કાળજાળ ગરમીમાં VMCનું લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:09:56

વડોદરામાં ભર ઉનાળે કોર્પોરેશનના સત્તાધિશોએ લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરતા તરવયાઓમાં રોષ જોવા મળ્યો. હાલમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં     મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લોકો સ્વિમિંગ માટે જતાં હોય છે ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પૂલમાં કામગીરી શરૂ કરતાં લોકો રોષે ભરાયા.

 



લાલ બાગ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. સ્વીમરોએ ફરિયાદ કરી કે સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય છે. અને તેના કારણે તેમને દર વર્ષે પાંચ થી સાત કિલોમીટર દૂર સ્વિમિંગ કરવા માટે જવું પડે છે.  સ્વિમિંગ પૂલમાં 345 લાઈફ મેમ્બર, દસ વર્ષની મેમ્બરશીપવાળા 200 થી વધુ લોકો છે. સ્વિમિંગ પુલના સંચાલકોએ કહ્યું કે આગામી સપ્તાહમાં લાલ બાગ સ્વિમિંગ પુલ શરુ થઈ જશે તેવું આશ્વાસન લોકોને આપ્યું છે 


કોર્પોરેશનના અધિકારીઓએ ખુલાસો કર્યો કે વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગ સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે સૌથી વધુ મેમ્બરોનો ઘસારો રહેતો હોય છે. સભ્યોના ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. ત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તરવૈયા અને શિખાઉ સભ્યો માટે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલમાં મેન્ટેનન્સને પગલે સભ્યોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો.







મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.