવવાના નિર્ણયને Swami Prasad Mauryaએ યોગ્ય ગણાવ્યો, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-10 13:52:14

દરેક જગ્યા પર અયોધ્યના રામ મંદિરની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા છે. આ તારીખે ભગવાન રામની મૂર્તિ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. દુલ્હનની જેમ આખી રામનગરીને સજાવવામાં આવી છે. રામ મંદિરને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. મંદિરને લઈ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે રામ પ્રસાદ મોર્યનું એક નિવેદન સામે આવ્યું છે  જેમાં તે કહી રહ્યા છે કે કાર સેવકો પર કરવામાં આવેલી ગોળીબારી યોગ્ય હતી! 

કાર સેવકો પર કરવામાં આવી હતી ગોળીબારી  

રામ મંદિરને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. રામ મંદિરને લઈ અનેક આંદોલનો ચાલ્યા, અનેક કાર સેવકોએ ગોળી ખાધી. દેશના અનેક રાજ્યોમાં આ આંદોલનની ચળવળ જોવા મળી હતી. આ આંદોલન 500 વર્ષ ચાલ્યું. આખા આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં હાજર હતા. કાર સેવકો પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 5 કાર સેવકોના મોત થઈ ગયા હતા. જ્યારે આખી ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતા. આ ગોળીબારના બે દિવસ પછી એટલે કે 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો. 


તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા મુલાયમ સિંહ 

વિવાદને ધ્યાનમાં રાખી પોલીસના કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે બારકેડિંગ પણ લગાવી દીધી હતી. મોટા પ્રમાણમાં કાર સેવકો ત્યાં હાજર હતા. ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે કાર સેવકો પર ગોળી ચલાવી દીધી. પોલીસની ગોળીબારીથી પાંચ કાર સેવકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. સીએમએ દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો આ કર્યા સિવાય. 

अतीत के आईने सेः उत्तर प्रदेश की राजनीति में वंशवृक्ष 'मुलायम सिंह' का  सियासी कुनबा - Mulayam Singh political dynasty in Uttar Pradesh Jagran  Special

સ્વામી પ્રસાદ મોર્યનું સામે આવ્યું નિવેદન!

ત્યારે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે સરકારે સંવિધાન અને કાયદાની રક્ષા કરવા માટે ગોળીબારી કરી હતી. કોઈ પણ પ્રશાસનિક કે ન્યાયપાલિકાની પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે સંવિધાન અને કાનૂનની રક્ષા માટે, સુખ શાંતિ બચાવવા માટે ગોળી ચલાવડાવી હતી. તે સરકારનું પોતાનું કર્તવ્ય હતું અને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.