તમિલનાડુ: મદુરાઈમાં RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો: CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 11:10:47

શનિવારે તમિલનાડુના મદુરાઈમાં RSSના નેતા એમએસ કૃષ્ણનના ઘર પર ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ત્રણ બોટલ પેટ્રોલ બોમ્બ સાથે ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી રહ્યો છે અને એક પછી એક ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યો છે.

RSS leadwer MS Krishnan house attacked with petrol bomb

આ ઘટના શનિવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી.પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા. હુમલામાં સામેલ અનામી બદમાશોની ઓળખ કરવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા 


આસિસ્ટન્ટ કમિશનર ષણમુગમે જણાવ્યું કે અમે આ સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને નુકસાન થયું ન હતું.


RSS નેતા કૃષ્ણએ જણાવ્યું


હું છેલ્લા 45 વર્ષથી RSS સાથે છું. લગભગ 7 વાગ્યાની આસપાસ મેં બહાર અવાજ સાંભળ્યો. ફેંકવામાં આવેલા પેટ્રોલ બોમ્બથી મારી કારમાં આગ લાગી હતી. એકલા તમિલનાડુમાં મારા જેવા 20 થી વધુ RSS કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. અમે તેના સંબંધમાં ફરિયાદ નોંધાવી છે.


RSS નેતા એમએસ કૃષ્ણનને 2014માં તેમના જીવના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જો કે, 2021 માં સંરક્ષણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. એમએસ કૃષ્ણન જણાવ્યું કે 2014માં મારા જીવના જોખમને કારણે પોલીસે મને સુરક્ષા આપી હતી પરંતુ 2021 માં સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. અમે મારા ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આજની રાત સુધીમાં આરોપીઓને પકડવાની ખાતરી આપી. 


બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને RSS નેતાઓ પર

થયેલા પેટ્રોલ બોમ્બ હુમલા અંગે માહિતી આપી હતી.


આ પહેલા શનિવારે વહેલી સવારે ચેન્નાઈના તાંબરમ પાસે RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.શુક્રવારના રોજ, તમિલનાડુના કોઈમ્બતુરમાં બીજેપી કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને કેરળના મટ્ટનુરમાં આવી જ એક ઘટના નોંધાઈ હતી જ્યાં બે લોકોએ RSS કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.