Tamil Nadu | જો તમે પણ ગૂગલ મેપના આધારે જતાં હોવ તો જોજો તમારી સાથે પણ આવું ન થાય! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-29 16:59:32

એક સમય હતો જ્યારે રસ્તો ન મળે તો લોકોને પૂછતા હતા. લોકો આપણને મદદ પણ કરતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકોને પૂછવા કરતા લોકો ગુગલ મેપમાં લોકેશન નાખીને ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે. આને કારણે સરળતા થઈ છે પરંતુ અનેક વખત આપણને અનુભવ થયો હશે કે એવા એવા રસ્તા પર મેપ લઈ જાય છે કે તે આપણને નોર્મલ નથી લાગતા. ત્યારે એવો એક કિસ્સો ગુડાલુરથી સામે આવ્યો છે. ગુગલે એવો રસ્તો બતાવ્યો કે ગાડીને પગથિયા ઉતરવા પડ્યા. પગથિયા પર ગાડી ફસાઈ ગઈ. 

ગુગલ મેપે અનેક વખત ચઢાવ્યા હશે ગોથે!   

ડિઝિટલ યુગનો જમાનો આવી ગયો છે. ડિઝિટલ ક્રાંતિ થઈ રહી છે. લોકો ડિઝિટલ તરફ આગળ વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે રસ્તામાં ક્યાંય અટવાઈએ ત્યારે આપણે ચાની લારી વાળા કાકાને અથવા તો રીક્ષાવાળા કાકાને પૂછતા કે આ જગ્યા પર કેવી રીતે પહોંચાય. પરંતુ હવે આપણે તેમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. કોઈ પણ જગ્યા પર પહોંચવા માટે આપણે ગુગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. જો રસ્તો ન મળે તો આપણે લોકેશન મંગાવી દઈએ છીએ. આપણે કહેતા હોઈએ છે કે ગુગલ મેપને કારણે સરળતા થઈ ગઈ. પરંતુ તમને પણ એવા અનુભવ થયા હશે કે ડેસ્ટિનેશન સામે જ હોય છે પરંતુ મેપ ઘણી વખત તેની આસપાસ ફેરવે છે. અલગ અલગ રસ્તા પર લઈ જાય છે વગેરે વગેરે... 


વેકેશન માણવા આવે છે અનેક લોકો 

આજે આવી ઘટના એક વ્યક્તિ સાથે બની જેમાં ગુગલ મેપે એવો રસ્તો બતાવ્યો કે ગાડી પગથિયા પર અટકી ગઈ, ભરાઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના છે ગુડાલુર હિલ સ્ટેશનની. આ ત્રણ રાજ્યો વચ્ચેનો ઈન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. કર્ણાટકથી કેટલાક લોકો સપ્તાહના અંતમાં રજાઓ માણવા આવ્યા હતા. વેકેશન ખતમ કરી તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ગૂગલ મેપ્સ પર લોકેશન એન્ટર કર્યું. અને પોતાની એસયુવીમાં ગૂગલે બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. 


સીડીઓ આવીને ગાડી અટવાઈ અને પછી....  

જે પ્રમાણે Google મેપ રસ્તો બતાવતો ગયો તેમ તેમ ગાડીને એ રીતે આગળ વધારવામાં આવી. મેપ પ્રમાણે જો આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો જલ્દી ડેસ્ટિનેશન પર પહોંચી જવાશે તેવું દર્શાવવામાં આવ્યું છે.  રસ્તો પોલીસ ક્વાર્ટર પાસેથી પસાર થતો હતો. Google Mapsનો રસ્તો તેમને પગથિયા પર લઈ ગયો. ગાડી સીડીઓ પર ફસાઈ ગઈ અને પછી ડ્રાઈવરે કાર રોકી મદદ માંગી. ડ્રાઈવરનો અવાજ સાંભળતા નજીકના લોકો અને કેટલાક પોલીસકર્મીઓએ આવીને તેને મદદ કરી. ત્યારે જ તે કારને રસ્તા પર લઈ જઈ શક્યો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.