કાળજાળ ગરમીમાં VMCનું લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:09:56

વડોદરામાં ભર ઉનાળે કોર્પોરેશનના સત્તાધિશોએ લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરતા તરવયાઓમાં રોષ જોવા મળ્યો. હાલમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં     મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લોકો સ્વિમિંગ માટે જતાં હોય છે ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પૂલમાં કામગીરી શરૂ કરતાં લોકો રોષે ભરાયા.

 



લાલ બાગ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. સ્વીમરોએ ફરિયાદ કરી કે સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય છે. અને તેના કારણે તેમને દર વર્ષે પાંચ થી સાત કિલોમીટર દૂર સ્વિમિંગ કરવા માટે જવું પડે છે.  સ્વિમિંગ પૂલમાં 345 લાઈફ મેમ્બર, દસ વર્ષની મેમ્બરશીપવાળા 200 થી વધુ લોકો છે. સ્વિમિંગ પુલના સંચાલકોએ કહ્યું કે આગામી સપ્તાહમાં લાલ બાગ સ્વિમિંગ પુલ શરુ થઈ જશે તેવું આશ્વાસન લોકોને આપ્યું છે 


કોર્પોરેશનના અધિકારીઓએ ખુલાસો કર્યો કે વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગ સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે સૌથી વધુ મેમ્બરોનો ઘસારો રહેતો હોય છે. સભ્યોના ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. ત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તરવૈયા અને શિખાઉ સભ્યો માટે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલમાં મેન્ટેનન્સને પગલે સભ્યોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો.







ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.