સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના કાળાનાણામાં આવ્યો મોટો ઘટાડો, રકમ 11 ટકા ઘટીને 3.42 અબજ સ્વિસ ફ્રેંક થઈ


  • Published By :
  • Published Date : 2023-06-23 22:07:35

ભારત સહિત વિશ્વના અબજોપતિઓનાં કાળાનાણા છુપાવવા માટે કુખ્યાત સ્વિસ બેંકોમાં જમા રાખવામાં આવતી રકમમાં ગયા વર્ષે મોટો ઘટાડો જોવા મળ્યો છે.  ભારતીયો અને કંપનીઓની રકમ 11 ટકા ઘટીને 3.42 અબજ સ્વિસ ફ્રેંક (લગભગ રૂ. 30,000 કરોડ) થઈ ગઈ છે. સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંકે ગુરુવારે આ માહિતી આપી છે. સ્વિસ સેન્ટ્રલ બેંક SNBના આંકડા અનુસાર, વર્ષ 2022માં સ્વિસ બેંકોમાં રાખવામાં આવેલા ભારતીય ગ્રાહકોનું કુલ ભંડોળ 11 ટકા ઘટીને 3.42 અબજ ફ્રેંક રહી ગયું છે. આના એક વર્ષ પહેલા, 2021 માં, ભારતીય ગ્રાહકોએ સ્વિસ બેંકોમાં 3.83 અબજ સ્વિસ ફ્રેંકની રકમ જમા રાખી હતી, જે 14 વર્ષની સર્વોચ્ચ સપાટી હતી.


થાપણોમાં ગયા વર્ષે  34 ટકા ઘટાડો નોંધાયો


આ ઉપરાંત સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ ગયા વર્ષે લગભગ 34 ટકા ઘટીને 39.4 કરોડ ફ્રેંક થઈ ગઈ છે. આ પહેલા, 2021 માં, તે 7 વર્ષની ઊંચી સપાટી 60.2 કરોડ ફ્રેંક પર હતી. સ્વિસ બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (SNB)ને આપવામાં આવેલી માહિતીના આધારે જાહેર કરવામાં આવેલા ડેટામાં ભારતીય ખાતાધારકો દ્વારા જમા કરાયેલા કથિત કાળા નાણાંનો કોઈ ઉલ્લેખ નથી. આ આંકડાઓમાં ત્રીજા દેશથી સંબંધિત કંપનીઓના નામે સ્વિસ બેંકોમાં જમા રકમનો પણ સમાવેશ થતો નથી.


વર્ષ 2022માં 342.4 કરોડ સ્વિસ ફ્રેંક જમા હતા  


SNB અનુસાર, વર્ષ 2022 ના અંતે, ભારતીય ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેંકોની કુલ જવાબદારી 342.4 કરોડ સ્વિસ ફ્રેંક હતી. તેમાંથી 39.4 કરોડ સ્વિસ ફ્રેંક ડિપોઝિટના રૂપમાં હતા, જ્યારે 110 કરોડ ફ્રેંક અન્ય બેંકો દ્વારા સ્વિસ બેંકોમાં પહોંચ્યા હતા. વધુમાં, 2.4 કરોડ  ફ્રેંક જવાબદાર વ્યક્તિઓ અથવા ટ્રસ્ટો પાસે હતા, જ્યારે 189.6 કરોડ ફ્રેંક ગ્રાહકો વતી બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સાધનોના રૂપમાં બેંકો પાસે રાખવામાં આવ્યા હતા.


2006માં 6.5 બિલિયન ફ્રેંકના રેકોર્ડ સ્તરે હતી ડિપોઝીટ


ગયા વર્ષે, સ્વિસ બેંકો પાસે ભારતીયોની સંપત્તિના ચાર જૂથોમાંથી, માત્ર જવાબદાર વ્યક્તિઓ અને ટ્રસ્ટ સેગમેન્ટમાં વધારો જોવા મળ્યો હતો. અન્ય તમામ ત્રણ વિભાગો- અન્ય બેંકો અને બોન્ડ્સ અને સિક્યોરિટીઝ સેગમેન્ટ દ્વારા મુકવામાં આવેલી થાપણોમાં ઘટાડો નોંધાયો છે. 2006માં સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલી કુલ રકમ 6.5 બિલિયન ફ્રેંકના રેકોર્ડ સ્તરે હતી, ત્યારબાદ તેમાં વત્તા-ઓછા પ્રમાણમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન માત્ર 2011, 2013, 2017, 2020 અને 2021માં જ સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?