Tamil Nadu | જો તમે પણ ગૂગલ મેપના આધારે જતાં હોવ તો જોજો તમારી સાથે પણ આવું ન થાય! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-29 16:59:32

એક સમય હતો જ્યારે રસ્તો ન મળે તો લોકોને પૂછતા હતા. લોકો આપણને મદદ પણ કરતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકોને પૂછવા કરતા લોકો ગુગલ મેપમાં લોકેશન નાખીને ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે. આને કારણે સરળતા થઈ છે પરંતુ અનેક વખત આપણને અનુભવ થયો હશે કે એવા એવા રસ્તા પર મેપ લઈ જાય છે કે તે આપણને નોર્મલ નથી લાગતા. ત્યારે એવો એક કિસ્સો ગુડાલુરથી સામે આવ્યો છે. ગુગલે એવો રસ્તો બતાવ્યો કે ગાડીને પગથિયા ઉતરવા પડ્યા. પગથિયા પર ગાડી ફસાઈ ગઈ. 

ગુગલ મેપે અનેક વખત ચઢાવ્યા હશે ગોથે!   

ડિઝિટલ યુગનો જમાનો આવી ગયો છે. ડિઝિટલ ક્રાંતિ થઈ રહી છે. લોકો ડિઝિટલ તરફ આગળ વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે રસ્તામાં ક્યાંય અટવાઈએ ત્યારે આપણે ચાની લારી વાળા કાકાને અથવા તો રીક્ષાવાળા કાકાને પૂછતા કે આ જગ્યા પર કેવી રીતે પહોંચાય. પરંતુ હવે આપણે તેમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. કોઈ પણ જગ્યા પર પહોંચવા માટે આપણે ગુગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. જો રસ્તો ન મળે તો આપણે લોકેશન મંગાવી દઈએ છીએ. આપણે કહેતા હોઈએ છે કે ગુગલ મેપને કારણે સરળતા થઈ ગઈ. પરંતુ તમને પણ એવા અનુભવ થયા હશે કે ડેસ્ટિનેશન સામે જ હોય છે પરંતુ મેપ ઘણી વખત તેની આસપાસ ફેરવે છે. અલગ અલગ રસ્તા પર લઈ જાય છે વગેરે વગેરે... 


વેકેશન માણવા આવે છે અનેક લોકો 

આજે આવી ઘટના એક વ્યક્તિ સાથે બની જેમાં ગુગલ મેપે એવો રસ્તો બતાવ્યો કે ગાડી પગથિયા પર અટકી ગઈ, ભરાઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના છે ગુડાલુર હિલ સ્ટેશનની. આ ત્રણ રાજ્યો વચ્ચેનો ઈન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. કર્ણાટકથી કેટલાક લોકો સપ્તાહના અંતમાં રજાઓ માણવા આવ્યા હતા. વેકેશન ખતમ કરી તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ગૂગલ મેપ્સ પર લોકેશન એન્ટર કર્યું. અને પોતાની એસયુવીમાં ગૂગલે બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. 


સીડીઓ આવીને ગાડી અટવાઈ અને પછી....  

જે પ્રમાણે Google મેપ રસ્તો બતાવતો ગયો તેમ તેમ ગાડીને એ રીતે આગળ વધારવામાં આવી. મેપ પ્રમાણે જો આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો જલ્દી ડેસ્ટિનેશન પર પહોંચી જવાશે તેવું દર્શાવવામાં આવ્યું છે.  રસ્તો પોલીસ ક્વાર્ટર પાસેથી પસાર થતો હતો. Google Mapsનો રસ્તો તેમને પગથિયા પર લઈ ગયો. ગાડી સીડીઓ પર ફસાઈ ગઈ અને પછી ડ્રાઈવરે કાર રોકી મદદ માંગી. ડ્રાઈવરનો અવાજ સાંભળતા નજીકના લોકો અને કેટલાક પોલીસકર્મીઓએ આવીને તેને મદદ કરી. ત્યારે જ તે કારને રસ્તા પર લઈ જઈ શક્યો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.