Congress અને AAP વચ્ચે ચાલી રહી છે ગઠબંધનને લઈ વાત! આ ત્રણ રાજ્યોમાં સીટોની વહેંચણી લગભગ ફાઈનલ!


  • Published By :
  • Published Date : 2024-02-22 13:40:42

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વર્તુળમાં ચર્ચાઓનું બજાર પણ ગરમાતું રહે છે. ઈન્ડિયા ગઠબંધનમાં ફૂટ પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે એક બાદ એક રાજકીય પાર્ટી દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે હવે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈ સમાચાર આવ્યા ત્યારે આજે આમ આદમી પાર્ટી અને કોંગેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્રણ રાજ્યો માટે સીટ ફાળવણી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.  



કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર વિચારણા ચાલી રહી છે. જો સૂત્રોનું માનીએ તો હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડશે તો કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે હરિયાણામાં એક સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.



કઈ કઈ સીટો માટે ચાલી રહી છે વાત?

ગુજરાતમાં જે બે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે તેની વાત કરીએ તો ભરૂચ અને ભાવનગર પર લડશે. તે ઉપરાંત દિલ્હીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી તેમજ પશ્ચિમ દિલ્હીની સીટ પર ચૂંટણી લડી શકે છે. તો દિલ્હીમાં કોંગ્રેસના સીટોની વાત કરીએ તો ઉત્તર પૂર્વિય સીટ, ચાંદની ચોક તેમજ પૂર્વ દિલ્હી સીટ પર ચૂંટણી લડશે. એવી માહિતી સામે આવી છે કે આ અંગેની ઔપચારિક ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.     



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .