આતુરતાનો આવ્યો અંત, આજે રાજ્યના 2697 કેન્દ્રો પર 8 લાખથી વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-07 15:10:42

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2697  પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે. રાજ્યમાં કુલ 3437 તલાટીઓની ભરતી માટે આ પરીક્ષા આયોજીત કરવામાં આવી છે. આ પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 દરમિયાન યોજાવાની છે. પરીક્ષાના બે કલાક પહેલાથી પ્રવેશ આપવાની શરુઆત કરી દેવામાં આવી છે.


ગેરરીતિ રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત


તલાટીની પરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે, ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.તે ઉપરાંત ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  


પરીક્ષા માટે તૈનાત કર્મચારીઓ માટે ખાસ SOP


તલાટીની પરીક્ષા માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ માટે પણ ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. જે મુજબ તેમણે ત્રણ કલાક પહેલાં મોબાઇલ, ગેજેટ જમા કરાવવા પડશે. પરીક્ષા અધિકારીઓએ તેમના ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાના ત્રણ કલાક પહેલાં જમા કરાવવાના રહેશે. પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષાનું તમામ મટીરિયલ સીલ પેક મોકલી દેવાયા બાદ જ કેન્દ્ર સંચાલક પાસેથી તેઓ પોતાના મોબાઇલ, ગેજેટ લઈ શકશે. પરીક્ષામાં પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જણાવાયું છે. પરંતુ જો કેમેરા પૂરતા ન હોય તો એવા કેમેરાનો જ ઉપયોગ થઇ શકશે કે જેની મેમરી ઇનબિલ્ટ હોય. એટલે કે તેની મેમરી કોઇ પણ રીતે બદલી શકાય તેમ ન હોવી જોઇએ.


ઉમેદવારો માટે સ્પેશિયલ બસ અને ટ્રેનની વ્યવસ્થા 


ગુજરાતમાં આજે યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બસ, રેલવે સહિતની સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રાજ્યક્ષભરમાં 488 બસ એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી છે. આ ઉપરાંત 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિકલાંગ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તેમને પરીક્ષા કેન્દ્રો પર આવવાનું અને ત્યાંથી પરત ફરવાનું અનુકૂળ રહી શકે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.