યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે કહ્યું કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી


  • Published By :
  • Published Date : 2022-10-24 17:55:36

હાલ દિવાળી અને ચૂંટણીનો રંગ ગુજરાતમાં જામ્યો છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય તેની પર રાજનીતિ થતી રહે છે. ત્યારે દિવાળી પર પણ રાજનીતિ થઈ રહી છે. ચૂંટણી પહેલા ભાજપ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી. આમ આદમી પાર્ટી તો આ વાત કહેતી હતી કે પરંતુ કોંગ્રેસ પણ આ વાત કહી રહી છે.

 

ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસે કર્યો પોતાનો પ્રચાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તો જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે ગુજરાતના યુવાનો કહે છે કે ભાજપ માટે આ વખતે એવું કહેવાઈ રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.          



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.