Tamil Nadu : ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો ભીષણ વિસ્ફોટ, ઘટનામાં 8 લોકોના ગયા જીવ.! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 17:13:15

આગ લાગવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ જતી હોય છે. ત્યારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં એક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ

ફટાકડાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે જેને કારણે અનેક લોકોની જિંદગી બુઝાઈ જતી હોય છે. ત્યારે એક દુખદ ઘટના તમિલનાડુમાં સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે લડત લડી રહ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી. 


ઘટનામાં થયા 8થી 9 લોકોના મોત 

મળતી માહિતી અનુસાર જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક રૂમમાં ફટાકડા રિપેરીંગની કામગીરી થઈ રહી હતી. તે વખતે અચાનક સ્પાર્ક થયો અને અચાનક આગ લાગી. આ ઘટનામાં કોના મોત થયા છે તેની માહિતી સામે આવી નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .