Congress અને AAP વચ્ચે ચાલી રહી છે ગઠબંધનને લઈ વાત! આ ત્રણ રાજ્યોમાં સીટોની વહેંચણી લગભગ ફાઈનલ!


  • Published By :
  • Published Date : 2024-02-22 13:40:42

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વર્તુળમાં ચર્ચાઓનું બજાર પણ ગરમાતું રહે છે. ઈન્ડિયા ગઠબંધનમાં ફૂટ પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે એક બાદ એક રાજકીય પાર્ટી દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે હવે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈ સમાચાર આવ્યા ત્યારે આજે આમ આદમી પાર્ટી અને કોંગેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્રણ રાજ્યો માટે સીટ ફાળવણી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.  



કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર વિચારણા ચાલી રહી છે. જો સૂત્રોનું માનીએ તો હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડશે તો કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતની બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે હરિયાણામાં એક સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.



કઈ કઈ સીટો માટે ચાલી રહી છે વાત?

ગુજરાતમાં જે બે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે તેની વાત કરીએ તો ભરૂચ અને ભાવનગર પર લડશે. તે ઉપરાંત દિલ્હીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી તેમજ પશ્ચિમ દિલ્હીની સીટ પર ચૂંટણી લડી શકે છે. તો દિલ્હીમાં કોંગ્રેસના સીટોની વાત કરીએ તો ઉત્તર પૂર્વિય સીટ, ચાંદની ચોક તેમજ પૂર્વ દિલ્હી સીટ પર ચૂંટણી લડશે. એવી માહિતી સામે આવી છે કે આ અંગેની ઔપચારિક ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.