તાજ મહેલ કે તેજો મહાલય, આજે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુ થશે પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 14:05:14

આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવાની કવાયત ફરીથી શરૂ થઈ ગઈ છે. આગ્રાના નગર નિગમ સદનમાં તાજ મહેલનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોરે ચર્ચા માટે આજે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


તાજ મહેલ પહેલા હતું શિવ મંદિર


શોભારામ રાઠોરે કહ્યું કે તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા પણ ઘણા નિશાન છે જે એ બાબત સિધ્ધ કરે છે કે આ તાજ મહેલ પહેલા શિવ મંદિર હતો. મુઘલ શાસક શાસક શાહજહાંએ તેનું નામ બદલીને તાજમહેલ કરી દીધું છે. આ રાજા જયસિંહની સંપત્તી હતી. કોઈ પણ એવું કબ્રસ્તાન નથી જ્યાં મહેલ બન્યો હોય. 


નગર નિગમમાં ભાજપની બહુમતી


આગ્રા નગર નિગમમાં ભાજપના કોર્પોરેટરની બહુમતી છે તેથી શોભારામ રાઠોરનો આ પ્રસ્તાવ આજે પસાર થઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો તાજ મહેલ સાથે એક મોટો વિવાદ જોડાઈ શકે છે. તાજમહેલનું નિર્માણ ઈ.સ 163રમાં થયું હતું. આજે 390 વર્ષ બાદ તાજ મહેલનું નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આગ્રા નગર નિગમના મેયર નવીન જૈનનું  કહેવું છે કે આગ્રા નગર નિગમ પાસે તાજ મહેલનું નામ બદલવાનો કોઈ અધિકાર નથી. જો કે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.