તાજ મહેલ કે તેજો મહાલય, આજે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુ થશે પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 14:05:14

આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવાની કવાયત ફરીથી શરૂ થઈ ગઈ છે. આગ્રાના નગર નિગમ સદનમાં તાજ મહેલનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોરે ચર્ચા માટે આજે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


તાજ મહેલ પહેલા હતું શિવ મંદિર


શોભારામ રાઠોરે કહ્યું કે તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા પણ ઘણા નિશાન છે જે એ બાબત સિધ્ધ કરે છે કે આ તાજ મહેલ પહેલા શિવ મંદિર હતો. મુઘલ શાસક શાસક શાહજહાંએ તેનું નામ બદલીને તાજમહેલ કરી દીધું છે. આ રાજા જયસિંહની સંપત્તી હતી. કોઈ પણ એવું કબ્રસ્તાન નથી જ્યાં મહેલ બન્યો હોય. 


નગર નિગમમાં ભાજપની બહુમતી


આગ્રા નગર નિગમમાં ભાજપના કોર્પોરેટરની બહુમતી છે તેથી શોભારામ રાઠોરનો આ પ્રસ્તાવ આજે પસાર થઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો તાજ મહેલ સાથે એક મોટો વિવાદ જોડાઈ શકે છે. તાજમહેલનું નિર્માણ ઈ.સ 163રમાં થયું હતું. આજે 390 વર્ષ બાદ તાજ મહેલનું નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આગ્રા નગર નિગમના મેયર નવીન જૈનનું  કહેવું છે કે આગ્રા નગર નિગમ પાસે તાજ મહેલનું નામ બદલવાનો કોઈ અધિકાર નથી. જો કે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે.



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.