ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન, ફરજ દરમિયાન ગેરહાજર રહેતા તલાટી સામે કાર્યવાહીનો વિકાસ કમિશનરનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-16 12:27:12

રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના કામના સ્થળે નિયમિત રીતે હાજર હોતા જ નથી. રાજ્યની અનેક ગ્રામ પંચાયતોમાં આવા ગુલ્લીબાજ તલાટીઓ ફરજ બજાવે છે. જો કે હવે તેમની પર તવાઈ આવી છે, તલાટી કમ મંત્રીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો મળતાં હવે સરકાર હરકતમાં આવી છે. આ મામલે વિકાસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે આદેશ અપાયા છે.


વિકાસ કમિશનરે આપી આ સુચના

 

રાજ્યમાં તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની પંચાયત વિભાગને ફરિયાદો મળી હતી. જેના પગલે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રજા પર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે એક કરતા વધુ ગામો ફાળવેલા હોય, તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની સરપ્રાઈઝ વિઝીટની પણ સૂચના આપી છે. અધિકારીઓની મુલાકાત દરમિયાન જો કોઈ તલાટી ગેરહાજર હોય તો તેને જાણ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. તેની પાસે રજા જમા ન હોય તો પગાર કપાત રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. તો બીજી વખત ગેરહાજર રહે તો આવી સ્થિતિમાં કારણદર્શક નોટિસ આપી કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.


વિકાસ કમિશનરના પરિપત્રનું પાલન થશે?

 

તલાટી કમ મંત્રીની નિયમિતતા જળવાય અને ગ્રામજનોનાં સરકારી કામોનો સમયસર નિકાલ થાય તે માટે પંચાયત વિભાગ તેમજ વિકાસ કમિશનરની કચેરી દ્વારા અગાઉ અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. આમ છતાં અનુભવે જણાયેલ છે કે, કેટલાંક કેસોમાં તલાટી કમ મંત્રીની અનિયમિતતા બાબતે વડી કચેરી તથા વિભાગ કક્ષાએ રજુઆતો મળવામાં છે. જે બાબત ધ્યાને લઈને, તલાટી કમ મંત્રીની ફરજ ઉપરની નિયમિતતા જળવાઈ રહે તે બાબતે અગાઉ અપાયેલ સૂચનાઓનું પાલન કરવા તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં પત્ર નં.PRHRDD/0175/03/2023, હેઠળ પણ સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી, જો કે હજુ સુધી તેનું પાલન થયું નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.