સિવિલમાં 122 દિવસ પછી સ્વાઇનફ્લુ અને કોરોના વોર્ડ ખાલી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:36:21


છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લુ અને કોરોનાના કેસ ધીમે ધીમે ઘટતાં જઈ રહ્યા છે. તેમ છતાં સામાન્યથી લઇને મધ્યમ લક્ષણો સાથે કોરોનાના બેથી ત્રણ અને સ્વાઈન ફલૂના 1થી 2 દર્દી દાખલ રહેતાં હતા. પરંતુ, રવિવારે સિવિલમાં 286 દિવસ પછી સ્વાઈન ફલૂ અને 122 દિવસ પછી કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.




સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ  જણાવ્યું કે  વરસાદી માહોલને કારણે બે મહિના પહેલા હોસ્પિટલમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યામાં વધઘટ થતી હતી. કયારેક સ્વાઈન ફલૂ તો કયારેક કોવિડના દર્દી વધુ નોંધાતા હતા. મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણો જ્યારે વિવિધ રોગથી પીડાતા મોટી ઉંમરના દર્દીને ઓક્સિજનથી લઇને બાયપેપ પર રાખવાની જરૂર પડતી હતી. પરંતુ, છેલ્લાં દોઢ મહિનાથી સ્વાઈન ફલૂ અને કોવિડ બંને રોગના દર્દીનો આંકડો ઘટીને 10ની આજુબાજુ પહોંચ્યો હતો. જેમાં ક્રમશ ઘટાડો થઇને હવે રવિવારે એકપણ દર્દી દાખલ રહ્યો નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...