તમિલનાડુ: મદુરાઈમાં RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો: CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 11:10:47

શનિવારે તમિલનાડુના મદુરાઈમાં RSSના નેતા એમએસ કૃષ્ણનના ઘર પર ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ત્રણ બોટલ પેટ્રોલ બોમ્બ સાથે ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી રહ્યો છે અને એક પછી એક ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યો છે.

RSS leadwer MS Krishnan house attacked with petrol bomb

આ ઘટના શનિવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી.પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા. હુમલામાં સામેલ અનામી બદમાશોની ઓળખ કરવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા 


આસિસ્ટન્ટ કમિશનર ષણમુગમે જણાવ્યું કે અમે આ સંદર્ભે તપાસ કરી રહ્યા છીએ. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને નુકસાન થયું ન હતું.


RSS નેતા કૃષ્ણએ જણાવ્યું


હું છેલ્લા 45 વર્ષથી RSS સાથે છું. લગભગ 7 વાગ્યાની આસપાસ મેં બહાર અવાજ સાંભળ્યો. ફેંકવામાં આવેલા પેટ્રોલ બોમ્બથી મારી કારમાં આગ લાગી હતી. એકલા તમિલનાડુમાં મારા જેવા 20 થી વધુ RSS કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. અમે તેના સંબંધમાં ફરિયાદ નોંધાવી છે.


RSS નેતા એમએસ કૃષ્ણનને 2014માં તેમના જીવના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જો કે, 2021 માં સંરક્ષણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. એમએસ કૃષ્ણન જણાવ્યું કે 2014માં મારા જીવના જોખમને કારણે પોલીસે મને સુરક્ષા આપી હતી પરંતુ 2021 માં સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. અમે મારા ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આજની રાત સુધીમાં આરોપીઓને પકડવાની ખાતરી આપી. 


બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને RSS નેતાઓ પર

થયેલા પેટ્રોલ બોમ્બ હુમલા અંગે માહિતી આપી હતી.


આ પહેલા શનિવારે વહેલી સવારે ચેન્નાઈના તાંબરમ પાસે RSS નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.શુક્રવારના રોજ, તમિલનાડુના કોઈમ્બતુરમાં બીજેપી કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને કેરળના મટ્ટનુરમાં આવી જ એક ઘટના નોંધાઈ હતી જ્યાં બે લોકોએ RSS કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.