Gujaratના હવામાનમાં આવેલા પલટાની વાત તો કરી પરંતુ પ્રદૂષણ પર ચર્ચા ક્યારે થશે? શું પ્રચાર દરમિયાન આપણને પ્રદૂષણ શબ્દ સાંભળવા મળ્યો?


  • Published By :
  • Published Date : 2024-05-14 14:01:12

લોકસભા ઈલેક્શન માટે મતદાન ચાલી રહ્યું છે... ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે ત્રણ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે જે અંગે ચર્ચા થઈ, વિવાદ ઉભો થયો વગેરે વગેરે.. ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તે આપણે જાણીએ છીએ પરંતુ એવા મુદ્દાઓ ક્યારે ઉઠશે જેની સીધી અસર સામાન્ય માણસો પર થતી હોય છે.. અમે અહીંયા મોંઘવારી, બેરોજગારી કે ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા.. અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષણની... 

પ્રદૂષણને અટકાવવા માટે લેવા પડશે જરૂરી પગલા

આપણે આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને એટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ જેની કલ્પના આપણે ના કરી શકીએ... વાતાવરણ એટલું અનિયંત્રિત થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી પડતી... શિયાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે, ઉનાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે.. વાતાવરણની આપણે દરકાર નથી કરી રહ્યા. પ્રકૃતિનું જતન આપણે કરવું પડશે... પ્રદૂષણને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે કારણ કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે..


રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહી છે.. રાજનેતાઓ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે પરંતુ આવા મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતા.. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. એ રાજનેતા હોય કે પછી આપણે હોઈએ.. વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.. બને તેટલા વધારે વૃક્ષોનું રોપણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે એક ડગલું આગળ વધીએ... મોટા મોટા મુદ્દાઓ અસર કરે છે પરંતુ આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી પડશે.. વાતાવરણમાં એવો પલટો આવી રહ્યો છે.. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...    


ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.