તાજ મહેલ કે તેજો મહાલય, આજે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુ થશે પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 14:05:14

આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવાની કવાયત ફરીથી શરૂ થઈ ગઈ છે. આગ્રાના નગર નિગમ સદનમાં તાજ મહેલનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોરે ચર્ચા માટે આજે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


તાજ મહેલ પહેલા હતું શિવ મંદિર


શોભારામ રાઠોરે કહ્યું કે તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા પણ ઘણા નિશાન છે જે એ બાબત સિધ્ધ કરે છે કે આ તાજ મહેલ પહેલા શિવ મંદિર હતો. મુઘલ શાસક શાસક શાહજહાંએ તેનું નામ બદલીને તાજમહેલ કરી દીધું છે. આ રાજા જયસિંહની સંપત્તી હતી. કોઈ પણ એવું કબ્રસ્તાન નથી જ્યાં મહેલ બન્યો હોય. 


નગર નિગમમાં ભાજપની બહુમતી


આગ્રા નગર નિગમમાં ભાજપના કોર્પોરેટરની બહુમતી છે તેથી શોભારામ રાઠોરનો આ પ્રસ્તાવ આજે પસાર થઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો તાજ મહેલ સાથે એક મોટો વિવાદ જોડાઈ શકે છે. તાજમહેલનું નિર્માણ ઈ.સ 163રમાં થયું હતું. આજે 390 વર્ષ બાદ તાજ મહેલનું નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આગ્રા નગર નિગમના મેયર નવીન જૈનનું  કહેવું છે કે આગ્રા નગર નિગમ પાસે તાજ મહેલનું નામ બદલવાનો કોઈ અધિકાર નથી. જો કે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .