કાળજાળ ગરમીમાં VMCનું લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:09:56

વડોદરામાં ભર ઉનાળે કોર્પોરેશનના સત્તાધિશોએ લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરતા તરવયાઓમાં રોષ જોવા મળ્યો. હાલમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્ર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં     મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વિમિંગ માટે આવતા હોય છે અને સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં લોકો સ્વિમિંગ માટે જતાં હોય છે ત્યારે ભર ઉનાળે સ્વિમિંગ પૂલમાં કામગીરી શરૂ કરતાં લોકો રોષે ભરાયા.

 



લાલ બાગ સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. સ્વીમરોએ ફરિયાદ કરી કે સ્વિમિંગ પૂલમાં લાંબા સમય સુધી મેન્ટેન્સ કામગીરી ચાલતી હોય છે. અને તેના કારણે તેમને દર વર્ષે પાંચ થી સાત કિલોમીટર દૂર સ્વિમિંગ કરવા માટે જવું પડે છે.  સ્વિમિંગ પૂલમાં 345 લાઈફ મેમ્બર, દસ વર્ષની મેમ્બરશીપવાળા 200 થી વધુ લોકો છે. સ્વિમિંગ પુલના સંચાલકોએ કહ્યું કે આગામી સપ્તાહમાં લાલ બાગ સ્વિમિંગ પુલ શરુ થઈ જશે તેવું આશ્વાસન લોકોને આપ્યું છે 


કોર્પોરેશનના અધિકારીઓએ ખુલાસો કર્યો કે વડોદરાનો લાલબાગ સ્વિમિંગ પૂલ 1974માં બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પૂલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગ સ્વિમિંગ પુલનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી. જેમાં ફિલ્ટરની સફાઈ, ક્લોરીનેશનની ટેકનિકલ કામગીરી, હોજની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે સૌથી વધુ મેમ્બરોનો ઘસારો રહેતો હોય છે. સભ્યોના ઘસારાને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ માટે શિફ્ટ ગોઠવવામાં આવે છે. ત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય તરવૈયા અને શિખાઉ સભ્યો માટે કારેલીબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલમાં મેન્ટેનન્સને પગલે સભ્યોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો.







ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .