યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે કહ્યું કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી


  • Published By :
  • Published Date : 2022-10-24 17:55:36

હાલ દિવાળી અને ચૂંટણીનો રંગ ગુજરાતમાં જામ્યો છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય તેની પર રાજનીતિ થતી રહે છે. ત્યારે દિવાળી પર પણ રાજનીતિ થઈ રહી છે. ચૂંટણી પહેલા ભાજપ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી. આમ આદમી પાર્ટી તો આ વાત કહેતી હતી કે પરંતુ કોંગ્રેસ પણ આ વાત કહી રહી છે.

 

ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસે કર્યો પોતાનો પ્રચાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તો જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે ગુજરાતના યુવાનો કહે છે કે ભાજપ માટે આ વખતે એવું કહેવાઈ રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.