આતુરતાનો આવ્યો અંત, આજે રાજ્યના 2697 કેન્દ્રો પર 8 લાખથી વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-07 15:10:42

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64,400 ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2697  પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે. રાજ્યમાં કુલ 3437 તલાટીઓની ભરતી માટે આ પરીક્ષા આયોજીત કરવામાં આવી છે. આ પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 દરમિયાન યોજાવાની છે. પરીક્ષાના બે કલાક પહેલાથી પ્રવેશ આપવાની શરુઆત કરી દેવામાં આવી છે.


ગેરરીતિ રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત


તલાટીની પરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે, ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.તે ઉપરાંત ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  


પરીક્ષા માટે તૈનાત કર્મચારીઓ માટે ખાસ SOP


તલાટીની પરીક્ષા માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ માટે પણ ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. જે મુજબ તેમણે ત્રણ કલાક પહેલાં મોબાઇલ, ગેજેટ જમા કરાવવા પડશે. પરીક્ષા અધિકારીઓએ તેમના ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાના ત્રણ કલાક પહેલાં જમા કરાવવાના રહેશે. પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષાનું તમામ મટીરિયલ સીલ પેક મોકલી દેવાયા બાદ જ કેન્દ્ર સંચાલક પાસેથી તેઓ પોતાના મોબાઇલ, ગેજેટ લઈ શકશે. પરીક્ષામાં પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જણાવાયું છે. પરંતુ જો કેમેરા પૂરતા ન હોય તો એવા કેમેરાનો જ ઉપયોગ થઇ શકશે કે જેની મેમરી ઇનબિલ્ટ હોય. એટલે કે તેની મેમરી કોઇ પણ રીતે બદલી શકાય તેમ ન હોવી જોઇએ.


ઉમેદવારો માટે સ્પેશિયલ બસ અને ટ્રેનની વ્યવસ્થા 


ગુજરાતમાં આજે યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બસ, રેલવે સહિતની સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રાજ્યક્ષભરમાં 488 બસ એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી છે. આ ઉપરાંત 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિકલાંગ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તેમને પરીક્ષા કેન્દ્રો પર આવવાનું અને ત્યાંથી પરત ફરવાનું અનુકૂળ રહી શકે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.