Tamil Nadu Train Incident: મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી આગ, આટલી જીંદગી જીવતી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:15:08

થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં એક રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક ટ્રેનો એકસાથે અથડાતા અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક રેલવે દુર્ઘટના તમિલનાડુમાં બની છે. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો આ ઘટનામાં દાઝી ગયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર જે કોચમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી છે.  

આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ 

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક રેલવે દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે વહેલી સવારે લાગેલી આ આગમાં યુપીના 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જે ટ્રેનમાં આ દર્ઘટના સર્જાઈ છે તે ટ્રેન લખનૌથી રામેશ્વર જઈ રહી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી અને આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન મદુરાઈ સ્ટેશન નજીક પહોંચી હતી. ટ્રેનના કોચમાં ભયંકર આગ લાગી. આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ ગઈ જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 



સવારે 5 વાગ્યની આસપાસ બની દુર્ઘટના 

આગની અસર બીજા ડબ્બાઓ પર પણ પડી હતી. કોચમાં ભીષણ આગ લાગવાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે અનેક  ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટના 5.15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેનના કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .