Tamil Nadu : ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો ભીષણ વિસ્ફોટ, ઘટનામાં 8 લોકોના ગયા જીવ.! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-17 17:13:15

આગ લાગવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ જતી હોય છે. ત્યારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં એક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ

ફટાકડાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે જેને કારણે અનેક લોકોની જિંદગી બુઝાઈ જતી હોય છે. ત્યારે એક દુખદ ઘટના તમિલનાડુમાં સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે લડત લડી રહ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી. 


ઘટનામાં થયા 8થી 9 લોકોના મોત 

મળતી માહિતી અનુસાર જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક રૂમમાં ફટાકડા રિપેરીંગની કામગીરી થઈ રહી હતી. તે વખતે અચાનક સ્પાર્ક થયો અને અચાનક આગ લાગી. આ ઘટનામાં કોના મોત થયા છે તેની માહિતી સામે આવી નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.     



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.