Gujaratના હવામાનમાં આવેલા પલટાની વાત તો કરી પરંતુ પ્રદૂષણ પર ચર્ચા ક્યારે થશે? શું પ્રચાર દરમિયાન આપણને પ્રદૂષણ શબ્દ સાંભળવા મળ્યો?


  • Published By :
  • Published Date : 2024-05-14 14:01:12

લોકસભા ઈલેક્શન માટે મતદાન ચાલી રહ્યું છે... ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે ત્રણ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે જે અંગે ચર્ચા થઈ, વિવાદ ઉભો થયો વગેરે વગેરે.. ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તે આપણે જાણીએ છીએ પરંતુ એવા મુદ્દાઓ ક્યારે ઉઠશે જેની સીધી અસર સામાન્ય માણસો પર થતી હોય છે.. અમે અહીંયા મોંઘવારી, બેરોજગારી કે ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા.. અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષણની... 

પ્રદૂષણને અટકાવવા માટે લેવા પડશે જરૂરી પગલા

આપણે આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને એટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ જેની કલ્પના આપણે ના કરી શકીએ... વાતાવરણ એટલું અનિયંત્રિત થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી પડતી... શિયાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે, ઉનાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે.. વાતાવરણની આપણે દરકાર નથી કરી રહ્યા. પ્રકૃતિનું જતન આપણે કરવું પડશે... પ્રદૂષણને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે કારણ કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે..


રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહી છે.. રાજનેતાઓ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે પરંતુ આવા મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતા.. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. એ રાજનેતા હોય કે પછી આપણે હોઈએ.. વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.. બને તેટલા વધારે વૃક્ષોનું રોપણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે એક ડગલું આગળ વધીએ... મોટા મોટા મુદ્દાઓ અસર કરે છે પરંતુ આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી પડશે.. વાતાવરણમાં એવો પલટો આવી રહ્યો છે.. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...    


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે