Gujaratના હવામાનમાં આવેલા પલટાની વાત તો કરી પરંતુ પ્રદૂષણ પર ચર્ચા ક્યારે થશે? શું પ્રચાર દરમિયાન આપણને પ્રદૂષણ શબ્દ સાંભળવા મળ્યો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 14:01:12

લોકસભા ઈલેક્શન માટે મતદાન ચાલી રહ્યું છે... ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે ત્રણ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે જે અંગે ચર્ચા થઈ, વિવાદ ઉભો થયો વગેરે વગેરે.. ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તે આપણે જાણીએ છીએ પરંતુ એવા મુદ્દાઓ ક્યારે ઉઠશે જેની સીધી અસર સામાન્ય માણસો પર થતી હોય છે.. અમે અહીંયા મોંઘવારી, બેરોજગારી કે ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા.. અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષણની... 

પ્રદૂષણને અટકાવવા માટે લેવા પડશે જરૂરી પગલા

આપણે આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને એટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ જેની કલ્પના આપણે ના કરી શકીએ... વાતાવરણ એટલું અનિયંત્રિત થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી પડતી... શિયાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે, ઉનાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે.. વાતાવરણની આપણે દરકાર નથી કરી રહ્યા. પ્રકૃતિનું જતન આપણે કરવું પડશે... પ્રદૂષણને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે કારણ કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે..


રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહી છે.. રાજનેતાઓ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે પરંતુ આવા મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતા.. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. એ રાજનેતા હોય કે પછી આપણે હોઈએ.. વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.. બને તેટલા વધારે વૃક્ષોનું રોપણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે એક ડગલું આગળ વધીએ... મોટા મોટા મુદ્દાઓ અસર કરે છે પરંતુ આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી પડશે.. વાતાવરણમાં એવો પલટો આવી રહ્યો છે.. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...    


વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.