Gujaratના હવામાનમાં આવેલા પલટાની વાત તો કરી પરંતુ પ્રદૂષણ પર ચર્ચા ક્યારે થશે? શું પ્રચાર દરમિયાન આપણને પ્રદૂષણ શબ્દ સાંભળવા મળ્યો?


  • Published By :
  • Published Date : 2024-05-14 14:01:12

લોકસભા ઈલેક્શન માટે મતદાન ચાલી રહ્યું છે... ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે ત્રણ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે જે અંગે ચર્ચા થઈ, વિવાદ ઉભો થયો વગેરે વગેરે.. ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તે આપણે જાણીએ છીએ પરંતુ એવા મુદ્દાઓ ક્યારે ઉઠશે જેની સીધી અસર સામાન્ય માણસો પર થતી હોય છે.. અમે અહીંયા મોંઘવારી, બેરોજગારી કે ભ્રષ્ટાચારની વાત નથી કરી રહ્યા.. અમે વાત કરી રહ્યા છીએ પ્રદૂષણની... 

પ્રદૂષણને અટકાવવા માટે લેવા પડશે જરૂરી પગલા

આપણે આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને એટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ જેની કલ્પના આપણે ના કરી શકીએ... વાતાવરણ એટલું અનિયંત્રિત થઈ ગયું છે કે વરસાદ ક્યારે આવશે તેની ખબર નથી પડતી... શિયાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે, ઉનાળો હોય તો પણ વરસાદ આવી રહ્યો છે.. વાતાવરણની આપણે દરકાર નથી કરી રહ્યા. પ્રકૃતિનું જતન આપણે કરવું પડશે... પ્રદૂષણને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે કારણ કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે..


રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહી છે.. રાજનેતાઓ દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે પરંતુ આવા મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતા.. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્નો કરવા પડશે. એ રાજનેતા હોય કે પછી આપણે હોઈએ.. વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ.. બને તેટલા વધારે વૃક્ષોનું રોપણ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે એક ડગલું આગળ વધીએ... મોટા મોટા મુદ્દાઓ અસર કરે છે પરંતુ આવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી પડશે.. વાતાવરણમાં એવો પલટો આવી રહ્યો છે.. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...    


મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.