Tamil Nadu Train Incident: મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી આગ, આટલી જીંદગી જીવતી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:15:08

થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં એક રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક ટ્રેનો એકસાથે અથડાતા અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક રેલવે દુર્ઘટના તમિલનાડુમાં બની છે. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો આ ઘટનામાં દાઝી ગયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર જે કોચમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી છે.  

આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ 

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક રેલવે દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે વહેલી સવારે લાગેલી આ આગમાં યુપીના 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જે ટ્રેનમાં આ દર્ઘટના સર્જાઈ છે તે ટ્રેન લખનૌથી રામેશ્વર જઈ રહી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી અને આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન મદુરાઈ સ્ટેશન નજીક પહોંચી હતી. ટ્રેનના કોચમાં ભયંકર આગ લાગી. આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ ગઈ જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 



સવારે 5 વાગ્યની આસપાસ બની દુર્ઘટના 

આગની અસર બીજા ડબ્બાઓ પર પણ પડી હતી. કોચમાં ભીષણ આગ લાગવાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે અનેક  ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટના 5.15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેનના કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.