તાજ મહેલ કે તેજો મહાલય, આજે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુ થશે પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 14:05:14

આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવાની કવાયત ફરીથી શરૂ થઈ ગઈ છે. આગ્રાના નગર નિગમ સદનમાં તાજ મહેલનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોરે ચર્ચા માટે આજે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


તાજ મહેલ પહેલા હતું શિવ મંદિર


શોભારામ રાઠોરે કહ્યું કે તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા પણ ઘણા નિશાન છે જે એ બાબત સિધ્ધ કરે છે કે આ તાજ મહેલ પહેલા શિવ મંદિર હતો. મુઘલ શાસક શાસક શાહજહાંએ તેનું નામ બદલીને તાજમહેલ કરી દીધું છે. આ રાજા જયસિંહની સંપત્તી હતી. કોઈ પણ એવું કબ્રસ્તાન નથી જ્યાં મહેલ બન્યો હોય. 


નગર નિગમમાં ભાજપની બહુમતી


આગ્રા નગર નિગમમાં ભાજપના કોર્પોરેટરની બહુમતી છે તેથી શોભારામ રાઠોરનો આ પ્રસ્તાવ આજે પસાર થઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો તાજ મહેલ સાથે એક મોટો વિવાદ જોડાઈ શકે છે. તાજમહેલનું નિર્માણ ઈ.સ 163રમાં થયું હતું. આજે 390 વર્ષ બાદ તાજ મહેલનું નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આગ્રા નગર નિગમના મેયર નવીન જૈનનું  કહેવું છે કે આગ્રા નગર નિગમ પાસે તાજ મહેલનું નામ બદલવાનો કોઈ અધિકાર નથી. જો કે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી