Tamil Nadu : ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો ભીષણ વિસ્ફોટ, ઘટનામાં 8 લોકોના ગયા જીવ.! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 17:13:15

આગ લાગવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ જતી હોય છે. ત્યારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં એક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ

ફટાકડાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે જેને કારણે અનેક લોકોની જિંદગી બુઝાઈ જતી હોય છે. ત્યારે એક દુખદ ઘટના તમિલનાડુમાં સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે લડત લડી રહ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી. 


ઘટનામાં થયા 8થી 9 લોકોના મોત 

મળતી માહિતી અનુસાર જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક રૂમમાં ફટાકડા રિપેરીંગની કામગીરી થઈ રહી હતી. તે વખતે અચાનક સ્પાર્ક થયો અને અચાનક આગ લાગી. આ ઘટનામાં કોના મોત થયા છે તેની માહિતી સામે આવી નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.     



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .