યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે કહ્યું કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી


  • Published By :
  • Published Date : 2022-10-24 17:55:36

હાલ દિવાળી અને ચૂંટણીનો રંગ ગુજરાતમાં જામ્યો છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય તેની પર રાજનીતિ થતી રહે છે. ત્યારે દિવાળી પર પણ રાજનીતિ થઈ રહી છે. ચૂંટણી પહેલા ભાજપ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી. આમ આદમી પાર્ટી તો આ વાત કહેતી હતી કે પરંતુ કોંગ્રેસ પણ આ વાત કહી રહી છે.

 

ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસે કર્યો પોતાનો પ્રચાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તો જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે ગુજરાતના યુવાનો કહે છે કે ભાજપ માટે આ વખતે એવું કહેવાઈ રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.          



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.